SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩, ૧૮૫ • વિવેચન - ૧૮૩ થી ૧૮૫ - હણવાના રવભાવવાળો તે હિંસ. - સ્વભાવથી જ હિંસા કરનાર, અજ્ઞાની, પાઠાંતરથી હેતુ વિના કોપ કનારો - ક્રોધી, અસત્ય બોલનારો, માર્ગમાં લુંટફાટ કરનાર. - માર્ગમાં જતા લોકોનું સર્વસ્વ લુંટનાર, રાજાદિ વડે અપાયેલને વચ્ચેથી જ હરી લેનાર. અથવા બીજા વડે અપાયેલને હરનાર કે ગામ નગરાદિમાં ચોરી કરનાર, વિસ્મરણશીલ, સર્વ અવસ્થામાં બાલવને જણાવવા માટે છે. ચોરી વડે જ ઉપકલિત આત્મવૃત્તિવાળા, ગ્રંથિ છેદાદિ ઉપાય વડે અપહરે છે તે ચોર, ખાતર પાડનાર, વચનામાં એક ચિત્ત, કોનું શું કરી લઉં? એવા અધ્યવસાય યુક્ત, વક આયાવાળા. - તથા સ્ત્રી અને વિષયોમાં અભિકાંક્ષાવાળા, અપરિમિત અનેક જંતુને ઉપઘાત કરનાર વ્યાપાર વાળા, ધાન્યાદિના સંચયવાળા, માંસ-મદિરા ભોગી, ઉપચિત માંસ અને લોહી વડે બળવાન, તેથી જ બીજાને દમનાર. બકરાની જેમ કર્કર કરતાં. - અહીં પ્રસ્તાવથી અતિ પર્વ માંસને દાંત વડે ચાવતા. અથવા માંસના ભોજી, તેથી જ મોટા પેટવાળા થયેલા. ઉપચયને પ્રામ, લોહીથી પુષ્ટ, આદિથી યુક્ત તે સીમંતકાદિ નરકની તેને યોગ્ય કર્મ આરંભીપણાથી કાંક્ષા કરે છે. કોની જેમ ? ઉક્તરૂપ ઘેટાની માફક. અહીં હિંસા ઇત્યાદિ અર્ધ લોક વડે આરંભ કહ્યો. માંસાદિ ભાજીપણાથી સમૃદ્ધિ બતાવી, આયુ વડે દુર્ગતિ ગમન કહ્યું. તેના પ્રતિપાદન વડે અર્થથી પ્રત્યપાચને કહ્યા. નરકાયુની કાંક્ષા પછી શું કરે ? અથવા સાક્ષાત્ ઐહિક અપાય કહે છે - • સૂત્ર - ૧૮૬, ૧૮૭ - આસન, શા, વાહન, ધન અને અન્ય કામગોને ભોગવી દુઃખે એકત્રિત કરેલ વનને છોડીને, કમની ઘeી ધૂળ સંચિત ફરીને, કેવળ વર્તમાનને જેલમાં તત્પર, કમથી ભારે થયેલ જીવ મૃત્યુ સમયે તે રીતે જ શોક કરે છે, જે રીતે મહેમાન આવતા ઘેટુ કરે છે. • વિવેચન : ૧૮૬, ૧૮૭ - આસન, શયન, ચાનને ભોગવીને, દ્રવ્ય અને મનોજ્ઞ શબ્દાદીને ભોગવીને દુઃખથી પોતાને અને બીજાને દુખ કરવાથી, અતિશય ઉપાર્જિત તે દુઃખાહત અથવા દુઃખ સંહરાય છે માટે દુઃસંત, દ્રવ્યને ભોગવીને અસત વ્યયથી તજીને મિથ્યાત્વાદિ કર્મબંધુ- હેતુના સંભવથી. પ્રભૂત આઠ પ્રકારની કર્મ રજ ઉપાજીને, પછી શું? તે કહે છે - પછી ના સંચયથી, કર્મના ભારથી અધો નરકગામીપણાથી, ભારેકર્મી પ્રાણી વર્તમાનમાં પરાયણ બની, “જે આંખે દેખાય છે, તેટલો જ લોક છે” તેવા નાસ્તિક મતાનુસારીતાથી પરલોક નિરપેક્ષ થઈ, મહેમાનની પ્રતિક્ષા કરતા બકરામાફક મૃત્યુની પ્રતિક્ષા કરે. આ રીતે શિષ્યોના અનુગ્રહને માટે ઘેટાના દેટાંતનો વિરતાર કર્યો. તે ભારેકમ જીવ વિચારે છે - માસ વિષય વ્યામોહને ધિક્કાર છે, હવે મારે ક્યાં જવું ? ઇત્યાદિ પ્રલાપ કરતો ખેદ પામે છે. • x- હવે પારભવિક કહે છે - For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy