SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ • વિવેચન - ૧૯૦ - એ પ્રમાણે કાકિણી અને આણ સદેશ મનુષ્યોમાં આ મનુષ્યકોના વિષયો, દેવ સંબંધી વિષયોની સમીપમાં હજારમાં ભાગે છે. - *- મનુષ્યના આયુ અને કામની અપેક્ષાથી હજારગણાં છે. આના વડે તેનું અતિભૂયત્વ સૂચવેલ છે, તે માટે આમ માટે રાજ્યત્યાગનું દષ્ટાંત કહ્યું. તેમાં આદું - જીવિત, કામ - શબ્દાદિ, દિવ્ય - સ્વર્ગમાં થનાર, દેવ - x x- મનુષ્યના કામોનું જ કાકિણી અને આમ્રફળ ઉપમાપણું ભાવિત કરવા કહે છે - • સૂત્ર - ૧૧ - પ્રજ્ઞાવાનની દેવલોકમાં અનેક ના વર્ષોની સ્થિતિ હોય છે, એમ જાણીને પણ ભૂખ મનુષ્ય સો વર્ષથી જૂન ચાલુમાં તે સુખોને ગુમાવે છે. • વિવેચન - ૧૯૧ અનેક તે અહીં અસંખ્યય વર્ષો, નયુ - સંખ્યા વિશેષ છે, તે અનેક વર્ષ નયુત, ઉભયના અર્થથી પલ્યોપમ અને સાગરોપમ સુધી જાણવા. નચુત કઈ રીતે આવે? ૮૪ લાખ વર્ષનું એક પૂર્વાગ, તેને ૮૪ લાખથી ગુણતા એક પૂર્વ. એ પ્રમાણે એકવીસ વખત ગુણવાથી નયુતાંગ આવે, તેને ૮૪ લાખ વડે ગુણવાથી નયુત આવશે. એ પ્રમાણે કોણ કહે છે ? પ્રજ્ઞાપક શિષ્યોને કહે છે. પ્રકર્ષથી જણાય છે વસ્તુ તત્ત્વસહિત જેના વડે તે પ્રજ્ઞા- હેયઉપાદેયનો વિભાગ કરનારી બુદ્ધિ, તે જેનામાં છે, તે પ્રજ્ઞાવાન. – x x- અથવા નિશ્ચયમતથી ક્યિારહિત પ્રજ્ઞા પણ પ્રજ્ઞા જ છે. પ્રજ્ઞા વડે જ ક્રિયા ક્ષિત છે, તેથી પ્રજ્ઞાવાન જ્ઞાનક્રિયાવાનું કહેવાયેલ છે. તે પ્રજ્ઞાવાનને થીર થવાય છે, જેના વડે અર્થથી દેવભવમાં તે સ્થિતિદેવ આયું. અધિકાર થકી દિવ્યકામો જાણવા. તેના હેતુભૂત અનુષ્ઠાન ન સેવવાથી અનેક વર્ષ - નયુત દિવ્યસ્થિતિના દિવ્ય કામોના વિષયભૂતને હારી જાય છે. તે વિપર્યયાદિ દોષ દુષ્ટવંચી મેધા • વસ્તુ સ્વરૂપ અવધારણ શક્તિ આમની તે દુર્મેધસ, પ્રાણીઓ વિષયો વડે જીતાયેલા છે. તે પણ કંઈક ન્યૂન સો વર્ષ જેવા અલ્પ આયુમાં, મનુષ્યોના કામો પણ અભ્યતાવાળા હોય છે. અથવા આયુષ્ય ઘણું હોય તો પ્રમાદથી એક વખત હાર્યા પછી ફરી તે જીતે છે, પરંતુ આ સંક્ષિત આયુમાં એક વખત હાર્યા પછી હારેલો જ રહે છે. અહીં ન્યૂન સો વર્ષ એટલે કહ્યું, કારણ કે ભગવંત વીરના તીર્થમાં પ્રાયઃ મનુષ્યોનું આટલું જ આયુ હોય છે. અહીં ભાવાર્થ એ છે કે મનુષ્યોનું આયુ અને વિષયો અલ્પ છે, તે માટે કાકણી અને આમફળની ઉપમા આપેલ છે. દેવોનું આયુ અને કામો અતિ પ્રભૂતપણે છે, તે હજાર કાષપણ અને રાજ્ય તુલ્ય છે. જેમ દ્રમક અને રાજા હારી ગયા, આ દુર્મેધસ પણ એ પ્રમાણે અભતર મનુષ્ય આયુમાં કામાર્થે દેવાયુ અને કામોને હારી જાય છે. હવે વ્યવહારુ ઉદાહરણ કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy