________________
૧૧3૪૧ જે જેના ઉપધાન કહ્યા, તેથી અન્યથા ન ભણે, ન સાંભળે. પ્રિયંકર - અનુકૂળ કરે છે. ક્યારેક કોઈક અપકાર કરે તો પણ પ્રતિકૂળ આચરણ ન કરે પણ પોતાના કર્મોનો જ દોષ વિચારે તેથી જ પ્રિયવાદી બને, કોઈ અપ્રિય બોલે તો પણ પ્રિય જ બોલવાના સ્વભાવવાળો. અથવા આચાર્યાદિને અભિમત આહારાદિ વડે અનુકૂલકારી, આચાર્યના અભિપ્રાયને અનુવર્તીને બોલે તે પ્રિયવાદી. તેમાં શો ગુણ છે ? શિક્ષા – શાસ્ત્રાર્થ ગ્રહણ આદિ રૂ૫. તેને પ્રાપ્ત કરવા યોગ્ય થાય છે. આના વડે અવિનીત, આનાથી વિપરીત શિક્ષાને પામવાને યોગ્ય નથી, તેમ કહેલ છે તથા જે શિક્ષાને પામે તે બહુશ્રુત, બાકીના અબહુશ્રુત.
• સૂત્ર - ૩૪ર -
જેમ શંખમાં રાખેલ દુધ પોતાને અને પોતાને આધારના ગુણોને કારણે બંને તરફથી સુશોભિત રહે છે, તે જ રીતે બહુશ્રુત મિલમાં ધર્મ, કીર્તિ અને શ્રત પણ બંને તરફથી સુશોભિત રહે છે.
• વિવેચન - ૩૪૨ -
જેમ શંખમાં રાખેલ દુધ બંને પ્રકારે અર્થાતુ માત્ર શુદ્ધતા આદિ સ્વસંબંધી ગુણ લક્ષણથી શોભે છે તેમાં તે કલુષ થતું નથી, ખટાશ પણ પડતું નથી, સવતું પણ નથી. આ જ પ્રકારે બહુશ્રુત ભિક્ષમાં યતિધર્મ ગ્લાધા તથા ધર્મકીર્તિવતુ આગમ શોભે છે. જો કે ધર્મકીર્તિ શ્રુત નિરૂપલેપતા આદિ ગુણોથી સ્વયં શોભાભાગી છે, તો પણ મિથ્યાત્વાદિ કાલુષ્યના વિગમથી નિર્મલતાદિ ગુણથી શંખની જેમ વિશેષથી શોભે છે. * * - *-ઇત્યાદિ. શેષ સૂત્રાર્થવત્ સમજી લેવું. ફરી બહુશ્રુતને કહે છે -
• સૂત્ર - ૨૪૩ -
જે પ્રમાણે કંબોજ દેશના આક્ષોમાં કંથક ઘોડા જાતિમાન અને વેગમાં શ્રેષ્ઠ હોય છે, તે પ્રમાણે જ બહત શ્રેષ્ઠ હોય છે.
• વિવેચન - ૩૩ -
જે પ્રકારે કંબોજ દેશમાં થયેલાં અશ્વો શીલાદિ ગુણોથી વ્યાપ્ત છે, પ્રધાન છે, વેગવાળા છે. તે પ્રમાણે જિનધર્મને પામેલા વ્રતી કંબોજના અશ્વોની માફક, બીજા ધાર્મિકોની અપેક્ષાએ શ્રુત અને શીલાદિ વડે શ્રેષ્ઠ છે.
• સૂત્ર - ૩૪૪ -
જેમ જાતિમાન અશ્વારૂઢ દેઢ પરાક્રમી શુરવીર યોદ્ધા, બંને તરફ થનારા નાંદીઘોષથી સુશોભિત થાય છે, તેમજ બહુકૃત શોભે છે.
• વિવેચન - ૩૪૪ -
જેમ જાત્યાદિ ગુણયુક્ત અશ્વ ઉપર સમ્યફ રીતે બેસેલો, તે કદાચ કાયર પણ હોય, તેથી કહે છે - શૂર, દેઢ, પરાક્રમ - શરીર સામર્થ્યરૂપ છે તે તથા જમણી અને ડાબી બંને બાજુએ અથવા આગળ અને પાછળ બાર વાજિંત્રોના નિનાદ રૂપ વડે અથવા આશીર્વચન રૂપ નાંદી- “તમે ઘણું જીવો' ઇત્યાદિ, તેના ઘોષથી, બંદિજનોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org