SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૭/૧૯૪ • વિવેચન ૧૯૪ - મનુષ્યત્વ એ મૂળી છે. સ્વર્ગ અને મોક્ષ રૂપ ઉતરોત્તર લાભનો હેતુ છે. મનુષ્યગતિની અપેક્ષાથી વિષય સુખાદિથી વિશિષ્ટપણું એ લાભ છે, દેવત્વની પ્રાપ્તિ થાય છે. પરંતુ મનુષ્યત્વગતિની હાનિરૂપ પ્રાણીને નરકત્વ અને તિર્યંચત્વની નિશ્ચયે પ્રાપ્તિ થાય છે. અહીં એક દૃષ્ટાંત છે - - ત્રણ સંસારી જીવો મનુષ્યપણામાં આવ્યા. તેમાં એક માર્દવ, આર્જવાદિ ગુણવાળો અને મધ્યમ આરંભ - પરિગ્રહયુક્ત હતો. તે મરીને હજાર કાર્પાપણવાળી મૂળી રૂપ માનુષત્વને પામ્યો. બીજો સમ્યગ્દર્શન ચાસ્ત્રિગુણ વાળો સરાગ સંયમથી લાભપ્રાપ્ત વણિજ્ માફક દેવોમાં ઉત્પન્ન થયો. ત્રીજો હિંસક, બાળ, મૃષાવાદી હતો તે સાવધ યોગ વડે વર્તીને મૂળી ખોઈ બેઠેલા વણિકમારક નારકાદિમાં ઉત્પન્ન થયો. મૂળીના નાશથી નરક કે તિર્યંચપણાની પ્રાપ્તિ કહે છે - • સૂત્ર - ૧૯૫ - અજ્ઞાનીજીવની જે ગતિ છે નરક અને તિર્યંચ. ત્યાં તેમને વધમૂલક કષ્ટ પ્રાપ્ત થાય છે. કેમકે લોલુપતા અને શઠતાને કારણે દેવત્વ અને મનુષ્યત્વને તે પહેલાં જ હારી ગયો છે. Jain Education International ૨૫ વિવેચન ૧૫ બે પ્રકારે ગતિ, તે નરકગતિ અને તિર્યંચગતિ થાય, કોની ? બાળકની, બે પ્રકારે - રાગ દ્વેષ વડે આધુલિતની, આવે છે, શું ? પ્રાણિધાત, ઉપલક્ષણથી મહારંભ, મહાપરિગ્રહ, અસત્યભ્રમણ, માચાદિ જેનું મૂળ કારણ છે તે વધમૂલિકા. અથવા અજ્ઞાનીની બે ગતિ થાય છે. તે ગતિમાં વિનાશ, તાડન, છેદ, ભેદ, અતિભારારોપણાદિ થાય. જીવને આ બંને ગતિમાં વિવિધ આપત્તિ આવે છે. શા માટે ? દેવ ભવ અને મનુષ્યભવ જે કારણે હારી ગયેલ છે તે લાંપટ્ય અને વિશ્વસ્તજનને છેતરવારૂપ શઠતાથી, અહીં લોલુપતા એ પંચેન્દ્રિય વધાદિ ઉપલક્ષણ છે. તથા તે નરકત્વ હેતુ અભિધાન છે. શઠતા તે તિર્યંચગતિનો હેતુ છે. - - - મૂળ જ મનુષ્યત્વ અને દેવત્વનો લાભ આપે છે તે બંને હારી જવાથી નરક અને તિર્યંચગતિ જ મળે છે. હવે મૂલછેદ માટે જ કહે છે - - • સૂત્ર - ૧૯૬ - નરક અને તિસરૂપ બે દુર્ગતિને પ્રાપ્ત અજ્ઞાની બીજી બે ગતિને સદા હારેલા છે, કેમકે ત્યાંથી દીર્ઘકાળ સુધી નીકળવું દુર્લભ છે. ૭ વિવેચન - ૧૯૬ - X - દેવત્વ અને માનુષત્વથી હારેલા અજ્ઞાનીને સદા નસ્ક અને તિર્યંચગતિ જ થાય છે. કેવી રીતે ? નિંદિતા ગતિ તે દુર્ગતિ. - તે દેવ અને મનુષ્યત્વને હારેલા તેને નરક અને તિર્યંચ ગતિમાંથી નીકળવું દુષ્કર છે, કેમકે લાંબા કાળ સુધી તેમાં ડૂબેલો રહે છે. તેથી કહે છે - આગામી કાળમાં જલ્દી ન નીકળી શકે. • ૪• • અર્થાત્ ધણો · For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy