SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૦ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ આપીશ. એમ ઉગ્રસેને તે વાત સ્વીકારી, પછી વિવાહના સમયે જે થયું તે કહે છે - જયા, વિજ્યા, ઋદ્ધિ, વૃદ્ધિ આદિ બધી ઔષધિ વડે અભિષેક કર્યો. કૌતુક - કપાળને મુશલ પર્શનાદિ અને મંગલ- દહીં, અક્ષત, દૂર્વા, ચંદન આદિ, તે કૌતુકમંગલ કર્યા. દિવ્યયુગલ ધારણ કર્યા. અતિશય પ્રશસ્ત અથવા અતિ વૃદ્ધ ગુણો વડે પટ્ટહતિ ઉપર બેઠા. ત્યારે મસ્તક ઉપર મુગટની જેમ શોભતા હતા. ચામરો વડે વીંઝાતા હતા. યાદવસમૂહની પરિવૃત્ત હતા. ચતુરંગિણી - હાથી, ઘોડા, રથ, પદાતિ રૂપ ચાર પ્રકારે અનુક્રમે ચાલી. મૃદંગ પટમ આદિ વાજિંત્રોનો નાદ થતો હતો. તે અતિપ્રબળતાથી ગગન વ્યાપી હતો. અનંતર અભિહિત રૂપ વિભૂતિથી. ધુતિથી અરિષ્ટનેમિ ચાલ્યા. એ રીતે ચાલતા વિવાહમંડપના નીકટના પ્રદેશે પહોંચ્યા. તેની વધુ નીકટ પહોંચતા, મૃગ લાવક આદિ પ્રાણીઓને જોયા. તે પ્રાણીઓ ભયબસ્ત હતા. તે વાડા અને પિંજરામાં ગાઢ પણે નિયંત્રિત હતા. તેથી ઘણા દુ:ખી હતા. તેઓ જીવિતાંત અર્થાત મરણની ઘણાં નીકટ હતા. અથવા જીવનના પર્યન્તવત્ત ભાગે હતા કેમકે માંસ નિમિત્તે તેઓનું ભક્ષણ થનાર હતું અથવા માંસના નિમિત્તે તેમનું પોષણ થતું હતું. તે જોઈને શું થયું? તે ભગવંત અરિષ્ટનેમિની મહતી પ્રજ્ઞા-મનિ, ચુત, અવધિ જ્ઞાન રૂપ, તે મહાપ્રજ્ઞ એ સારથીને - ગંધહતિ ને પ્રવતવનાર મહાવતને અથવા ત્યારે રથમાં બેઠેલા હોય તો તે રથ ચલાવનાર સારથીને પૂછયું - કયા નિમિત્તે આ પ્રાણીઓ રુંધેલા છે, સાદ્ધ હૃદયતાથી ફરી ફરી તે જ ભગવંતના હૃદયમાં થતાં વિપરિવર્તનને જણાવે છે. આ પ્રમાણે ભગવંતે કહેતા - • સૂત્ર - ૧૩ - ત્યારે સારથી એ કહા - આ ભદ્ર પ્રાણીઓ, આપના વિવાહ - કાર્યમાં ઘણાં લોકોને માંસ ખવડાવવાને માટે છે. • વિવેચન - ૧૩ ભગવંતના પ્રશ્ન પછી કહ્યું શું? ભદ્ર એટલે કલ્યાણ વાળા, કુતરા, શિયાળ આદિ કુત્સિત પ્રાણી નહીં. અથવા નિરપરાધીપણાથી “ભદ્ર” કહેલા છે. તમારા વિવાહ - પરિણયન રૂપ પ્રયોજનમાં જમાડવાને માટે. આના વડે પ્રાણીના રુંધનનું પ્રયોજન કહ્યું. ત્યારે ભગવંતે શું કર્યું? • સૂત્ર • ૮૧૪ થી ૮૨૦ - (૮૧૪) અનેક પ્રાણીઓના વિનાશ સંબંધી વચનોને સાંભળીને જીવો પતિ કરણશીલ, મહાપાશ, અરિષ્ટનેમિ ચિંતન કરે છે કે (૮૧) જે મારા નિમિત્તે આ ઘણાં પ્રાણીઓનો વધ થાય છે, તો આ પરલોકમાં મારા માટે શ્રેયસ્કર નહીં થાય. (૮૧૬) તે મહાયશસ્વીએ કુંડલયુગલ, સબક અને બીજા બધાં આભૂષણો ઉતારીને સારથીને આપી દીધા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy