SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાર ભ્રમણ કરે છે. ત્યાં જે ભક્ષ્ય તૃણ આદિ અને પાન મળે તેની શોધ કરે છે. • - xપોતાના ભક્ષ્યને નિકુંજોમાં ખાય છે અને સરોવરમાં પાણી પી છે. એ રીતે પરિમિત ભક્ષણ રૂપ ચર્ચા કરીને જ સ્વરૂપથી જ મૃગો રહે છે. - - - આ પાંચ સૂત્રો વડે દષ્ટાંત કહ્યું. એ સૂમો વડે તેનો ઉપસંહાર કહે છે. એ પ્રમાણે મૃગવત સંયમ અનુષ્ઠાન પ્રતિ ઉધત થઈ તથાવિધ આતંક ઉત્પન્ન થાય તો પણ કોઈ ચિકિત્સા પ્રતિ અભિમુખ ન થાય. પણ મૃગની જેમ કોઈ વૃક્ષ નીચે રહે છે. તે એક જ સ્થાને નહીં, પણ કદાચિત ક્વચિત્ અનિયત સ્થાને રહે છે. ઘર વગરના રહે છે. એ પ્રમાણે સાધુ મૃગચર્યાને ચરીને મૃગની જેમ આતંકના અભાવે ભોજન પાનને માટે ગોચરીએ જઈને, તે પ્રાપ્ત ભોજન-પાનથી, વિશિષ્ટ સમ્યગુ જ્ઞાનાદિ ભાવથી શુકલ દયાને આરૂઢ થઈ શેષ કર્મોને દૂર કરી ઉર્ધ્વ દિશામાં જાય છે. અર્થાત્ સર્વોપરી સ્થાને સ્થિત થાય છે. એ પ્રમાણે - x- મૃગની ઉપમાથી મુનિઓ અહીં-તહીં અપ્રતિબદ્ધ વિહારીપણાથી વિચારીને જાય છે. મૃગચર્યાને જ સ્પષ્ટ કરતાં કહે છે - જેમ મૃગ એટલે એકત્ર ભોજન પાન નથી કરતો, એકજ સ્થાને રહેતો નથી પણ સર્વદા ગોચર વડે પ્રાપ્ત આહાર જ આહારે છે તે પ્રમાણે જ મુનિ પણ ભિક્ષાટન માટે પ્રવેશ કર્યા પછી નિકૃષ્ટ અશનાદિ પામતા તેની અવજ્ઞા ન કરે તે તથાવિધ આહાર પામીને પોતાની કે બીજાની નિંદા ન કરે. - અહીં વારંવાર મૃગનું ષ્ટાંત પ્રાયઃ તેમના પ્રશમ પ્રધાનત્વથી અપાય છે. તેમ સંપ્રદાય છે. એ પ્રમાણે મૃગચર્યાનું સ્વરૂપ કહ્યું, ત્યારે પિતાએ શું કહ્યું? પિતાના વયન પછી તેણે શું કર્યું? • સૂત્ર - ૬૯૮ થી ૦૧ - (૬૯૮) “હું મૃગચયથી ચરીશ.” હે ગુનો “જેમ સુખ ઉપજે તેમ કરો.” આ પ્રમાણે માતા-પિતાની અનુમતિ પામીને, તે પરિગ્રહને છોડે છે. (૬૯૯) હે માતા તમારી અનુમતિ પામીને સર્વ દુઃખોનો ક્ષય કરનારી મૃગયાને હું આવીશ. હે પુત્રી સુખ ઉપજે તેમ કરે. (૭૦૦) આ પ્રમાણે તે અનેક રીતે માતાપિતાને અનુમતિને માટે સમાજાની મમત્વનો ત્યાગ કરે છે, જે રીતે મા નાગ કાંચળીને છોડે છે. (૦૧) કયા ઉપર લાગેલી ધૂળ માફક તિ, ધન, મિત્ર, પુત્ર, પની અને જ્ઞાતિજનોને ફગાવીને સંયમ યાત્રાને માટે નીકળી ગયો. • વિવેચન - ૯૮ થી ૭૦૧ - ગાથાર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે- મૃગની જેવી ચર્યા- ચેષ્ટા, તે નિષ્પતિકમેતાદિ રૂપને હું ચરીશ. બાલશ્રી મૃગાપુત્ર બોલ્યો. માતા - પિતાએ પણ કહ્યું, તને રુચિ હોય, જેમ સુખ ઉપજે તેમ કર. એમ અનુજ્ઞા મળતા તે દ્રવ્યથી ઉપકરણ, આભરણ આદિનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy