SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ અધ્ય. ૫ ભૂમિકા થાય. અહીંતુ શબ્દ તેના સંખ્યય વર્ષાયુષ જ એવું વિશેષ જણાવવાને માટે છે. અસંખ્યય વર્ષ આયુવાળાને યુગલધાર્મિકપણાથી કર્મભૂમિકોની માફક દેવોમાં જ ઉત્પાદ હોય. તેમાંથી કેટલાંક તભવોત્પાદ રૂપ આયુકર્મ ઉપચિત કરે છે. આ અંતરમાં “મોર ઓહિમરાણ ઇત્યાદિ ગાથા દેખાય છે. તેનો ભાવાર્થ સારી રીતે જાણી શકાતો નથી. ચૂર્ણિકારે પણ આની વ્યાખ્યા કરી નથી - (આ પ્રમાણે વૃત્તિકાર કહે છે) હવે બાલપંડિત મિશ્ર મરણના સ્વરૂપને કહે છે - • નિયુક્તિ - ૨૨૨ + વિવેચન - અવિરતનું મરણ તે બાલમરણ છે અને વિરતનું મરણ તે પંડિત મરણ છે.દેશ વિરતનું મરણ તે બાલપંડિત મરણ જાણ. -૦- વિરમણ તે વિરત - હિંસા, અસત્યથી ઉપરમણ જેમાં વિધમાન નથી તે અવિરત, તેઓનું મૃત્યુ સમયે પણ દેશવિરતિ ન સ્વીકારીને જે મિથ્યાદેશા કે સમ્યગુર્દશામાં મરણ તે અવિરત અતિ લાલ મરણ કહેવાય. વિરત - સર્વ સાવધથી નિવૃત્તિ સ્વકારેલાનું મરણ તે પંડિત મરણ છે તેમ તીર્થકર અને ગણધર આદિએ કહેલું જાણ. મિશ્ર એટલે બાલ પંડિત મરણ તે દેશથી છે તેથી - સ્થળ પ્રાણ હિંસાદિથી વિત હોવાથી તે દેશવિરતોનું જાણવું. એ પ્રમાણે ચાસ્ત્રિ દ્વારથી બાલ આદિ ત્રણ મરણ જણાવીને જ્ઞાન દ્વારથી છઘસ્થમરણ છે, કેવલિનું રમણ તે કેવલિમરણ છે • નિર્ણક્તિ - વર૩ + વિવેચન : જે શ્રમણો મતિ આદિ ચાર જ્ઞાને મરે છે તે છદ્મસ્થ મરણ છે. કેવલિનું મરણ તે કેવલિ મરણ છે. -૦-મરવું- પ્રાણોને તજવા. છદ્મ - જ્ઞાનાવરણાદિનું છાદન કરે કે તેમાં રહે તે છઘસ્થા તેમનું મરણ તે પ્રસ્થમરણ. અહીં પહેલાં મનપાંચનો નિર્દેશ વિશુદ્ધિકૃત પ્રાધાન્ય આશ્રિત ચારિત્રિને જ તે થાય છે, તેથી છે. એ પ્રમાણે અવધિ આદિમાં યથાયોગ સ્વ બુદ્ધિથી જાણવું. કેવલિમરણ - કેવળ જ્ઞાનોત્પન્નને સર્વ કર્મ પુદ્ગલને ખેરવીને મરે છે તે જાણવું. હવે વૈહાયસ અને ગૃધ્રપૃષ્ઠમરણ - • નિક્તિ - રર૪ + વિવેચન - ગીધ, શામળી, શિવાદિ વડે પોતાનું ભક્ષણ, તેને ન નિવારવું તેમના વડે ભક્ષણ કરાવવું તે ગૃધપૃષ્ઠ મરણ. અથવા ગીધોનું લક્ષ્ય - પૃષ્ઠ, ઉદર આદિ જેમાં મરે છે, તે ગૃઘપૃષ્ઠ, તે પણ • x- પોતાની પૃષ્ઠ આદિ ગીધ આદિ વડે ભક્ષણ કરાય છે. પછી નિર્દેશ કરાયેલો હોવા છતાં તેનું પહેલાં પ્રતિપાદન અત્યંત મહાસત્ત્વ વિષયપણાથી કર્મનિર્જરા પ્રતિ પ્રાધાન્ય જણાવવાને માટે છે. વૈહાયસ - ઉંચે વૃક્ષની શાખાદિમાં બંધન તે ઉંબંધન, તે જેની આદિમાં છે તે વૃક્ષ, પર્વત, ભૃગુપત આદિથી આત્મજનિત મરણ, તેને ઉબંધનાદિ કહે છે. ઉદ્ગદ્ધનું જ વિહાયસ થવું તે, તેની પ્રાધાન્ય વિપક્ષાથી આ કહેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy