SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ કેવળ અનિવેશધારી છે, શ્રેષ્ઠ મુનિઓમાં નિકૃષ્ટ છે. આ લોકમાં વિષની જેમ નિંદનીય થાય છે. તે નથી આ લોકનો રહેતો - નથી પરલોકનો રહેતો. જે સાધુ આ દોષોને સદા દૂર કરે છે, તે મુનિઓમાં સતત થાય છે. તે આ લોકમાં અમૃતની સમાન પૂજય છે, તેથી તે આલોક અને પરલોક બંનેમાં આરાધક થાય છે. તેમ હું કહું છું. • વિવેચન - પ૫૮, ૧૫૯ - પંચ સંખ્યક કુશીલ શીલ જેમનું છે તે પાર્થસ્થાદિ તે પંચકુશીલ. તેની જેમ અસંવૃત - અનિરુદ્ધ આશ્રય દ્વાર, હરણાદિ વેશધારક માત્ર, અતિ પ્રધાન તપસ્વી મુનિમાં અધોવત અર્થાતુ અતિ ધન્ય સ્થાનકવર્તીત્વથી નિકૃષ્ટ છે. હવે આનું ફળ કહે છે - આ જગતમાં ઝેરની જેમ નિંદિત, પ્રતિજ્ઞાભ્રષ્ટ અને સામાન્ય લોકોમાં પણ નિંદિત થાય છે. તે કારણે તે આલોકમાં કે પરલોકમાં કોઈ ગુણનું ઉપાર્જન કરતો નથી. - x-. જે ઉક્તરૂપ દોષોનો સદૈવ પરિત્યાગ કરે છે, કયા દોષોનો? યથાસુખ વિહાદિ પાપ અનુષ્ઠાન રૂપનો, તે તથાવિધ નિરતિચારપણાથી પ્રશસ્ય વ્રત વાળો થાય છે. ભાવમુનિત્વથી તે મુનિઓ મધ્યે ગણના પાત્ર થઈ આ લોકમાં અમૃતની જેમ પૂજિત થાય છે. બંને લોકમાં તે અતિ પ્રતીતપણાથી પ્રત્યક્ષ કહેવાય છે. તે કારણે પાપવર્જન જ કરવું જોઈએ. --, મનિ દીપરત્નસાગરે કરેલા આધ્યયન - ૧૩ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy