SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ અધ્ય. ૧૬ ભૂમિકા હું અધ્યયન - ૧૬ “બ્રહ્મચર્ય સમાધિ સ્થાન” છે. ૦ પંદરમું અધ્યયન કહ્યું, હવે સોળમું કહે છે, તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં ભિક્ષના ગુણો કહ્યા. તે તાવથી બ્રહ્મચર્યમાં રહેલાને હોય છે, તે પણ બ્રહ્મ ગુપ્તિના પરિજ્ઞાનથી હોય, તેથી તેને અહીં જણાવે છે. એ સંબંધે આવેલા અધ્યયનના • ૪- નામ નિક્ષેપમાં “દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાન” નામ છે. તેથી દશ આદિ પાંચે પદોનો નિક્ષેપ કરવો જોઈએ. તેમાં એકના અભાવમાં દશ - ન સંભવે. તેથી એકનો નિક્ષેપ કહે છે - નિર્યુક્તિ - ૩૭૯ + વિવેચન • નામ, સ્થાપના, દ્રવ્ય, માતૃકાપદ ઇત્યાદિ, આનો અર્થ ચતુરંગીય અધ્યયનમાં કહેલો જ છે, આના અનુસાર બે આદિનો નિક્ષેપ સુગમ છે. તેથી તેની ઉપેક્ષા કરીને દશનો નિક્ષેપ કહે છે - • નિર્યુક્તિ - ૩૮૦ + વિવેચન - દશના નિક્ષેપમાં છ ભેદો જાણવા. તે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી છે. તેમાં પહેલા બે સુગમ છે. દ્રવ્ય વિષયમાં દશાને વિચારતા દશ પ્રદેશના પરિમાણને જાણવું, તે દશ પ્રદેશિક સ્કંધ કહેવાય છે. કેમકે તે દશ પરિમાણ દ્રવ્યથી નિષ્પન્ન થાય છે. તથા સ્કંધની અવગાહનામાં વિચારતા ક્રમથી દશ પ્રદેશ અવગાઢ ક્ષેત્ર તે દશ કહેવાય, સ્થિતિમાં દશસમય સ્થિતિક તે જ કાળદશ કહેવાય. - •પર્યાય દશ સંખ્યત્વથી વિવસિત ભાવદશ ક્ષયમાં જે પર્યાય છે તે કહે છે. જેમકે જીવ પર્યાયની વિવક્ષામાં કષાય આદિ, અજીવ પર્યાય તે પુગલ સંબંધી વણદય છે. • નિર્યુક્ત • ૩૮૧,૩૮૨ • વિવેચન બ્રહ્મ • નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી ચાર ભેદે નિક્ષેપ છે. તેમાં જેનું ‘બ્રા' નામ છે, તે નામ બ્રહ્મ. સ્થાપના બ્રહ્મ તે બ્રાહમણોની ઉત્પત્તિ કથન, જે આચારાંગમાં કહેલ છે. દ્રવ્યમાં ઉપસ્થનો નિરોધ માત્ર મિથ્યાષ્ટિને દશ હાયર્ય સમાધિ સ્થાનનાં બોધ શૂન્યને બ્રહ્મના પ્રતિજ્ઞાતવ્ય જાણવા. ભાવમાં ફરી વિચારતા ઉપસ્થનો નિરોધ જાણવો. ફોના સંબંધી? તે બ્રહ્મના રક્ષણ પ્રયોજનને માટે વિવિક્તા શયન, આસેવનનું સેવન આદિ. - - - તે ચરાનો નિક્ષેપ કહે છે - • નિયુક્તિ - ૩૮૩ - વિવેચન ચરણના વિષયમાં છ પરિમાણ ઉક્તરૂપ નિક્ષેપ છે. તેમાં નામ અને સ્થાપનાનો અર્થ કહેવાયેલ છે. દ્રવ્યમાં ગતિરૂપ ચરણ તે ગતિચરણ - ગ્રામ આદિ ગમન રૂપ. ભક્ષણ યરાણ - ૪ - ચરણ શબ્દનો ગતિ અને ભક્ષણ બંને અર્થ થાય છે. ભાવમાં મૂળગુણ અને ઉત્તરગુણ રૂપ સેવન. હવે સમાધિ નિક્ષેપ કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy