________________
૯ ૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ પરિપૂર્ણ રહે છે, તેમજ બહુચુત રાક્ષવજ્ઞાનથી પરિપૂર્ણ રહે છે.
• વિવેચન - ૩૫ -
જેમ સ્વયંભૂરમણ નામક સમુદ્ર અક્ષય - અવિનાશી જળયુક્ત છે, વિવિધ પ્રકારના મરકત આદિ રત્નોથી ભરેલો હોય તેમ બહુશ્રુત પણ અક્ષય સમ્યમ્ જ્ઞાનરૂપ જળથી ભરેલ અને વિવિધ અતિશય રત્નાવાળા હોય છે. અથવા અક્ષત ઉદયવાળા હોય. હવે ફળદર્શનથી તેનું માહાભ્ય કહે છે -
• સૂત્ર - ૨૫૮ -
સમુદ્ર સમાન ગંભીર, રસવ, અવિચલિત, અરાજીવ, વિપુલ સુતજ્ઞાનથી પરિપૂર્ણ ગાતા એવા બહુશ્રુત મુનિ કમનો ક્ષય કરી ઉત્તમ ગતિ પામે.
• વિવેચન - ૩પ૮ -
ગાંભીર્ય - જેનો મધ્યભાગ લબ્ધ નથી તેવો - સમુદ્ર, દુઃખે કરીને આશ્રય થાય તેવો, ત્રાસિત, દુષ્પર્ઘષક છે, તેમ બહુશ્રુતો આગમથી પૂર્ણ, અંગ - અનંગ આદિ ભેદથી વિસ્તીર્ણ, રક્ષણહાર હોય છે. ધે તેને ફળથી વિશેષિત કરે છે. જ્ઞાનાવરણ આદિ કર્મોનો વિનાશ કરીને મુક્તિ નામે ઉત્તમા ગતિ પ્રાપ્ત થાય છે. - * - -
બહુશ્રુતની ગુણવર્ણનરૂપ પૂજા જણાવીને કહે છે - • સૂત્ર - ૩૫૯ -
ઉત્તમાર્થ ગdષક મુનિ શ્રતનો આશ્રય લે જેનાથી તે પોતે અને બીજાને પણ સિદ્ધિ અપાવી શકે તેમ હું કહું છું.
• વિવેચન - ૫૯ -
જેથી બહુશ્રુતના આ ગુણો મુનિગમન સુધીના છે, તેથી અગમ અધ્યયન શ્રવણ ચિંતનાદિથી આશ્રયે. ઉત્તમાર્ચ - મોક્ષની ગવેષણા કરે. તે શ્રતના આશ્રયથી પોતાને અને બીજા તપસ્વી આદિને - x- મુક્તિગતિ પ્રાપ્ત કરાવે છે, તેમાં કોઈ સંદેહ નથી. • ** **
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૧૧ નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org