SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પ/૧૪૮ • સૂત્ર • ૧૪૮ - કેટલાંક ભિન્નની સાપેક્ષાએ ગૃહસ્થો સંયમમાં શ્રેષ્ઠ હોય છે. પણ શુક્રાચારી સાધુજન બધાં ગૃહસ્થો કરતાં સંયમમાં શ્રેષ્ઠ હોય છે. • વિવેચન - ૧૪૮ - કોઈ કુપ્રવચની ભિક્ષુ કરતાં ગૃહસ્થો - દેશ વિરતિ રૂપ સંયમથી પ્રધાન હોય છે - x-x- પરંતુ અનુમતિ વર્જિત બાકી સર્વોત્તમ દેશવિસતિ પ્રાપ્ત કરેલી છતાં સાધુઓ તે ગૃહસ્થોથી વધુ સંયમી છે કેમકે તેમને પરિપૂર્ણ સંયમ છે. તેથી વૃદ્ધ સંપ્રદાય કહે છે - એક શ્રાવક, સાધુને પૂછે છે કે શ્રાવક અને સાધુમાં શું અંતર છે? સાધુ એ કહ્યુંસરસવ અને મેરુ જેટલું તેથી વ્યાકુળ થઈને તે ફરી પૂછે છે- કુલિંગી અને શ્રાવકોમાં કેટલું અંતર છે? તે પણ સરસવ અને મેરુ જેટલું છે. તેનાથી સમ્યફ અશ્વાસિત થયો. - x-આના વડે તેમનો ચાસ્ત્રિ અભાવ દર્શાવીને પંડિત મરણના અભાવનું સમર્થન કર્યું છે. (શંકા) પ્રાવયની ભિક્ષ પણ વિચિત્ર વેશ ધારી છે. તેનાથી ગૃહસ્થો વધુ સંયમી કેમ? તે કહે છે - • સુત્ર • ૧૪૯ - રામારી સાધુને વાર, અનિરામ, નગનત્વ, જટા, ગોદડી, શિરો મુંડન ચાદિ બાહ્યાચાર દુર્ગતિથી બચાવી ન શકે. • વિવેચન - ૧૪૯ ચીર - વસ્ત્રો, અનિ - મૃગચર્મ આદિ, નગ્નતા, જટાપણું, સંઘાટી - વસ્ત્ર સંહતિ જનિન, મુંડી - શિખા પણ સ્વસિદ્ધાંતથી છેદેલ હોય. તેથી મુંડિત્વ, એ પ્રમાણે સ્વ-સ્વપ્રક્રિયા વિરચિતવ્રતી-વેષ-રૂપો. ગૃહસ્થો પાસે શું છે? આ બધું દુષ્કૃત કર્મવાળાને ભવથી રક્ષણ ન આપે. કેવા સ્વરૂપનું ? દુરાચાર કે પ્રવજ્યા પર્યાય પ્રાપ્ત. અથવા દુષ્ટશીલરૂપ પર્યાયથી આવેલ, પણ ક્યાય કલુષ ચિત્તથી બાહ્ય બગલા વૃત્તિ કષ્ટ હેતુ પણ નરકાદિ કુમતિ નિવારવા પુરતા નથી. માત્ર વેશ ધારણાદિથી વિશિષ્ટ હેતુ સરતો નથી. ગૃહાદિનો અભાવ છતાં તેમની દુર્ગતિ કેમ કહીર, શ - ૧૫૦ • ભિક્ષાવૃત્તિક પણ જે કુટીલ રોય તો તે નકથી મુક્ત થઈ શકતા નથી. ભિા હોય કે ગુહા પણ જે તે સનતી હોય તો અગમાં જાય છે, • વિવેચન - ૧૫૦ • પિંડ - ઘેર ઘેરથી લાવીને એકઠું કરેલ તેને સેવનાર. જે સ્વયં આહારના અભાવથી પરદત ઉપજીવી છે તે પણ. જો પૂર્વવત્ દુ:શીલ હોય, પોતાના કમોંથી ઉપસ્થાપિત થઈને સીમંતકથી મૂકાતા નથી. અહીં તેવા પ્રકારના મકનું દષ્ટાંત છે - રાજગૃહીમાં એક પિંડાવલગ ઉધાનિકામાં રહેલાં લોકો પાસેથી ભિક્ષા લેતો, તેને કોઈએ કંઈ ન આપ્યું. તેણે નજીકના પર્વને ચડીને મોટી શિલાને હલાવી, આ બધાંની ઉપર હું નાંખું, એમ ધ્યાયી થઈ, શિલા છૂટી જતાં તેની નીચે તેની જ કાયા ચૂર્ણ થઈ જતાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy