SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર (૫૬) પીવાયેલ કાલકૂટ તિષ, ઉલટુ પકડેલ શસ્ત્ર, અનિયંત્રિત તેતાલ, જેતા વિનાશકારી હોય છે, તેમ જ વિષયવિકાર યુક્ત ધર્મ પણ વિનાશકારી થાય છે. ૧૨ (૫૭) જે લક્ષણ અને સ્વાવિધાનો પ્રયોગ કરે છે, નિમિત્ત શાસ્ત્ર અને કૌતુક કાર્યમાં અત્યંત આસક્ત છે, કુહેટ વિધાઓથી જીવિકા ચલાવે છે, તે કર્મફળ ભોગ સમયે કોઈનું શરણ પામી શક્તા નથી. (૩૫૮) તે શીલ રહિત સાધુ પોતાના તીત જ્ઞાનના કારણે વિપરીત દૃષ્ટિને પ્રાપ્ત થાય છે. ફલતઃ સાધુ પ્રકૃતિવાળા તે સાધુ મુનિધર્મની વિરાધના કરી સતત દુઃખી થઈ નરક તિપર ગતિમાં આવજા કરે છે. (૩૫૯) જે ઔદેશિક, ક્રીત, નિયાગ આદિ રૂપે અલ્પ પણ અનેષણીય આહાર છોડતો નથી, તે અગ્નિ માફક સર્વભક્ષી ભિક્ષુ પાપકર્મ કરીને અહીંથી મરીને દુર્ગતિમાં જાય છે. (૭૬૦) સ્વયંની દુષ્પ્રવૃત્તિ જે અનર્થ કરે છે, તે ગળું કાપનાર શત્રુ પણ કરી શક્તા નથી. ઉક્ત તથ્યને સંયમહીન મનુષ્ય મૃત્યુની ક્ષણોમાં પશ્ચાતાપ કરતા કરતા જાણી શકશે. (૭૬૧) જે ઉત્તમાર્થમાં વિપરીત દૃષ્ટિ રાખે છે, તેની ામણ્યમાં અભિરુચિ વ્યર્થ છે. તેના માટે આ લોફ નથી, પરલોક પણ નથી. બંને લોકના પ્રયોજનથી શૂન્ય હોવાથી તે ઉભય ભ્રષ્ટ નિરંતર ચિંતામાં ઝુઝે છે. (૩૬૨) આ પ્રકારે સ્વચ્છંદ અને કુશીલ સાધુ પણ જિનોત્તમ માર્ગની વિરાધના કરીને એ જ રીતે પરિતાપ કરે છે, જે રીતે ભોગાસક્ત થઈ નિરર્થક શોક કરનારી કુરરી પરિતાપને પ્રાપ્ત થાય છે. • વિવેચન - ૭૫૦ થી ૭૬૨ - અનંતર જ કહેવાનાર બીજી પણ અનાથતા - અસ્વામીતા, કે જેના અભાવે હું ‘નાથ' થયો, તે કહે છે હે રાજન! તે અનાથતાને તું એકાગ્રમનથી સ્થિર થઈ સાંભળી. તે કઈ છે? નિર્પ્રન્થોનો ધર્મ - આચાર, તે પામવા છતાં પણ તેના અનુષ્ઠાન પ્રત્યે શિથીલ થાય છે. કેટલાંક કાયર - નિઃસત્વી લોકો, જે સર્વથા નિઃસત્ય છે તે મૂળથી જ નિગ્રન્થ માર્ગને સ્વીકારેલ નથી, એમ કહે છે. અથવા આવા નિઃસત્વો સીદાતા પોતાનું કે બીજાનું રક્ષણ કરવાને માટે સમર્થ થતા નથી. આ સીદાવા લક્ષણ રૂપ બીજી અનાથતા છે. સીદાતા એવાની જ અનેક પ્રકારે સ્વરૂપ અનુવાદથી ફળદર્શક સ્પષ્ટતા કરતા કહે છે - જેઓ નિદ્રાદિથી અનિગૃહીત - અવિધમાન વિષય નિયંત્રણ આત્મા તે અનિગ્રહાત્મા. તેથી જ મધુરાદિ રસમાં મૃદ્ધિમાન તેના વડે કર્મ બાંધે છે, તે રાગ દ્વેષ રૂપ બંધન. આયુકાતા - ઉપયોગ પૂર્વક સ્વલ્પ પણ, ઉપકરણને લેતા કે મૂક્તા જુગુપ્સા કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy