SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ઉત્તરાધ્યયન ભૂલસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન : ૮૪૮ થી ૮૫o - પાર્થ નામક અરહંત લોકમાં પ્રદીપવત, સર્વ વસ્તુને પ્રકાશ વડે લોકપ્રદીપ, તેમના શિષ્ય મહાયશ કેશિ નામે કુમાર, અપરિણીત અને તપસ્વીપણાથી કુમારશ્રમણ હતા. જ્ઞાન અને ચારિત્રના પારગામી, મતિ- શ્રુત - અવધિ ત્રણે જ્ઞાનયુકત, હેયોપાદેય વિભાગના જ્ઞાતા, શિષ્ય સમૂહથી સંકીર્ણ થઈ રામાનુગ્રામ વિચરતા શ્રાવતી નામે નગરમંડલિમાં પ્રાસુક- નિર્દોષ વસતિ અને તેના શિલાફલકાદિ યાચીને તિદુક ઉધાનમાં રહ્યા. પછી શું થયું? • મૂળ • ૮૫૧ થી ૮૫૪ - (૮૧) તે સમયે ધર્મ - તીર્થના પ્રવર્તક જિન, ભગવાન વર્તમાન હતા, જે સમગ્ર લોકમાં પ્રખ્યાત હતા. (૮૫ર) તે લોક પ્રદીપ ભગવંતના જ્ઞાન અને સાત્રિના પારગામી મહાયશસ્વી શિષ્ય ગૌતમ સ્વામી હતા. (૮૩) બાર અંગોના જ્ઞાતા પ્રબુદ્ધ ગૌતમપણ શિષ્ય સંઘથી પરિવા, ગ્રામાનુગ્રામ વિચરતા શ્રાવતી નગરીમાં આવ્યા. (૮૫૪) નગર નજીક કોઇક ઉધાનમાં જયાં પાસુક શસા અને સસ્તારક સુલભ હતા, ત્યાં રોકાયા • રહ્યા. વિવેચન - ૮૫૧ થી ૮૫૪ - તે વખતે તે કાળે, તે સમયે વર્તમાન નામે તીર્થંકર હતા. ગૌતમ નામે, જો કે તેમનું નામ ઇંદ્રભૂતિ હતું, ગૌતમ ગોત્ર હતું. તે ગૌતમ નામે ભગવાન (ગણધર), બાર અંગના જ્ઞાતા પણ શ્રાવસ્તી પધાર્યા. પછી શું થયું? • સૂત્ર - ૮૫૫ થી ૮૫૯ - (૮૫) ફુમાર શ્રમણ કેશી અને મહાયશસ્વી ગૌતમ બને ત્યાં વિચરતા હતા. બંને આવીન અને સમાહિત હતા. (૮૫૬) સંરત, તપસ્વી, ગુણવાન અને કાર્ય સંરક્ષક બંને શિષ્ય સંઘોમાં આવું ચિંતન ઉત્પન્ન થયું - (૮૧૭) આ ધર્મ કેવો છે? અને આ વર્ષ કેવો છે? આ ચાતુમિ ધર્મ છે, તે મહામુનિ પાર્જ એ કહેલ છે. આ પંચ - શિક્ષાત્મક ધર્મ ભગવંત વર્ધમાને કહેલ છે. (૫૯) આ અચોલક ધર્મ છે અને આ સાંતરોત્તર ધર્મ છે. એક લક્ષમાં પ્રવૃત્ત બંનેમાં ભેદ શામાટે છે? • વિવેચન - ૮૫૫ થી ૮૫૯ - કેશિ અને ગૌતમ બંને શ્રાવસ્તીમાં વિચરતા હતા. આલીમ - મન, વચન, કાય ગુપ્તિ આશ્રિત, અથવા પૃથફ રહેવાથી પરસ્પર ન જાણતા. તેઓ સારી રીતે જ્ઞાનાદિ સમાધિવાળા હતા. તે બંનેને સંયમી અને તપસ્વી શિષ્યોનો સમૂહ શ્રાવસ્તીમાં જ હતો. તે બધાં વિચારતા હતા કે - ગુણ: સમ્યગ દર્શનાદિ, તેનાથી યુક્ત અને રક્ષણહાર આપણાં આ મહાવ્રતરૂપ ધર્મ છે, તેમાં આ ધર્મ કેવા પ્રકારે છે? આચાર - આયરણ, વેશધારણ આદિ બાહ્ય ક્રિયાકલાપ. તે જ સુગતિની ધાણાથી ધર્મ છે. કેમકે બાહ્ય ક્રિયામાત્રથી પણ નવ ઝવેયક સુધીની ગતિ પ્રાપ્ત કરાવે છે. તેની પ્રસિદ્ધિ www.jainelibrary.org Jain Education International For For Private & Personal Use Only
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy