________________
૧૭૪
ઉત્તરાયયન મૂલસૂત્ર-સટીક અનુવાદ રાજા રસમૂર્ષિત થઈ તેમનો વધ કરે છે. તેટલામાં ત્યાં શું થયું તે સૂત્રકારશ્રી કહે છે.
• સૂત્ર - ૫૬૩, ૫૬૪ -
તે કેશર ઉધાનમાં એક તપોધન અણગાર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન હતા, તેઓ ધર્મધ્યાનને હાવી રહ્યા હતા.
આશ્રયનો ક્ષય કરનારા તે લતામંડપમાં દાન કરી રહ્યા હતા. તેમની સમીપે આવેલ હરણનો તે રાજાએ વધ કરી દીધો.
૦ વિવેચન - ૫૬૩, ૫૬૪ -
પછી કેશર ઉધાનમાં અનગાર તપોધન સ્વાધ્યાય - અનુપ્રેક્ષાદિ ધર્મધ્યાનાદિ વડે ગુફત, યથાકાળ તેના આસેવનપણાથી સહિત, તેથી જ આજ્ઞાવિચય આદિ ધર્મધ્યાનને ચિંતવે છે. ક્યાં? વૃક્ષાદિ આકીર્ણઆસી- વૃક્ષ, ગુલ્મ, લતાથી ઢંકાયેલા મંડપ - નાગવલ્લી આદિ સંબંધી, તેમાં રહીને ધર્મ ધ્યાન કરે છે. કર્મબંધના હેતુ એવા આશ્રયનો ક્ષય કરીને રહેતા તે અણગારની સમીપે આવેલા મૃગને સંજય નામના રાજાએ હચ્યું. આ જ અર્થને નિયંતિકાર વિશેષથી કહે છે -
- નિર્યુક્તિ - ૩૯૭ + વિવેચન -
કેશર ઉધાનમાં ગર્દભાલિ નામે અણગાર આસ્તીર્ણ મંડપમાં હિંસાદિ દોષોને ખપાવીને ધ્યાન કરતા હતા. પછી ત્યાં શું થયું?
• સૂત્ર - ૫૫ -
અશ્વારૂઢ રાજ જલ્દી ત્યાં આવ્યો, મૃત હરણ ને જોઈને તેણે ત્યાં એક તરફ ધ્યાનરત અણગારને જોયા.
વિવેચન - ૫૬૫ - પછી અશ્વ ઉપર બેઠેલો રાજા સંજય શીધ્ર ત્યાં આવીને, જે મંડપમાં તે મુનિરાજ ધ્યાન કરતા હતા, ત્યાં વિનાશીત મૃગને જ, અણગારને નહીં જોઈને પછી તે જ સ્થાને રહેલા સાધુને જોયા. પછી તેણે શું કર્યું?
• સૂત્ર - પ૬૬ થી ૫૬૯ -
રાજા મુનિને જોઈને સહસા ભયભીત થઈ ગયો. તેને થયું કે હું કેટલો મંદપુન્ય, સમૃદ્ધ અને હિંસક છું, મેં વ્યર્થ મુનિને આહત કા.
ઘોડાને છોડીને તે રાજાએ વિનયપૂર્વક આણગારના ચરણોમાં વંદન કરીને કહ્યું - ભગવાન ! મને આ સાપરાધ માટે ક્ષમા કરો.
તે અણગાર ભગવંત મનપૂર્વક ધ્યાનમાં લીન હતા. તેમણે રાજાને કંઈ ઉત્તર ન આપ્યો. તેથી રાજ વધારે ભયાક્રાંત થયો.
ભગવના હું સંજય છું આપ મારી સાથે કંઈક તો બોલો. હું જાણું છું કે ફુઇ અણગાર પોતાના તેજથી કરોગે મનુષ્યને બાળી દે છે.
• વિવેચન - પ૬૬ થી પ૬૬ - રાજા, મુનિના દર્શનથી ભય વ્યાકુળ થઈ ગયો. કેમકે મુનિ થોડા પણ આહત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org