SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદાર • સૂત્ર - ૧૮૮ • વિવિધ પ્રકારે હિંસા કરનાર, અજ્ઞાની જીવ, અણુ ક્ષીણ થતાં જ્યાં શરીર છોડે છે, ત્યારે કૃત કર્મોથી વિવશ અંધકારવાળા નરકમાં જાય છે. • વિવેચન - ૧૮૮ - શોક કર્યા પછી, તે ઉપાર્જિત ભારે કમી. તે ભવસંબંધી આયુમાં જીવિતનો ક્ષય થતાં, કદાચિત આયુ ક્ષયના પૂર્વે શરીરથી ભ્રષ્ટ થાય, તે વિવિધ પ્રકારે પ્રાણિઘાતક, વિધમાન સૂર્યવાળા ગ્રહ - નક્ષત્ર વિરહિત, આ સંસારી દિશાને અર્થાત્ ભાવ દિશાને અથવા રૌદ્ર કર્મકારી બધાં પણ અસર કહેવાય છે. તેથી આ આસુરી દિશાને • અર્થાત નરકગતિ પ્રતિ તે અજ્ઞાની જાય છે. કેવી રીતે ? કર્મથી પરવશ થઈને. • xઅંધકારયુક્તપણાથી તમસ, દેવગતિમાં પણ સૂર્યના અસંભવથી, તેના વિચ્છેદ માટે દિશા વિશેષણ મૂક્યું. તેથી “નરકગતિ' લીધી. હવે કાકિણી અને આમ્ર બે દષ્ટાંત કહે છે - • સૂત્ર • ૧૮૯ - એક કાકિંeીને માટે જેમ મૂઢ મનુષ્ય હજારો હારી જાય છે અને રાજ એક કાપથ્ય ફળ ખાઈને બદલામાં જેમ રાજ્ય હારી જાય છે... • વિવેચન - ૧૮૯ - જેમ કાકિણીની કારણે પરપ હજાર કાર્યાપારને હારી જાય. અહીં સંપ્રદાયથી એક ઉદાહરણ છે - એક દ્રમકે આજીવિકા કરતા હજાર કષપણ અર્જિત કર્યા. તે ગ્રહણ કરીને દ્રમક સાર્થની સાથે સ્વગૃહે ચાલ્યો. તેણે ભોજન નિમિત્તે કાકિણી માટે રૂપીયો આપી દીધો. પછી રોજેરોજ કાકિણી ખાતો. છેલ્લે એક કાકિણી બચી. તે પાસ ખોવાઈ ગઈ. બીજાએ ચોરી લીધી. ઇત્યાદિ - ૪- તે ઘેર જઈને શોક કરવા લાગ્યો. તથા અપથ્ય - અહિત, આમ્રફળ ખાઈને રાજા રાજ્યને હારી ગયો. અપધ્યભોજીને એ પ્રમાણે સજાનું હરણ સંભવે છે, તેનું દષ્ટાંત કોઈ રાજાને આશ્વના અજીર્ણશી વિસૂચિકા થઈ ગઈ. વૈધએ ઘણાં યત્ન વડે તેની ચિકિત્સા કરી, પછી કહ્યું - ફરી આમ ખાશો તો વિનાશ પામશો. તે સજાને આમ અતિ પ્રિય હતા. તેણે પોતાના દેશમાં બધે આમ ઉગાડેલા. કોઈ દિવસે ઘોડા ખેલાવવા નીકળ્યો, અમાત્ય સાથે હતો. ઘોડો ઘણે દૂર જઈને થાકીને ઉભો રહ્યો. વનખંડમાં આમની છાયામાં અમાત્યએ વારવા છતાં બે, નીચે કેરીઓ પડી, તેણે કેરીને સાફ કરી. પછી સુધી, પછી ખાવા માટે સ્પર્શવા ગયો, અમાત્યએ વારવા છતાં, ખાઈને મરી ગયો. હવે દાન્તિકની યોજના કહે છે - • સૂત્ર - ૧૯૦ - એ પ્રમાણે દેવતાના કામ ભોગોની તુલનામાં મનુષ્યના કામભોગો નગશ્ય છેમનુષ્યની અપેક્ષાએ દેવતાનું માથું અને કામભોગો હાર ગુણ છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy