SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૧૫૩ ૨૩ મુક્તિ ન પામે તો દેવ થાય છે. કેવો દેવ ? સુખાદિ સંપત્તિથી મહદ્ધિક. જ્યાં તે દેવ થાય ત્યાં આવાસો કેવા હોય? અને દેવ કેવા હોય? તે કહે છે - - સૂત્ર - ૧૫૪, ૧૫૫ દેવતના આવાસો અનુક્રમે ઉર્ધ્વ, મોહરહિત, યુતિમાન, દેવોથી પરિવ્યાસ હોય છે, તેમાં રહેનારા દેવો યશસ્વી, દીર્ઘાયુ, ઋદ્ધિમાન, દીપ્તિમાન, ઇચ્છારૂપધારી, અભિનવ ઉત્પન્ન સમાન ભવ્ય કાંતિવાળા અને સૂર્ય સમાન અત્યંત તેજસ્વી હોય છે. ♦ વિવેચન - ૧૫૪, ૧૫૫ . ઉપર વર્તી અર્થાત્ અનુત્તર, કેમકે તે બધાંની ઉપર રહેલ છે. વિમોહ - અલ્પ વેદાદિ મોહનીયના ઉદયથી અથવા મોહ બે ભેદે છે - દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી અંધકાર અને ભાવથી મિથ્યા દર્શનાદિ. ત્યાં રત્નના ઉદ્યોતથી અને સમ્યગ્દર્શનના ત્યાં સંભવથી ચાલી ગયેલા મોહવાળા. ધુતિ - અતિશાયિની દીપ્તિ. પૂર્વવત્ ક્રમથી વિમોહાદિ વિશેષણ વિશિષ્ટ. સૌધર્માદિથી અનુત્તરવિમાનો પૂર્વ-પૂર્વ અપેક્ષાથી પ્રકર્ષવાળા હોવાથી વિમોહત્વાદિ કહ્યું, દેવો વડે વ્યાસ, તેઓ ચોતરફી વસે છે. માટે આવાસ કહેવાય. ત્યાંના દેવો પ્રશંસા લાયક, સાગરોપમવાળા આયુષ્યથી દીર્ઘાયુવાળા, રત્નાદિ સંપત્તિ યુક્ત, અતિદીપ્ત, ઇચ્છાનુસાર રૂપ કરનાર, વિવિધ વૈક્રિય શક્તિવાળા - x • પ્રથમ ઉત્પન્ન દેવતુલ્યા કેમકે અનુત્તરમાં જ વર્ણ, ધૃતિ, આયુ વગેરે તુલ્ય હોય છે. - હવે ઉપસંહાર કહે છે - - . સૂત્ર - ૧૫૬ - ભિક્ષુ હોય કે ગૃહસ્થ, જે હિંસાદિથી નિવૃત્ત થાય છે, તે સંયમ અને તપના અભ્યાસથી ઉક્ત દેવલોકમાં જાય છે. • વિવેચન ૧૫૬ અભિહિત રૂપ, જેમાં જીવો સુકૃત કરીને રહે છે તેવો સ્થાનો તે આવાસ રૂપ, તેમાં જાય છે, ગયા અને જશે. ઉપલક્ષણથી સૌધર્મ આદિમાં ગમન, ત્યાં પણ કેટલાંકને જવાનો સંભવ છે. ૧૭ ભેદે સંયમ, ૧૨ ભેદે તપનો અભ્યાસ કરીને કોણ ગયું? ભિક્ષુ કે ગૃહસ્થ. ભાવથી યતિ. તેથી કહે છે - જે ઉપશમ વડે પરિનિવૃત થયા છે, કષાય અગ્નિને શાંત કેલો છે અથવા જે કોઈ પરિનિવૃત્ત છે તે. અહીં - x - સમ્યક્ દર્શનાદિવાળા પણ દેવલોકમાં જાય છે. . - × - આ સાંભળીને મરણમાં પણ યથાભૂત મહાત્મા થાય તે પ્રમાણે કહે છે - - Jain Education International - • સૂત્ર - ૧૫૭ સત્પુરુષો દ્વારા પૂજનીય તે સંમત અને જિતેન્દ્રિયોના ઉક્ત વૃત્તાંતને સાંભળીને શીલવાન, બહુશ્રુત મૃત્યુ સમયે સંગરત ન થાય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy