________________
૩ ૫
૨૩૮૯૧ થી ૮૯૪ રાગ દ્વેષ રૂપ મળને નિર્મૂળ કરીને હું વિચારું છું. આના વડે સર્વછેદ સમૂલ ઉદ્ધરણ અને ઉદ્ધરણ પ્રકાર કહ્યો. તેનું ફળ કહે છે - વિષફળની ઉપમાથી કિલષ્ટ કમોંથી હું મુક્ત છું. સંસારમાં લોભરૂપ જે ભવતૃણા, તેને લતા કહે છે. તે સ્વરૂપથી ભય દેનારી, કાર્યથી દુ:ખહેતુતા વડે ભીમ છે. ફલ - કિલટ કમોંનો ઉદય. - - ૪ -
• સૂત્ર - ૮૫ -
ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ દેહ દૂર કયો. મારે એક બીજે સંદેહ છે. ગૌતમ! તે વિષયમાં પણ તમે મને કહો.
• વિવેચન - ૮૯૫ - પૂર્વવતું. હવે છઠ્ઠું દ્વાર “અગ્નિ નિર્વાપણ” કહે છે. • સૂત્ર - ૮૯૬ થી ૮૯૯ -
(૮૯૬) ઘોર પ્રચંડ અગ્નિ પ્રજ્વલિત છે, તે જીવોને બાળે છે. તમે તેને કઈ રીતે બુઝાવી? (૮૯૭) ગૌતમે કહ્યું - મહામેધપસૂત પવિત્ર જળ લઈને હું તે અગ્નિમાં નિરંતર સિંચું છું. તેથી સિંચિત અગ્નિ અને બાળકો નથી. (૮૯૮) કેશીએ ગૌતમને પૂછ્યું - તે કંઈ અગ્નિ છે? ત્યારે ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું : (૮૯૯) કષાય અગ્નિ છે. શ્રત, શીલ અને તપ જળ છે. તે જળ ધારાથી બુઝાયેલ અને વિનષ્ટ અગ્નિ અને બાળતો નથી.
• વિવેચન - ૮૯૬ થી ૮૯૮ -
પ્રજવલિત ચોતરફથી પ્રકર્ષથી બળવું, તેથીજ રોદ્ર અગ્નિ રહે છે. હે ગૌતમાં તે પરિતાપકારીપણાથી બાળે છે, કયાં? દેહમાં, બહાર નહીં. જો કે તે આત્મામાં બાળે 'છે, તો પણ શરીર અને આત્માના અન્યોન્ય અનુગામને જણાવવા આ પ્રમાણે કહેલ છે. કઈ રીતે નિર્વાપિત કરેલ છે? ગૌતમે કહ્યું - મહામેઘથી ગ્રહણ કરીને તૃષ્ણાદિ દોષોને નિવારે છે. બીજા. જળની અપેક્ષાએ ઉત્તમ જળ વડે તે અગ્નિને શાંત કરે છે, તેનાથી હું બળતો નથી. દેહમાં રહેલો હોવાથી અગ્નિને પણ દેહ કહેલ છે. અહીં આ તે ક્રોધાદિ છે. શ્રુત તે અહીં ઉપચારથી કષાયના ઉપશમ હેતુથી શ્રતમાં રહેલ ઉપદેશ જાણવો. શીલ - મહાવ્રત, તપ - અનશન, પ્રાયશ્ચિત આદિ. • x• x
- ઉક્ત અર્થનો સવિશેષ ઉપસંહાર કરતા કહે છે • શ્રત · આગમના ઉપલક્ષણત્વથી શીલ અને તપની ધારા જેવી ઘારા- આક્રોશ, હનન, તર્જન, ધર્મભ્રંશમાં ઉત્તરોત્તર ભાવના અલાભરૂપતા આદિ સતત પરિભાવના વડે અભિહત, તે શ્રતધાસભિહત થઈને ઉક્તરૂપ અગ્નિને વિદારિત કરે.
• સૂત્ર - ૯૦૦ •
હે ગૌતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, તમે મારા સંદેહ દૂર કર્યો. મારો એક બીજે પણ સદેહ છે. ગૌતમાં તે વિષયમાં તમે મને કહો.
• વિવેચન • ૯૦૦ - પૂર્વવતું. હવે સાતમું દ્વાર - દુષ્ટ અશ્વનો નિગ્રહ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org