SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ ૧૪/૪૬૮૪૬૯ પરંતુ કોઈને મૃત્યુ સાથે મૈત્રી નથી, તેના આભાવ જ્ઞાનથી પલાયન થઈ શક્તા નથી. તેથી આજે જ યતિ-ધર્મનો સ્વીકાર કરીશું. તે જ ફળની ઉપમાના દ્વારથી દશર્વેિ છે - આ ધર્મને સ્વીકારીને ફરી જન્મ લેવો નહીં પડે, કેમકે તેના નિબંધન રૂપ કર્મો દૂર થયા છે, આ જરા મરણાદિના અભાવ યુક્ત છે. આ મનોરમ વિષય સુખ આદિ અનાદિ સંસારમાં પૂર્વે ઘણી વાર પ્રાપ્ત કર્યા છે. તેને માટે ઘેર રહેવું યુક્ત નથી. અથવા આગતિ સહિત બીજું કંઈ નથી. કેમકે આનું અવસ્થન ધ્રુવભાવિપણે છે. જ્યાંથી પાછું આવવું ન પડે તેવું બીજું કોઈ સ્થાન નથી. તેથી આલોક-પરલોકમાં શ્રેય પ્રાપ્તિ નિમિત્ત અનુષ્ઠાનની જ શ્રદ્ધા આપણે કરવી યુક્ત છે. તેથી સ્વજનની આસક્તિ રૂપ રાગને દૂર કરીએ, કેમકે તત્ત્વથી કોણ કોનું સ્વજન છે અથવા નથી. - - ૪ - તેના વચન સાંભળીને પુરોહિત વ્રતગ્રહણ પરિણામ ઉત્પન્ન થતા, બ્રાહ્મણીને ધર્મવિજ્ઞાકારણિ માનીને આમ કહે છે - • સૂત્ર - ૪૨૦, ૪૧ - હે વારિષિા પત્રો વિના જ ઘરમાં મારો નિવાસ થઈ શકશે નહીં, ભિક્ષારયનો ફાળ આવી ગયો છે. વૃક્ષ શાખાથી જ સુંદર લાગે છે. શાખા કપાઈ ગયા પછી તે માત્ર ઠંડું કહેવાય છે. પાંખ વિનાના પક્ષી, યુદ્ધમાં સેના સહિત રાજ, જહાજ ઉપર ધન સહિત વ્યાપારી મ યાસહાય ોય છે, તેમ જ પુત્રો વિના હું અસહાય છું. • વિવેચન - ૪૦, ૪૭૧ • પ્રહીણપુત્ર જેનાથી બંને પુત્રો દૂર થયાં છે તે. અથવા પત્રથી ત્યજાયેલો એવા મને ઘરમાં રહેવું નહીં ગમે, હે વાણિષ્ટિા વશિષ્ટ ગોત્રમાં ઉત્પન્ન થયેલી! હવે ભિક્ષા ગ્રહણ, ઉપલક્ષણથી વ્રત ગ્રહાણનો કાળ આવી ગયો છે. એ પ્રમાણે કેમ? જેમ વૃક્ષ શાખા વડે જ સ્વાથ્ય પામે છે. છેદાયેલી શાખા વડે તે જ વૃક્ષને લોકો ઠુંઠા રૂપે ઓળખે છે. કેમકે શાખાઓ જ તેના શોભા સંરક્ષણમાં સહાયક હોવાથી વૃક્ષ માટે સમાધિનો હેતુ છે, એ પ્રમાણે મને પણ આ બંને નો સમાધિનો હેતુ છે, તેમના વિના હું પણ ઠુંઠા સમાન જ છું. તેમના વિના ઘેર રહીને શું? પક્ષ - પડતાં ને રક્ષણ રૂપ તે પાંખો, તેનાથી રહિત અર્થાત્ જેમ આ લોકમાં પક્ષીઓ પાંખો વિના પલાયન થવા અસમર્થ હોવાથી બિલાડા આદિથી અભિભૂત થઈ જાય છે. તથા જે પ્રમાણે પદાતી સૈન્ય રહિતનો સજા સંગ્રામમાં ભુજનોથી પરાજિત જ થાય છે. તથા જેમ હિરણ્ય, રન આદિ જેના વિનાશ પામ્યા છે તેવા વસિર્ફ - સાંયાત્રિક વહાણ ભાંગી જતા થઈ જાય છે અને સમુદ્ર મધ્યે વિષાદ પામે છે. તેમાં હું પુત્રથી ત્યજાતા થઈ જઈશ. ત્યારે વાશિષ્ટીએ કહ્યું - • સૂત્ર - ૪૨ - સુસંગૃહીત કામભોગ રૂપ પર વિજયરસ જે આપણને પ્રાપ્ત થયેલ છે, તેને પહેલાં ઇચ્છાનુરૂપ ભોગવી લઈને ત્યારપછી આપણે મુનિ ધર્મના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy