SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ લાંબો ભાવિકાળ તે બાહુલ્યથી કહેલો છે, અન્યથા કેટલાંક એકભવમાં જ તેમાંથી નીકળીને મુક્તિને પામે છે. હવે મૂલ અહીં પશ્ચાનુપૂર્વીથી વ્યાખ્યા કરી છે. ‘મૂળ' હારી જનારના ઉપનાય કહીને પ્રવેશેલાને જણાવવા કહે છે કે - વિપક્ષના અપાયના પરિજ્ઞાનપણાથી ઉપાદેયમાં પ્રવૃત્તિ કરવા માટે પહેલા મૂળને હારી જનારને દર્શાવીને હવે આ પ્રમાણે કહે છે - સૂત્ર - ૧૯૩ - આ પ્રમાણે હારેલા બાળ જીવોને, તથા બાલ અને પંડિતની તુલના કરીને જે માનુષ્ય યોનિમાં આવે છે, તે મૂળધન સાથે પાછા આવેલા (પૂર્વોક્ત) વણિક્ સમાન છે. ♦ વિવેચન - ૧૯૭ લોલુપતા અને શઠતાથી દેવ અને મનુષ્યત્વ હારેલા અજ્ઞાની વિશે સમ્યગ્ આલોચના કરીને તથા ગુણ - દોષની તુલના કરીને અથવા સમ્યક્ અવિપરીત બુદ્ધિથી વિચારીને, શું ? બાળ અને પંડિતને અથવા મનુષ્ય દેવગતિ ગામીને, અહીં હારેલા એ ‘બાલ' નું જ વિશેષણ છે, પંડિતનું નથી. તેમ હોવાથી મૂળધનથી પ્રવેશે છે. અર્થાત્ મનુષ્ય છે અને મનુષ્ય યોનિમાં પાછો આવે છે. કોણ ? બાલત્વનો ત્યાગ કરીને અને પંડિતત્વને સેવનારા. જે રીતે મનુષ્ય થાય તે કહે છે - - - * - સૂત્ર - ૧૯ - મનુષ્ય વિમાત્રા શિક્ષા વડે, ઘરમાં રહેવા છતાં પણ સુવતી છે, તે માનુષી યોનિમાં ઉત્પન્ન થાય છે કેમકે જીવો કસત્ય હોય છે. * વિવેચન - ૧૯૮ - વિમાત્રા - વિવિધ પરિણામ કે વિચિત્ર પરિણામને આશ્રીને વિસર્દશી શિક્ષા વડે - પ્રકૃતિ ભદ્રકત્વાદિ અભ્યાસ રૂપથી - ૪ - જે પુરુષો, ગૃહસ્થો વ્રતને ધારણ કરેલા છે, તેઓ પ્રકૃતિ ભદ્રકત્વાદિ અભ્યાસના અનુભાવથી એ પ્રમાણે વિષાદ કે વિપત્તિ પામતા નથી. - ૪ - સદાચાર આદિ જ સજ્જનોના વ્રતો છે, - ૪ - ૪ - આગમ વિહિત વ્રતોની ધારણા આમને સંભવતા નથી, કેમકે તે દેવગતિ હેતુપણાના અભિધાનથી છે. એવા તે માનુષ સંબંધિ યોનીને પામે છે. ઉક્તરૂપ કર્મોથી - મનોવાક્ ક્રિયા લક્ષણથી અવિસંવાદી તે કર્મસત્ય જ છે કેમકે અસત્યતા તો તિર્યંચયોનિના હેતુપણે કહેલ છે. પાઠાંતરથી કર્મસુ - મનુષ્યગતિ યોગ્ય ક્રિયા રૂપમાં આસક્ત તે કર્મસક્ત જીવો, અહીં મનુષ્યગ્રહણ છતાં પ્રાણીગ્રહણ એવો શબ્દ મૂક્યો તે તેમને દેવાદિ પરિગ્રહ નથી તેમ જણાવવાને છે. અથવા વિમાત્રાદિ શિક્ષા વડે મનુષ્યો સુવ્રત ગ્રહીને તેમના નિત્ય સંબંધથી માનુષી યોનિને પામે છે. શા માટે ? જીવો કર્મ સત્ય છે. સત્ય એટલે અવંધ્યફળ, કર્મ – જ્ઞાનાવરણાદિ, જેમને છે તે સત્યકર્મ પ્રાણીઓ, નિરુપક્રમ કર્મોની અપેક્ષાથી આ કહેલ છે. હવે લબ્ધલાભનો ઉપનય કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy