________________
૨૦૪
ઉત્તરાધ્યયન મૂલગ-સટીક અનુવાદ • વિવેચન : ૧૪૬ :
મરણ તો ઠીક, જીવિત પણ એવો અર્થ જાણવો. પુન્યસહિત વર્તે છે, તે સપુષ્ય, તેમનું. બીજા અપુન્યવાળોનું નહીં. શું સર્વ પ્રકારે? ના, જે પ્રકારે મેં કહેલ છે તે. તે તમારે અવધારવું સારી રીતે પ્રસન્ન, મરણ સમયમાં પણ અકલુષ, કષાયરૂપી કલુષિતા ચાલી જવાથી જેનું ચિત્ત છે, તે પ્રસન્ન મન, મહામુનિઓને સ્વસંવેદનથી જે ખ્યાત છે, અહીં સુષ્ય પ્રસન્ન વડે એટલે પાપ પંકના અપગમ દ્વારા અત્યંત નિર્મલ કરાયેલ, બીજા તીર્થકરો એ પણ કહેલ છે, તેમ કહેવું.
તેમાં વિશેષથી કે વિવિધ ભાવનાદિ વડે પ્રસન્ન - મરણમાં પણ દૂર કરેલ મોહરૂપી ધૂળ વડે અનાકુળ ચિત્તથી વિપસન્ન, તેના સંબંધી મરણ પણ ઉપચારથી વિપ્રસન્ન કહેવાય છે. જેમાં તથાવિધ ચતના વડે પોતાને કે બીજાને વિધિવત્ સંલેખિત શરીરપણાથી આઘાત હોતો નથી. તે અનામત તેવા સંયત - સખ્ય પાપોપરતને - ચાીિને. આ આત્મા કે ઇંદ્રિયો જેને વશ છે તેવા વશ્યવાનને. અથવા સાધુગુણો વસે છે તે વસીમંત અથવા સંવિગ્ન, આ કારણે પંડિતમરણ જ કહ્યું.
આ મરણ સંયત, વયવત, વિપ્રસન્ન અને અનાઘાતને જ સંભવે છે પણ અપુન્ય પ્રાણીને સંભવતું નથી. તેની પ્રાપ્તિ વિશિષ્ટ યોગ્યતાવાળાને જ થાય છે. જે આમ છે, તે દર્શાવવા કહે છે -
• સૂત્ર - ૧ -
આ સકામ મરણ બધાં ભિક્ષને પ્રાપ્ત ન થાય, ન બધાં ગૃહસ્થોને પ્રાપ્ત થાય. ગૃહસ્થ વિવિધ પ્રકારના શીલથી સંપન્ન હોય, જયારે ત્રણ ભિક્ષા વિષમ શીલવાળા હોય છે.
- કિચન - ૧ -
બધાં જ ભિક્ષઓને- પરદજીવી વતીઓને આ પંડિત મરણ પ્રાપ્ત થતું નથી. પરંતુ કેટલાંક જ પરોપવિત પ્રત્યાનુભાવવાળા ભાવ ભિક્ષુને પ્રાપ્ત થાય છે, ગૃહસ્થોને તો તે દૂરાપ જ છે. તેથી કહ્યું કે આ પંડિત મરણ બધાં જ ગૃહસ્થોને કે ચાસ્ત્રિીને સંભવ નથી. - x-x- અનેકવિધ વ્રત સ્વભાવ જેમનો છે, તેવા ગૃહસ્થો, તેમને જ એક રૂપ શીલ હોતું નથી, પણ અનેક ભંગના સંભવથી અનેકવિધ હોય છે. કેમકે તેમને, દેશવિરતિ રૂપ અનેક પ્રકારે સંભવે છે. પણ સર્વ વિરતિ સંભવતી નથી.
વળી અતિ દુર્લક્ષપણાથી વિદેશ શીલ જેમનું છે તેવા ભિક્ષુ બધાં જ અનિદાનિન, અવિકલ ચાસ્ત્રિી એવા જિનમત પ્રતિપન્ન કંઈ તત્કાળ મરતા નથી. તીર્થાન્તરીય પણ દૂરોત્સારિત જ હોય છે. તેવો પણ ગૃહસ્થવતુ વિવિધ શીલ વાળા જ હોય છે. - x x- ભિક્ષઓ પણ અત્યંત જિમ શીલવાળા હોય. તેથી તેમાં કેટલાંકને પાંચ યમનિયમ રૂપ વ્રત કહ્યાં છે, બાકીના તો કંદ, મૂલ, કુળ માનારા જ છે. બીજાને આત્મતત્ત્વ પરિાન જ હોય છે. ઇત્યાદીથી તેમને પંડિત-મરણનો અભાવ હો છે.
હવે ભિની વિષમશીલતા કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org