________________
૧૦
૧૨૩૯૫ દેવોએ કરી. દિવ્યા - શ્રેષ્ઠ, અથવા દિવિ - આકાશમાં, ત્યાં જ બીજે નહીં - x x
વસુ - દ્રવ્ય, તેની ધારા - સતત પડવા રૂપ અર્થાત્ વસુધારાની સંતતિ, તેની વૃષ્ટિ કરી. કોણે? દેવોએ. પ્રકર્ષથી હતા- તાડિતત પ્રહતા, તે શું? દંભી. ઉપલક્ષણાથી બાકીના વાધો. કોણે વગાડ્યા? દેવોએ. તથા તેઓએ જ આકાશમાં - અહો! વિસ્મયમાં અર્થાત આ દાન વિસ્મયનીય છે, બીજો કોણ છે ? જે આ પ્રમાણે દાન દેવાને સમર્થ છે. એ પ્રમાણે દીધું તે સુદત્ત છે.
તે બ્રાહ્મણો પણ વિમિત મનથી આમ કહે છે - • સૂત્ર - ૩૯૬ -
પ્રત્યક્ષમાં તપની જ વિશેષતા દેખાઈ રહી છે, જતિની કોઈ વિશેષતા દેખાતી નથી. જેની આવા પ્રકારની મહાન ગઢિ છે, તે મહાનુભાગ હરિકેશ મુનિ ચાંડાલપુત્ર છે.
• વિવેચન - ૩૯૬ -
સાક્ષાત્ - પ્રત્યક્ષ, ખુ - નિશ્ચિત, તેથી આ સાક્ષાત્ જ દેખાય છે - અવલોકાય છે. આ કોણ છે? રાપ - લોક પ્રસિદ્ધ વ્રત-ઉપવાસાદિ, તેનું વિશિષ્ટત્વ, માહાભ્ય તે તપોવિશેષ, જાતિ માહામ્ય કંઈપણ દેખાતું નથી. એમ કેમ કહ્યું? આ ચાંડાલપુત્ર હરિકેશ છે, તે માતંગપણાથી પ્રસિદ્ધ પણે છે અને યતિપણાથી સાધુ હોવાથી “હરિકેશ સાધુ છે તે અહીં જુઓ.
કદાચિત બીજી કોઈ ક્યારેક આશી કહે છે - જેની આ દૃશ્યમાન રૂ૫ આવી હદ્ધિ - દેવ સંનિધાન રૂપ સંપત્તિ મહાનુભાગ છે - સાતિશય માહારા છે. જાતિ વિશેષ છતાં સર્વોત્તમપણે બ્રાહ્મણ જાતિની જેમ અમારા દેવતા પણ વૈયાવચ્ચ કરે છે, એવો ભાવ છે.
હવે તે જ મુનિ તેમને ઉપશાંત મિથ્યાત્વ મોહનીય ઉદયવાળાની જેમ જોતા આ પ્રમાણે કહે છે.
• સૂત્ર - ૩૯૭ •
બ્રાહ્મણો ! આનિનો સમારંભ કરતા એવા તમે બહારથી જળથી શુદ્ધિ કરવા ઇચ્છો છો ? જે બહારથી શુદ્ધિને શોધે છે, તેને કુશળ પુરુષ સુષ્ટ કહેતા નથી.
• વિવેચન : ૩૯૭ •
કિમ - આ યુક્ત નથી. જે બ્રાહ્મણો અગ્નિના સમારંભથી અર્થાત યજ્ઞ કરણમાં પ્રવર્તમાન કે યાગ કરતાં, જળ વડે બાહ્ય શુદ્ધિ - નિર્મળતા કરવાને ઇચ્છે છે. * * * - અહીં શો ઉપદેશ કરે છે? જે તમે બાહ્ય હેતુક વિશુદ્ધિ શોધી રહ્યા છો, તે સુદષ્ટ સારી રીતે પ્રેક્ષિત નથી, તેમ કુશલો, તત્ત્વવિચાર પ્રતિ નિપુણો પ્રતિપાદિત કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org