________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
*
અહીં ગોદાન એ યાગાદિનું ઉપલક્ષણ છે. ઘણાં લોકોએ આચરેલ છે એ પ્રમાણે સંયમના પ્રશસ્યત્વને કહીને યોગાદિનું સાવધત્વ અર્થથી બતાવેલ છે. વળી - x પશુવધમાં કઈ રીતે અસાવધતા હોય ? તથા દાનાદિ પણ અશનાદિ વિષયક ધર્મોપકરણ ગોચર છે તે ધર્મને માટે વર્ણવેલ છે. - x - ૪ - બાકીના સુવર્ણ, ગોભૂમિ આદિ પ્રાણીની હિંસાના હેતુપણાથી સાવધ જ છે, ભોગોનું સાવધત્વ સુપ્રસિદ્ધ છે.
તે પ્રમાણે પ્રાણિપ્રીતિ કરવાપણું આદિ અસિદ્ધ હેતુ છે. કેમકે જે સાવધ છે, તે પ્રાણીપ્રીતિકર નથી. જેમ હિંસાદિ સાવધ અને યાગાદિ છે.
* સૂત્ર - ૨૬૯, ૨૭૦
- * - * -
આ અર્થને સાંભળીને દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આમ કહ્યું હે મનુજાધિપ ! તું ગૃહસ્થાશ્રમને છોડીને જે બીજા આશ્રમની ઇચ્છા કરો છો તે ઉચિત નથી. અહીં રહીને જ પૌષધવ્રતમાં અનુરસ્ત રહો.
.
♦ વિવેચન - ૨૬૯, ૨૩૦ -
આ પ્રમાણે જિનધર્મમાં સ્વૈર્યને અવધારીને પ્રવ્રજ્યા પ્રતિ આ દૃઢ છે કે નહીં તેની પરીક્ષા કરવા શક્રએ આ પ્રમાણે કહ્યું - અત્યંત દુનુચર એવા આ આશ્રમ છે, સ્વ-પર પ્રયોજન અભિવ્યાપ્તિથી ખેદ અનુભવે છે, એમ કરીને ગૃહસ્થ ધર્મ, તે જ અલ્પ સત્વવાળાથી દુષ્કરપણે છે તેમ કહ્યું. કેમકે ગૃહસ્થાશ્રમ સમાન ધર્મ ન હતો, ન થશે. તેને શૂર મનુષ્યો પાળે છે. કાયરો પાખંડનો આશ્રય લે છે. તેને છોડીને - ત્યાગ કરીને બીજા કૃષિ પશુપાલન આદિ અશક્ત કાયર જન વડે અતિ નિંદિતની ઇચ્છા કરે છે. કોને ? પ્રવ્રજ્યા રૂપ આશ્રમને.
તમારા જેવાને આ કાયર જેવું આયરણ કરવું ઉચિત નથી.
તો શું ઉચિત છે ? તે કહે છે - આ જ ગૃહાશ્રમમાં રહેવું. પૌષધ ધર્મની પુષ્ટિ કરે તે વ્રત વિશેષ, તેમાં આસક્ત, તે પૌષધરત અર્થાત્ અણુવ્રત આદિ વાળા થાઓ. આનુ ઉપાદાન પૌષધ દિનોમાં અવશ્ય ભાવથી તપ-અનુષ્ઠાન ખ્યાપક છે. - - - માટે હૈ રાજન્ ! અહીં ગૃહસ્થ પદથી હેતુને કહ્યાં, તેથી જે જે ઘોર છે, તે - તે ધર્માર્થીએ કરવું જોઈએ, જેમકે - અનશન આદિ. માટે આ ગૃહાશ્રમને અનુસરવો જોઈએ.
♦ સૂત્ર - ૨૧, ૨૭૨ -
આ અર્થને સાંભળીને *--- નમિ રાજર્ષિએ દેવેન્દ્રને કહ્યું - જે બાળ સાધક મહિને મહિને તપ કરી, પારણે કુશાગ્ર આહારને ખાય છે, તે સમ્યક્ ધર્મની સોળમી કલાને પણ પામી શકતો નથી.
Jain Education International
-
• વિવેચન - ૨૭૧, ૨૭૨ -
મહિને - મહિને એટલે પ્રતિમાસે, મહિને કે પખવાડીયે નહીં, જે કોઈ અવિવેકી પારણે તૃણ માત્ર ખાય, અર્થાત્ જેટલું કુશના અગ્ર ભાગે રહે તેટલું જ ખાય પણ અધિક નહીં અથવા કુશાગ્રથી ઓદનમાત્ર ખાય એટલા સાધકપણાથી વ્યવહાર કરનારો પણ એટલે કે આવો કષ્ટ અનુષ્ઠાયી પણ શોભન સર્વ સાવધવિરતિરૂપ પણાથી
For Private & Personal Use Only
www.jainelibrary.org