SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ઉત્તરાધ્યયન મૂલસુત્ર-સટીક અનુવાદ વિચારતો, “મે કંઈ શુભાયરિત કરેલ નથી.” પણ સદા અજર-અમર વત ચેખિત કરેલ છે. તેમ વિચારતો ચિત્તમાં આતંકથી અને શરીરે પણ ખેદ પામે છે. - x x આ જ અર્થને વિશેષથી કહે છે - • અશ • ૧૪૦ - મેં તે નરક સ્થાનો સાંભળો છે, જે સીલરહિત કુરકમાં જ્ઞાની જીવોની ગતિ છે અને જ્યાં તીન વેદના થાય છે. • વિવેચન - મેં એવું સાંભળેલ છે કે સીમંતક આદિ નરકમાં એવા સ્થાનો છે, જેમાં પ્રાણીના અતિ સંપીડિત અંગોને દુઃખે ખેંચીને બહાર કઢાય છે, અથવા પ્રભાદિ પૃથ્વી રૂપ નરકમાં સીમંતક, અપ્રતિષ્ઠાન, કુંભી, વૈતરણી આદિ સ્થાનો છે અથવા સાગરોપમ આદિ સ્થિતિ રૂપ સ્થાનો છે. ત્યાં પરિતાપ કરાય છે. કોને? અવિધમાન અસદાચારીને, તે નરકનામની ગતિ છે, તેવું મેં સાંભળેલ છે. ત્યાં અજ્ઞાની, હિંસા-મૃષા ભાષક આદિ કરકર્મીને. જ્યાં પ્રગાઢ - અતિ ઉત્કટતાથી અને નિરંતર પ્રકર્ષવાળી વેદના વેદાય છે. આ વેદના શીત, ઉષણ, શાલ્મલી આશ્લેષણાદિ છે. તેને થાય છે કે મારા આચરણથી આ ગતિ મળે છે. • સુત્ર • ૧૪૧ - જે મેં પરપરાણી સાંભળેલ છે કે - તે નરકમાં પપાતિક સ્થાન છે, આ ક્ષીણ થયા પછી, કૃત કમનસાર, ત્યાં જતા પ્રાણી પરિતાપ કરે છે, • વિવેચન : ૧૪૧ - નરકમાં ઉપપાત થવો તે ઔપપાતિક સ્થાન - સ્થિતિ, જે પ્રકારે થાય છે. તેવું મેં પરંપરા એ અવધારેલ છે, ગુર વડે કહેવાયેલ છે. તેનો આશય આ છે- જે ગર્ભજન્ય હોય તો છેદ, ભેદ આદિ નારક દુઃખ ન થાય, પપાતિકતમાં અંતર્મુહૂર્ત પછી તેવી વેદનાનો ઉદય થાય છે. - -x- પોતાના કરેલાં કર્મો વડે. અથવા ધારીને કરેલાં કમ વડે. તેવા કર્મોથી જ અનુક્રમે નરકમાં જાય છે અથવા જે-તે કર્મો વડે જવાની ગતિને અનુરૂપ તીવ્ર - તીવ્રતરાદિ અનુભવવાળા તે સ્થાનમાં જાય છે. તે બાળ આયુષ્ય ઘરનાં પરિતાપ પામે છે કે હું મંદભાગ્ય એવો શું કરું કે મેં આવા અનુષ્ઠાનો કર્યા. આ વાતને દષ્ટાંતથી દઢ કરે છે • સૂત્ર • ૧૪૨, ૧૪૩ - જેમ કોઈ ગાડીવાળો સમતલ મહાપથને જાણવા છતાં તેને છોડીને વિષમ માર્ગે ચાલતા ગાડીની પૂરી તૂટી જતાં રોક કરે છે તે જ પ્રકારે ધર્મને ઉdલીને, અધર્મ સ્વીકારનાર, મૃત્યુના મુખમાં પડેલો બાળજીવ ગાડીવાભની જેમ શૌક કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy