SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ર૬૧, ૨૬૪ ૫ ૫ પાંચ ઇન્દ્રિયો, ક્રોધ - કોપ, માન - અહંકાર, માયા - નિકૃતિ, લોભ - વૃદ્ધિરૂ૫, તે દુર્જય - દુભિભવ છે. સતત તેવા તેવા અધ્યવસાય સ્થાનાંતર એ પ્રમાણે વ્યુત્પત્તિથી આત્મા એટલે મન, સંપૂર્ણ ઇંદ્રિયાદિ અને ઉપલક્ષણથી મિથ્યાત્વ આદિ, તે બધું આત્માને જીતવાથી જિતાયેલ જ છે. મનને જીતવાથી ઇંદિયો જિતાયેલી જ છે, પછી તેના જયને અલગથી કેમ જણાવ્યો? સત્ય છે. તો પણ પ્રત્યેક દુર્જયત્વ જણાવવા માટે તેનો પૃથક ઉપન્યાસ છે. • x x• જે કારણે આભા જ દુર્જય છે, તેથી બધી જ ઇંદ્રિય આદિ આત્માના જીતતા જિતાયેલ જ છે. આના વડે ઇંદ્રિય આદિના જ દુઃખ હેતુત્વથી તેના જયથી સુખ પ્રાપ્તિ સમર્થિત થાય છે. એ પ્રમાણે ફળ ઉપદર્શન દ્વારથી જીતવાની ઇચ્છા કલ્યાણકારી છે, એમ કહ્યું. તેથી જે રાજા આદિને તત્ત્વથી જીતવાપણું દર્શાવીને સિદ્ધ સાધનપણાથી પ્રયોજેલ છે. સૂત્ર - ૨૬૫, ૨૬૬ - આ અર્થને સાંભળીને - 1 - 1 - દેવેન્દ્રએ નકિ રાજર્ષિને કહ્યું - હે ક્ષત્રિય ! તમે વિપુલ યજ્ઞ કરાવીને, શ્રમણ અને બહાણને ભોજન કરાવીને દાન દઈને, ભોગો ભોગવીને અને સ્વય યજ્ઞ કરીને જજે - દીક્ષા લેજે. • વિવેચન - ૨૫, ૨૬૬ - - અનંતર પરીક્ષાથી આણે દ્વેષને પણ પરિહરેલ છે, તેમ નિશ્ચય કરીને, જિન પ્રણિત ધર્મ પ્રતિ ચૈર્યની પરીક્ષા કરવાની ઇચ્છાથી શક્રએ આ પ્રમાણે કહ્યું - વિપુલ યજ્ઞ - યાગને ચોજીને, આગંતુક શ્રમણ - નિર્ગુન્હાદિ, બ્રાહ્મણો - દ્વિજોને જમાડીને, દ્વિજાદિને ગાય, ભૂમિ, સુવર્ણ આદિનું દાન કરીને, મનોજ્ઞા શબ્દદિને ભોગવીને, સ્વયં યાગાદિ કરીને પછી હે ક્ષત્રિય ! . આના વડે જે તે પ્રાણીને પ્રીતિકર છે. તે ધર્મને માટે, જે હિંસાથી વિરમણાદિ છે, તેના વડે આ યાગાદિને હેતુ અને કારણપણે સૂચવેલ છે. • સૂત્ર • ૨૬૭, ૨૬૮ - આ આર્થને સાંભળીને - 1 - 1 • નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું - જે મનુષ્ય દર મહિને દશ લાખ ગાયોનું દાન કરતો હોય, તેને પણ સંયમ જ શ્રેય છે, ભલે, પછી તે કોઈને કંઈપણ દાન ન કરે. • વિવેચન - ૨૬૮ - પ્રતિમાસ દશ લાખ ગાયોનું દાન કરે, આવો દાતા પણ જો કંઈક ચાસ્ત્રિમોહનીય ક્ષયોપશમથી સંયમ - આશ્રવાદિ વિરમણરૂપ થાય ત્યારે તે જ અતિશય પ્રશસ્ય છે. કેવા પ્રકારનાને પણ ? સ્વષ્ય પણ વસ્તુ ન આપતો હોય અથવા તેના કરતા પણ ઉક્તરૂપથી દાતાના વિવક્ષિત અવધિપણાથી, જેઓ પ્રાણિહિંસાથી સમ્યફ અટકે છે કે સંયમવાનું સાધુ પ્રશસ્યતર છે. અથવા તે દાવા કરતાં પણ અર્થાત્ ગોદાન ધર્મથી ઉક્ત રૂપ સંયમ શ્રેય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy