SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ મનુષ્યલોકમાં નિગડાદિ વડે નિયંત્રિત કરાય છે. જ્યારે તે કરનારા છુટી જાય છે આના વડે જે પૂર્વે કહ્યું • “આમોષકાદિના ઉપદ્રવથી નગરને બચાવીને જવું” તેમાં તેઓને જાણવાનું અશક્ય પણે હોવાથી ક્ષેમકરણ પણ અશક્ય જાણવું, જે સધર્મા આદિ બતાવ્યા, તેમાં અપરિજ્ઞાનથી અનપરાધીને પણ દંડ કરવાથી સધર્મનૃપતિત્વ પણ વિચારવું જોઈએ, એ પ્રમાણે અસિદ્ધતા હેતુ છે. ૫૪ ♦ સૂત્ર - ૨૫૯ - આ અર્થને સાંભળીને • વિવેચન ૫૯ - આ સ્વજન, અંતઃપુર, નગર, પ્રાસાદ, નૃપતિધર્મ વિષયમાં આમને આસક્તિ છે કે નહીં, એ વિમર્શ કરીને હવે દ્વેષનો અભાવ થયો છે કે નહીં ? તે જાણવાની ઇચ્છાથી, તેની જ પરીક્ષા કરવાને શક્રએ આમ પૂછ્યું - - - સૂત્ર - ૨૬૦ હે ક્ષત્રિય ! જે રાજા હાલ તમને નમતા નથી, પહેલાં તેમને તમારા વશમાં કરીને જો દીક્ષા લેશે. - - * - * - · Jain Education International દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આમ કહ્યું . • વિવેચન - ૨૬૦ જે કેટલાંક રાજાઓ તમારી મર્યાદામાં રહેલા નથી, તમને નમતા નથી - ૪ - x તેથી હે નરાધિપ ! નૃપતિ ! ન નમેલા રાજાઓને સ્થાપીને પછી જો, હે ક્ષત્રિય ! અહીં પણ જે રાજા, તે ન નમેલા રાજાને નમાવે છે. જેમ ભારત આદિ, ઇત્યાદિ હેતુ અને કારણે અર્થથી આક્ષિપ્ત છે. • સૂત્ર - ૨૬૧ થી ૨૬૪ - આ અર્થને સાંભળીને - * - *- નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું જે દુય સંગ્રામમાં દશ લાખ યોદ્ધાને જીતે છે, તેની અપેક્ષાએ જે એક પોતાને જીતે છે, તેનો વિજય જ પરમ વિજય છે... બહારના યુદ્ધોથી શું ? સ્વયં પોતાનાથી યુદ્ધ કરો. પોતાનાથી પોતાનાને જીતીને જ સાર્યું સુખ પ્રાપ્ત થાય છે.... પાંચ ઇંદ્રિયો, ક્રોધ, માન, માયા, લોભાદિ વાસ્તવમાં દુય છે. એક પોતાને જીતવાથી આ બધાં જીતાઈ જાય છે. ♦ વિવેચન - ૨૬૨ થી ૨૬૪ જે હજારો સુભટોને દુય યુદ્ધમાં જીતી લે છે, તે જો એકને કોઈ જીવ વીર્યોલ્લાસથી જીતી લે, કોને ? આત્માને. કેવા ? દુરાચાર પ્રવૃત્ત. તે તેણે અનંતરોક્ત હજારોને જીતીને પ્રકૃષ્ટ જય - બીજાનો પરાભવ કરેલ છે. આના વડે આત્માનું અતિ દુયત્વ કહ્યું. તેથી આત્મા સાથે જ સંગ્રામ કરો. - - પણ બીજા કોઈ સાથે નહીં. તારા સંગ્રામથી બાહ્ય રાજા આદિને આશ્રીને અથવા બાહ્ય યુદ્ધ કરવા કરતાં આત્માને જીતીને એકાંતિક આત્યંતિક મુક્તિ સુખરૂપ પામે છે અથવા શુભ - પુન્યને પામે છે. આત્માને જ જિતવાથી સુખની પ્રાપ્તિ કઈ રીતે થાય ? તે કહે છે - શ્રોત્ર આદિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy