________________
ઉત્તરાધ્યયન મૂવરાત્ર-સટીક અનુવાદ/૧ આભિરી વંચક વણિફ ની માફક, તે દૃષ્ટાંત આ પ્રમાણે છે -
કોઈ એક નગરમાં એક વણિક દુકાન - હાટડી રાખીને વ્યવહાર - વેપાર કરતો હતો. કોઈ એક આભીરણ સરળ સ્વભાવની હતી તે બે રૂપિયા લઈને કપાસ નિમિત્તે તેની દુકાને આવી. ત્યારે કપરા સમર્થ હતો. તેથી વણિકે એક રૂપિયાનો બે વખત તોલીને કપસ આપ્યો. તેણીએ બે વખત છે, તેમ સમજીને બંને રૂપિયા આપી દીધા. તેણી પોટલી બાંધીને ચાલી ગઈ.
પણ વણિકે વિચાર્યું કે આ રૂપિયો તો મને ફોગટમાં મળેલ છે. તો હું આનો ઉપભોગ કરું. તેણે તે રૂપિયાના ઘી અને ગોળ ખરીદીને ઘેર મોકલ્યા. તેની પત્નીને કહેવડાવ્યું કે ઘેવર બનાવજે. તેણીએ ઘેવર બનાવ્યા. જમાઈ તેના સ્ત્રિ સાથે આવ્યો. તેને ઘેવર પીરસ્યા. તે ખાઈને ચાલ્યો ગયો. વણિફ સ્નાનાદિથી પરવારીને ભોજનાર્થે આવ્યો. તેની પત્નીએ તેનો રોજિંદુ ભોજન પીરસ્યુ. વણિકે પૂછ્યું - કેમ ઘેવર ન બનાવ્યા? તેણી બોલી - બનાવેલા હતા. જમાઈ તેના મિત્ર સાથે આવેલો, તે ખાઈ ગયા.
વેપારી વિચારવા લાગ્યો - જુઓ, મારે આ કેવું થયું? તે વિચારી આભિરણને છેતરીને મેં બીજાના નિમિત્તે મારા આત્માને પાપ વડે જોડ્યો. તે આમ વિચારતો શરીર ચિંતાર્થે નીકળ્યો, ઉનાળો તપતો હતો. તે મધ્યાહ્ન વેળાએ શરીર ચિંતા નિવારી એક વૃક્ષની નીચે વિશ્રામ કરતો હતો. તેટલામાં કોઈ સાધુને ભિક્ષા નિમિત્તે જતાં જોયા. તેમે સાધુને કહ્યું - ભગવના આ વૃક્ષની છાયામાં મારી સાથે અહીં વિશ્રામ કરો.
- સાધુ બોલ્યા - ના, મારે જલ્દીથી મારા કાર્યને માટે જવું જોઈએ. વણિકે પૂછ્યું - ભગવન્! શું કોઈ પણ પરફાર્યને માટે પણ જાય છે? સાધુએ કહ્યું, જેમ તું જ પત્ની આદિના નિમિત્તે કલેશ પામે છે, તે પરકાર્ય જ છે. તે એક જ વચનથી બોધ પામીને બોલ્યો - ભગવન્! તમે ક્યાં રહો છો? તેણે કહ્યું - ઉધાનમાં. પછી તે વણિદ્ સાધુનું કાર્ય પર થયું હશે તેમ જાણીને તેની પાસે ગયો. ધર્મ સાંભળીને બોલ્યો - હું સ્વજનને પૂછીને આવું છું. તમે મને પ્રવજ્યા ગ્રહણ કરાવો.
- વણિક પોતાને ઘેર ગયો. બંધુ, પત્ની આદિને બોલ્યો - જેમ દુકાનમાં વેપાર કરતા તુચ્છ લાભ થાય, તેથી હું દિશાવાણિજય કરીશ. બે સાર્થવાહ હતા. તેમાં એક મૂલ્ય ભાંડ આપીને સુખેથી ઇષ્ટપુને પ્રાપ્ત કરે છે, તેમાં ઉપાર્જિત કંઈ ગ્રહણ કરતાં નથી. બીજો ભાંડનું કંઈ મૂલ્ય આપતો નથી. પૂવોપાર્જિત પણ બનાવી લે છે. તો હું કોની સાથે જઉં?
સ્વજનોએ કહ્યું- પહેલાં સાથે જાઓ. તે તેમનાથી સમનુજ્ઞાત થઈ સ્વજનો સહિત ઉધાનમાં ગયો. તેઓએ પૂછ્યું - સાર્થવાહ કયાં છે? તેણે કહ્યું - પરલોકમાં સાર્થવાહ આ સાધુ છે, તે અશોક છાયામાં બેસીને પોતાના ભાંડ વડે વ્યાપાર કરે છે. એમની સાથે હું નિર્વાણ નગરે જઈશ. એમ કહીને પ્રપતિ થયો. * જેમ આ વણિક સ્વજન પાસે સ્વતત્ત્વને વિચારીને પ્રવજ્યા પ્રતિ આદરવાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org