SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭૯૭ થી ૮૧૨ ૧૯ (૮૦૫) અરિષ્ટનેમિને સર્વ ઔષધિઓના જળથી સ્નાન કરાવ્યું. કૌતુફ, મંગલ કયાં, દિવ્ય વસ્ત્ર ગુગલ પહેરાવ્યું. આભરણથી વિભૂષિત કમ. (૮૦૬) વાસુદેવના સથી મોટા મત્ત ગંધહસ્તિ ઉપર આરૂઢ થયા. મસ્તક ઉપર ચૂડામણિની માફક અધિક સુશોભિત થયા. (૮૦) અરિષ્ટનેમિ ઉંચા છકા તથા ચામરોલી સુશોભિત હતા. દશાર્ક ચક્રથી તે સર્વતઃ પરિવૃત્ત હતા. (૮૦૮) ચતુરંગી સેના યથાક્રમે સજાવી હતી. વાધોનો ગગન સ્પર દિવ્ય નાદ થઈ રહ્યો હતો. (૮૦૯) આવા પ્રકારની ઉત્તમ દ્ધિ અને ધતિ સહિત તે વૃષ્ણિ - પંગત પોતાના ભવનથી નીકળ્યો. (૮૧) ત્યાર પછી તેણે વાડો અને પિંજરામાં બંધ કરાયેલ ભયબસ્ત તથા અતિ દુ:ખી પ્રાણીઓને જોયા. (૮૧૧) તે પ્રાણીઓ જીવનના અંતના સન્મુખ હતા. માંસને માટે ખાવાનાર હતા. તેને જોઈને મહાયજ્ઞ અરિષ્ટનેમિએ સારથીને આ પ્રમાણે કહ્યું. (૮૧૨) આ બધાં સુખના અર્થ પ્રાણી શા માટે આ વાડો અને પિંજરામાં સંનિરુદ્ધ કરાયેલા છે . રોકેલાં છે? • વિવેચન ૭૯૭ થી ૮૧૨ - સોળે સૂત્રો પ્રાયઃ પ્રગટાર્થ જ છે. કંઈક વિશેષ આ પ્રમાણે છે - લક્ષણ - ચક્ર, સ્વસ્તિક, અંકુશાદિ અથવા ત્યાગ, સત્ય, શોર્ય આદિ. તેના વડે યુક્ત હોવાથી સજા કહેવાય. તેને બે પત્નીઓ હતી - રોહિણી અને દેવકી. તેમાં રોહિણીનો પુત્ર રામ - બલભદ્ર અને દેવકીનો પુત્ર કેશવ - વાસુદેવ હતો. અહીં રથનેમિની વક્તવ્યતામાં આ તીર્થ કોનું છે? તે જણાવવા પ્રસંગથી ભગવન અરિષ્ટનેમિનું ચરિત્ર જણાવવાનું છે. છતાં તેના વિવાહાદિમાં ઉપયોગી હોવાથી પૂર્વોત્પન્નત્વથી કેશવનું નામ કહ્યું. તેના સહચારી પણાથી સમ - બલભદ્રને પણ કહ્યા. વળી સોરિયપુરનું નામ સમુદ્રવિજય અને વસુદેવની એક અવસ્થિતિ દર્શાવવા માટે છે. દfમા - ઉપશમિત, તેના ઇશ્વર - અત્યંત ઉપશમપણાથી નાયક, તે દમીશ્વર સ્વર અને સૌંદર્ય, ગાંભીર્ય આદિ લક્ષણથી યુક્ત. અથવા લક્ષાણ ઉપલક્ષિત સ્વર તે લક્ષણ સ્વર. ૧૦૦૮ સંખ્યક શુભ સૂચક હાથ આદિના રેખા આદિ-રૂપ ચક્રાદિ લક્ષણ ધારક, કાલકચ્છવિ - શ્યામ ત્વચા વાળા સોદર - મત્સ્યના ઉદર જેવા આકારના ઉદરવાળા યદુના હણાયા પછી અહીંથી દ્વારકાપુરી ગયા. અર્ધભરતાધિપતિ કેશવ• કૃષ્ણએ યૌવનસ્ય અરિષ્ટનેમિ માટે સમુદ્રવિજયના આદેશથી જે કર્યું, તે કહે છે- કેશવે સમિતના પિતા પાસે રાજિમતીની અરિષ્ટનેમિની પત્ની રૂપે યાચના કરી. તે કન્યા કેવી હતી? શ્રેષ્ઠ રાજા ઉગ્રસેનની કન્યા અથવા શ્રેષ્ઠ રાજ કન્યા, જેનો સ્વભાવ સુÇ છે, તેવી સુશીલા, દેખાવમાં સુંદર, વિશેષથી જે દીપે છે તે વિધુત તેવી તે સૌદામિની, વિધુત્સૌદામિની અથવા વિધુત - અગ્નિ, સૌદામિની - વિજળી. બીજા વળી સૌદામિની એટલે “પ્રધાનમણિ” કહે છે. યાયના પછી શું થયું? સમિતીના પિતા ઉગ્રસેને કહ્યું કે વિવાહ વિધિથી હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy