SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ જે જે રાત્રિઓ જઈ રહી છે, તે ફરી પાછી આવતી નથી. ધર્મ કરનારાની રાત્રિઓ સફળ થાય છે. ૧૪. ♦ વિવેસન ૪૬૫, ૪૬૬ જે જે રાત્રિઓ, ઉપલક્ષણથી દિવસ પણ જાય છે, તે ફરી પાછા આવતા નથી. તેના આગમનમાં જ સર્વદા, તે એક જન્મરાત્રિ થાય, પછી બીજી મરણ રાત્રિ ક્યારેય પ્રગટ થતી નથી. તેમાં જે પ્રાણીઓ અધર્મ કરે છે, તેમની સત્રિઓ નિષ્ફળ જાય છે. આયુષ્યના અનિત્યપણાથી અધર્મ કરવામાં ગૃહસ્થને તે અધર્મ નિબંધન છે. તેના નિષ્ફળ પણાથી તેનો પરિત્યાગ જ શ્રેયસર છે. - આનાથી વ્યતિરેક દ્વારમાં પ્રવજ્યા સ્વીકારવાનો હેતુ જણાવીને તેનો જ અન્વય કહે છે, તે જ રાત્રિમાં જે ધર્મ કરે છે. તેનું ધર્મ લક્ષણ ફળ ઉપાર્જિત થવાથી, તેની રાત્રિ સફળ છે, વ્રતના સ્વીકાર વિના ધર્મ નથી, તેથી અમે વ્રતનો સ્વીકાર કરીશું, તમ કહેવા માંગે છે. વચનથી આવિર્ભૂત સમ્યકત્વ, તેના જ વચનને પુરસ્કૃત આ પ્રમાણે કુમારના કરતાં ભૃગુ કહે છે - - • સૂત્ર - ૪૬૭ • હે પુત્રો! પહેલાં આપણે બધાં કેટલોક સમય સાથે રહીને પછી સમ્યકત્વ અને વ્રત યુક્ત થઈએ. પછી પાછળી વચમાં દીક્ષિત થઈને ઘેરઘેર ભિક્ષા ગ્રહણ કરતાં વિચરીશું. • વિવેચન - ૪૬૭ . એક સ્થાને આપણે સાથે વસીને, કોણ કોણ? તમે બે બાળકો અને અમે બે પતિ-પત્ની એમ ચારે. સમ્યકત્વ - તત્ત્વચિ રૂપથી સહિત, ઉપલક્ષણથી દેશવિરતિ વડે, ચૌવનના ઉત્તર કાળે - પાછલી વયમાં આપણે ગામ - નગરાદિમાં માસકલ્પથી ભ્રમણ કરીશું અર્થાત્ પ્રવ્રજ્યા લઈને ભિક્ષાદિની ચાયના કરતા ઘેર-ઘેર અર્થાત્ એક જ ઘરમાં નહીં અજ્ઞાતવૃત્તિથી ભિક્ષા કરીશું - ત્યારે બંને કુમારો બોલ્યા - • સૂત્ર - ૪૬૮, ૪૬૯ જેની મૃત્યુ સાથે મૈત્રી છે, જે મૃત્યુ આવવાથી પલાયન થઈ શકે છે અથવા જે જાણે છે કે હું ક્યારેય મરીશ નહીં, તે જ આવનારી કાળની આકાંક્ષા કરી શકે છે. આપણે આજે જ રાગને દૂર કરીને શ્રદ્ધાથી યુક્ત મુનિધર્મનો સ્વીકાર કરીશું, જે પાર્ટીને ફરી આ સંસારમાં જન્મ લેવાનું થતું નથી. આપણે માટે કોઈ પણ ભોગ અમુક્ત નથી. કેમકે તે અનંતવાર ભોગવેલ છે. ♦ વિવેચન ૪૬૮, ૪૬૯ જે કોઈને મૃત્યુ - અંતકાળ સાથે મિત્રતા છે, મૃત્યુથી જે નાસી શકે છે, થવા જે જાણે છે કે હું મરીશ નહીં, તેજ આ આગામી દિવસે કરીશું તેવી પ્રાર્થના કરે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org ·
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy