________________
ર ;
ઉત્તરાધ્યયન મલસુત્ર-સટીક અનુવાદ/૧ મરીને નફે ગયો. - x x- ભિક્ષા વડે ચતિ કહ્યો. ઘરે રહે તે ગૃહસ્થ, નિરતિચાર પણાથી અને સમ્યફ ભાવાનુગતથી વ્રતના પરિપાલનથી તે સવતી દેવલોકમાં જાય છે. મુખ્યતા એ મુક્તિનો હેતુ છતાં વ્રતના પરિપાલનથી જધન્યથી સ્વર્ગમાં જાય તેવું જણાવે છે. - x- આના વડે વ્રત પરિપાલના જ તત્ત્વથી સુગતિનો હેતુ કહેલ છે.
વ્રતના યોગથી ગૃહસ્થ પણ દેવલોકમાં જાય છે. તે બતાવે છે. • સૂત્ર - ૧૫૧ -
શ્રદ્ધાવાન ગૃહસ્થ સામાયિકના બધા અંગોને અસરે. બને પક્ષમાં પૌષધનતને એક રાશિ માટે પણ ન ઊંડ.
• વિવેચન - ૧૫૧ -
ગૃહસ્થ, સમ્યકત્વ મૃત અને દેશવિરતિ રૂપ સામાયિકને તથા તેના નિઃશંકતા, કાળે અધ્યયન, અણુવ્રતાદિ રૂપ અંગો. શ્રદ્ધા - જેને રૂચિ છે તેવો શ્રદ્ધાવાન, કાયા - મન - વચનથી સેવે છે. ધર્ને પોષે તે પૌષધ - આહાર પૌષધાદિ, તેને કૃષ્ણ અને શુકલ બંને પક્ષમાં ચૌદશ, પૂનમ આદિ તિથિમાં એક રાત્રિ પણ ન છોડે, ઉપલક્ષણથી એક દિવસ પણ ન છોડે. દિવસ વ્યાકુળતાથી ન કરી શકે તો રાત્રિમાં પણ પૌષધ કરે. સામયિકના અંગ રૂપે આ સિદ્ધ હોવા છતાં, તેના આદરને જણાવવા માટે આનું જૂદું ઉપાદાન કરેલ છે. આવા ગૃહસ્થો પણ સ્વર્ગમાં જાય છે.
- - હવે પ્રસ્તુતનો ઉપસંહાર કરતાં કહે છે - • સૂત્ર • ૧૫ર -
એ પ્રમાણે ધમીશિક્ષાથી સંપન્ન સેવતી ગૃહવાસમાં રહેતો હોવા છતાં દારિક શરીર છોડી દેવલોકમાં જાય છે. • વિવેચન : ૧૫ર :
આ ઉક્ત ન્યાયથી વ્રત આસેવન રૂપ શિક્ષાથી યુક્ત, દક્ષા પર્યાય ભલે ન હોય, પણ ઘેર રહેલો હોય તો પણ શોભન વ્રતવાળો હોય તો પણ ત્વચા પવદિથી અથર્ ઔદારિક શરીરના ત્યાગથી પછીદેવલોકમાં જાય છે. આના વડે પંડિત મરણન્નો અવસર છતાં પ્રસંગથી બાળમરણ કહ્યું
હવે પ્રસ્તુત પંડિતમરણનું ફળ ઉપદર્શન કહે છે - • સૂત્ર • ૧૫૩ -
જે સંવૃત્ત ભિક્ષુ છે, તેની બેમાંથી એક સ્થિતિ હોય - કાં તો સર્વ દુઃખોથી મુકત થાય અથવા મહાન દિવાળે દેવ થાય છે.
• વિવેચન : ૧૫૩ -
સંવૃત્ત - બધાં આશ્રવધારો બંધ કરીને, ભાવભિક્ષ તે બેમાંથી એક ગતિ થાય છે. ૪- સર્વે દુખો કે જે ભૂખ, તરસ, ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગાદિથી ઉત્પન્ન થયેલ હોય, તેને ફરી ઉત્પન્ન ન થાય તે રીતે ક્ષીણ કરીને - ૪- તે સિદ્ધ થાય છે. અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org