SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/૧૫ ૨૨૫ પોતાના માટે તૈયાર કરેલા આહાર અને પ્રાણી ઉચિત પરિમાણમાં ગ્રહણ કરીને સેવન કરે. • વિવેચન - ૧૫ - જ્ઞાનાવરણાદિ કર્મના હેતુ-ઉપાદાન કારણ એવા મિથ્યાત્વ, અવિરતિ આદિને પૃથફ કહી ને - ત્યજીને, કાલ અનુષ્ઠાન પ્રસ્તાવની કાંક્ષા કરે, અને વિચરણ કરે. કહે છે કે - વિSિચ કરો હેઉ અહીં “પરિત્યાગ કરે? તેને બીજા ઉપદેશપણાથી વ્યાખ્યા કરવી જોઈએ. સંયમનો નિર્વાહ થાય તેટલા જ માત્રા-જાણીને, કોની? ઓદન આદિ અન્નની, આયામ આદિપાણીની. ખાધ - સ્વાધને ન લઈને. યત્ન કરે કેમ કે પ્રાયઃ તેનો પરિભોગ અસંભવ છે. કૃત • પોતાના માટે જ ગૃહસ્થો વડે બનાવાયેલ એવો આહાર, તેને પ્રાપ્ત કરીને ખાય, (તેનાથી આજીવિકા કરે, કદાચિત ભોજન કરીને શેષને ધારણ કરતાં આસક્તિ સંભવે છે તેથી કહે છે• સત્ર - ૫૬ - સાધુ લેશમાત્ર પણ સંગ્રહ ન કરે, પંખીની માફક સંગ્રહથી નિરપેક્ષ રહેતો અને પાત્ર લઈને ભિક્ષાને માટે વિચરણ કરે. • વિવેચન - ૫૬ - સભ્યમ્ - એકી ભાવથી જેનાવડે આત્મા નકાદિમાં નિક્ષેપિત કરાય છે, તે સંનિધિ. “સવારે મને આ કામ લાગશે” એમ વિચારી વધારાનું અશન લાવીને રાખી મૂક્યું, તે સાધુન કરે. લેપ - ગાડાનું કલ આદિ વડે નિષ્પાદિત પાત્રમાં પરિગ્રહણ કરે. તેની માત્રા - મર્યાદા, કેમકે માત્રા શબ્દનો પ્રયદા વાચ અર્થ રૂઢ છે. • - આ લેપમાત્રાથી, માત્ર એક લેપની મર્યાદા કરીને, પણ કિંચિત માત્ર વધુ સંનિધિ ન કરે. અથવા આ માત્રા શહદ પરિમાણ અર્થમાં છે. તેનો અર્થ એ છે - લેપમાત્રા વડે પાત્રને ઉપલિમ કરાય તેટલા પરિમાણમાં પણ સંનિધિ ન કરે. તો વધારે સંનિધિની વાત જ ક્યાં રહી? કોણ? સંપત. તો શું પત્રાદિ ઉપકરણની સંનિધિ પણ ન કરવી જોઈએ? તેથી કહે છે. પક્ષીની માફક. મ પક્ષી- પડવાથી રક્ષણ કરે તે પત્ર - પાંખનો સંચય કરીને વિચારે છે એ પ્રમાણે સીધુ પણ પાત્ર અને ઉપલક્ષણની બીજા ઉપકરણો લઈને વિચરે, કેવી રીતે વિયરે? તે કહે છે. નિરપેક્ષ - અભિલાષા રહિત પણે, અથવા તેના વિનાશ આદિમાં શોકને ન કરતો તેવો નિરપેક્ષ આસક્તિ સહિત. તે પ્રમાણે પ્રતિદિન સંયમ પલિમંથ ભીરુપણાથી પબાદિ ઉપકરણની સંનિધિ કરવા છતાં તેમાં કોઈ દોષ નથી. તેમ જાણવું અથવા જે લેપમાત્રા વડે પણ સંનિધિ ન કરે તો કઈ રીતે આગામી દિવસે ભોજન કરવું? તે કહે છે - પક્ષીની જેમ નિરપેક્ષ થઈને. માત્ર • પડતાંને ધારી સખે તેવું ભોજન અર્થાત નિયોગને ગ્રહણ કરીને ભિક્ષાર્થે પર્યટન કરે. અહીં આવું કહેવા માંગે છે કે- મધુકર વૃત્તિથી જ તેણે નિર્વાહ કરવાનો છે. પછી તેને સંનિધિ કરવાનું શું પ્રયોજન છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy