SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ વિવેચન • ૪૪૭ -- તે બંને પુરોહિતપુત્રો મનુજ સંબંધી અથવા દેવ સંબંધી કામ ભોગોમાં સંગને ન કરતા, મુક્તિની અભિલાષા વાળા, તત્ત્વરૂચિ ઉત્પન્ન થઈ છે તેવા, તેઓએ પિતાની પાસે આવીને આ પ્રમાણે કહ્યું - તે બંને પુત્રોને સાધુના દર્શન પછી આપણે આવું રૂપ પૂર્વે ક્યાં જોયેલ છે? એમ વિચારતા જાતિ મણ ઉત્પન્ન થયું. તેથી વૈરાગ્ય જન્મતા પ્રવજ્યાર્થે અભિમુખ થઈ આત્માને ઉચ્ચ ગુણ સ્થાન કે લઈ જવા અને માતા-પિતાને પ્રતિબોધવા હક્કે કહેવાશે તે કહ્યું તેઓ જે બોલ્યા તે કહે છે - • સૂત્ર • ૪૪૮ - આ જીવનની આશાશ્વતતાને સામે જોઈ છે, તે ઘણાં અંતરાયવાળ છે, આય પણ દીર્ધ નથી. તેથી ઘરમાં અમને કોઈ આનંદ મળતો નથી. આપની અનુમતિથી અને મુનિવમનું કારણ કરીશું. • વિવેચન - ૪૪૮ - આશાશ્વત - અનિત્ય જોઈને, શું? આ પ્રત્યક્ષ વિહરણ એટલે મનુષ્યપણે અવસ્થાન, એવું કેમ? ઘણાં જ વિનો, વ્યાધિ આદિ જેમાં છે તેવું બહુ અંતરાયમાં પણ કદાય લાંબું રહેવાનું હોય તો? તેથી કહે છે - જીવિત દીર્ઘકાળ નથી, હાલ પલ્યોપકા આયુષ્કતાનો પણ અભાવ છે, તેથી બધું અનિત્ય છે, તેથી ઘરમાં ધૃતિ પામતા નથી. તેથી અમે પૂછીએ છીએ કે અમે મુનિભાવ - સંયમનું આચરણ કરીએ? એ પ્રમાણે તે બંનેએ કહેતા - • સૂત્ર - ૪૪૯, ૪૫૦ - આ સાંભળીને પિતાએ તેમની તપસ્યામાં બાધાકર આ વાત કરી - વેદોના જ્ઞાતા કહે છે કે “આપત્રિકોની ગતિ થતી નથી. હે પુત્રો પહેલાં વેદોનું અધ્યયન કરો, બ્રાહ્મણોને ભોજન આપો, વિવાહ કરી અને સાથે ભોગો ભોગવો. પછી પુત્રોને ઘરનો ભાર સોંપી રહવાસી પ્રશસ્તિ મુનિ બનશે. • વિવેચન - ૪૪૯, ૪૫૦ - ત્યાર પછી સંતાનને કરે અને પાળે, સર્વ આપત્તિથી રક્ષે તે તાત. તે સંનિવેશમાં કે અવસરમાં ભાવથી સ્વીકારેલ મુનિ ભાવવાળા તે બંને કુમારોને અનશનાદિ તપ અને સર્વે સદ્ધમનુષ્ઠાનમાં બાધા કરતાં વચનો કહ્યા. શું કહ્યું - વેદવિદો આવું પ્રતિપાદન કરે છે કે - અવિધમાન પુત્ર વાળાને પરલોક પ્રાપ્ત થતો નથી. કઈ રીતે? પુત્રો વિના પિંડ પ્રદાનના અભાવે ગતિ ન થાય. - * - *- અપુત્રની ગતિ નથી, વગતો છે જ નહીં, ગૃહીધર્મ આદરીને જ વર્ગે જવાશે. આમ હોવાથી હે પુત્રો ! ઋગવેદાદિ ભાણીને, બ્રાહ્મણોને જમાડીને, પત્રોને કલા અને પત્ની ગ્રહણ કરાવીને ગૃહસ્થ ધર્મમાં સ્થાપીને તે પુત્રો પણ ઘેર જન્મેલા, માંગેલા નહીં. અથવા તે પુત્રોને સ્વામીપણે ઘરમાં સ્થાપીને, હે પુત્રો શબ્દાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy