SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ ભણેલાં પૅદો કંઈ શરણ રૂપ થતાં નથી. તેના ભણવા માત્રથી દુર્ગતિમાં પતનથી રક્ષણનો હેતુ અસિદ્ધ છે. - ૮ - ૪ - ૪ -. બ્રાહ્મણોને જે ભોજનની વાત, તે પણ અજ્ઞાનથી અંધકાર વધારનારી, નરક તુલ્ય છે. કેમકે બ્રાહ્મણો પણ કુમાર્ગની પ્રરૂપણા, પશુવધ આદિમાં કપચય નિબંધન અસત વ્યાપારમાં પ્રવર્તે છે. આવા અસતમાં પ્રવર્તતાને જે ભોજન તે નરક ગતિના હેતુપણે જ છે. આના વડે તેમના નિતારકપણાંને દૂર કર્યું છે. વળી ઉત્પન્ન કરેલા પુત્રો પણ નરકાદિમાં ગતિમાં જતાં તમને શસણ રૂપી થવાના નથી. કેમકે તમારા મનમાં જ કહેવું છે કે - “જી પત્રોથી જ સ્વર્ગ મળતો હોય તો દાન ધર્મનું અસ્તિત્વ જ રહેશે નહીં. - ૮ - X - X-. આ પ્રમાણે અનંતર ત્રણ ઉપદેશ કહ્યા • વેદ અધ્યયનાદિ, ભોગો ભોગવો, એ ચોથા ઉપદેશનો ઉત્તર આપતાં કુમારે કહે છે - તે ભોગો ક્ષણમાત્રને માટે સુખ આપનારા છે. પછી ઘણો કાળ માટે નરકાદિ શારીરિક - માનસિક દુઃખોને આપનારા છે. કદાચ સ્વલ્પ કાળ માટે અતિશય સુખ આપનારા થાય અને દુઃખ પણ અન્યથા સ્વા કાળ માટે જ આપે, તો પણ તે બહુકાળ ભાવી દુ:ખના નિમિત્ત રૂપ બને છે. તે અતિશય દુ:ખને દેનારા હોવાથી “પ્રકૃષ્ટસખા' કહ્યા છે. તેથી સંસાર થકી મોક્ષ - વિશ્લેષ જ શુભ ફળ આપશે. અને તેના વિપક્ષો તે પ્રતિબંધક્તાથી અત્યંત પ્રતિકૂળ છે. તે કામ ભોગોને આવા કેમ કહ્યાં? ખાન - આકર, ખાણ. કોની? અનર્થોની, આલોક અને પરલોકમાં દુઃખની પ્રાપ્તિ કરાવવા ૩૫. આવી ખાણ જ કામ ભોગોને કહી તે વિશેષ સ્પષ્ટ કરતાં કહે છે - વિષય સુખના લાભાર્થે અહીં-તહીં ભમતા, અનિવૃત્તકામ' થઈ રાત્રિ-દિવસ તેની પ્રાપ્તિમાં ચોતરફથી ચિંતા અગ્નિ વડે બળતા, બીજા જે સુહત - સ્વજનાદિ અથવા ભોજનાદિના માટે પ્રમાદી બને છે. ધનને વિવિધ ઉપાયોથી ગવેષતા તે પુરુષો વચની હાનિ રૂપ જરાને અથવા પ્રાણ ત્યાગ રૂપ મૃત્યુને પામે છે. મારી પાસે જત રૂપ્ય આદિ છે, મારી પાસે પદ્મરાગાદિ નથી. હજી મારે ગૃહ પ્રાકારાદિ કરવાના છે, આ અકૃત્ય આરંભેલી છે, વાણિજ્યાદિ કરવા ઉચિત નથી. એ પ્રમાણે તે પુરુષ વૃવા જ અતિ વ્યક્તવાચાથી બોલતો આયુ વડે હરણ કરાઈ જાય છે. હર - દિવસ સત્ર આદિ કે વ્યાધિ વિશેષથી, હરન્તિ - જન્માંતરમાં લઈ જાય છે. હવે ઉપસંહાર કરતા કહે છે :- હેતુથી - ધર્મમાં કયા પ્રકારે અનુધમ કરવો ઉચિત છે? ધે તે બંનેને ધનાદિથી લોભાવવા પુરોહિત કહે છે - • સત્ર - ૫૭. જેની ખાસિને માટે લોકો તપ કરે છે, તે વિપુલ ધન, સીઓ, સ્વજનો અને ઉદ્રિયોના મનોજ્ઞ વિષસભોગ - તમને અહીં જ સ્વાધીન રૂપથી પ્રાપ્ત છે. (પછી ભિક્ષુ શા માટે બનો છો). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy