SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ - - ૪૧૧૬ ઉપાંગ છે. કાન, નાક, આંખ, જાંઘ, હાથ, પગ, ઇત્યાદિ અંગોપાંગ કહેલા છે. - 0 - ઉપાંગમાં કાન, નાક, આંખ, જંઘા, હાથ, પગ કહ્યા છે, અંગોપાંગ તે આંગળી, નખ, કેશ, મળ્યુ છે. એવા પ્રકારે ઉત્તર કરણ છે. વૃદ્ધો અંગોને મૂળકરણ માને છે. હવે બીજી રીતે કહે છે - • નિયુક્તિ - ૧૧ + વિવેચન : પહેલાં ત્રણે શરીરોનું ઉત્તરકરણ જાણવું. તેમાં દારિકના બંને કાનોની વૃદ્ધિ અપાદન, સ્કંધનું મર્દનાદિથી દેટીકરણ, આદિ શબ્દથી દાંત રંગવા આદિ કરણને લેવા. એ પ્રમાણે વૈક્રિયના પણ કહેવા, આહારકના નથી જ અથવા ગમન આદિ વડે તેનું પણ ઉત્તકરણ લેવું. તથા ચક્ષુ આદિ ઇંદ્રિયોના કરણ - અવસ્થાંતર અપાદન તે ઇંદ્રિયકરણ. તે ઉપઘાતથી અને વિશુદ્ધિ વડે થાય છે. તેમાં વિષ આદિથી અંધ, બધિરતા આદિ તે ઉપધાત અને બાહી, સમીરાંજનાદિ તે વિશુદ્ધિ. અથવા બીજી રીતે કરણ કહે છે - • નિક્તિ - ૧૯૨ + વિવેચન - સંઘાતન --દારિકાદિ પુદ્ગલોનું તૈજસ - કામણ પુદ્ગલોની સાથે સંયુજ્યમાનાપણું, તેમાં આત્માનું તે પુદગલ ગ્રહણાત્મિકતેની અનુકૂળ ક્રિયામાં વર્તનરૂપ પ્રયોજકત્વ તે સંઘાતના, પરિશટના તે - ઉક્ત પગલોનું પ્રથફ થવું. ઉભય એટલે સંઘાતના પરિશાટના કરણ બંને લેવા. તે દારિકદિ પહેલાં ત્રણમાં હોય, પણ તૈજસ અને કામણમાં વિધમાન નથી. - ૪ - - - x- સંધાતના, પ્રથમ ઉત્પધમાન જીવને ઔદારિકાદિમાં વર્ણવાય છે, તૈજસ અને કાર્મણમાં નહીં. કેમ કે આ બંનેનું પ્રથમથી ઉપાદાન અસંભવ છે. • - પરિશાટના શોલેશીના ચરમ સમયમાં હોય છે. પ્રતિ સમય સંઘાતના • પરિશાટના બંને સંભવે જ છે, કાલાંતરદિમાં ત્રણે અથતુ સંઘાતના, પરિશાટના અને ઉભયનું કાળ-અંતર સામાયિક અધ્યયનમાં નિર્દેશ કરેલ છે તે જાણવું. આ પ્રમાણે અતિદેશ કરાયા છતાં નિર્યુક્તિકાર, શિષ્યોના અનુગ્રહાર્થે સંપ્રદાયથી કહે છે, તે આ પ્રમાણે છે - આ ત્રણે કરણો કાળથી માર્ગણા કરાય છે - તેમાં ઔદારિક સંઘાતકરણ એક સમયનો છે. તે પ્રથમ સમય ઉત્પન્નને છે. જીવ ઉત્પન્ન થતો પહેલાં સમયે ઔદારિક શરીર પ્રાયોગ્ય દ્રવ્ય ગ્રહણ કરે છે. પછી કંઈ પણ મૂક્તો નથી. પરિશાટન પણ સમયનું છે, મરણકાળ સમયે એકાંતથી મૂકે છે પણ ગ્રહણ કરતો નથી. મધ્યકાળમાં કંઈક ગ્રહણ કરે છે - કંઈક મૂકે છે. જધન્યથી ક્ષુલ્લક ભવગ્રહણ ત્રણ સમય ન્યૂન, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ સમયગૂન. (અહીંથી આગળ વૃત્તિકારે ૧૩ ગાથાઓ મૂકેલ છે, તેમાં આ સંઘાતના સમય, તેનો સર્વ જધન્ય સ્થિતિ કાળ, ઉત્કૃષ્ટ કાળ, સંઘાત અને શાટના, ઇત્યાદિ ઘણી વિગતો આપેલ છે. અમે તેનો અનુવાદ અત્રે રજૂ કરેલ નથી. વળી સુલક ભવગ્રહણને આશ્રીને દાશ્મિ આદિ ત્રણે શરીરના સર્વ શાટના અંતના વિષયમાં નિશ્ચયનય વ્યવહારનય ઇત્યાદિ મતો પણ પ્રગટ કરેલ છે. આ બધું પૂર્વાપર સંબંધ વાળ અને તે વિષયના નિપુણ જ્ઞાતા વડે જ સમજાય તેમ હોવાથી આ સંપૂર્ણ વૃત્તિનો અનુવાદ અમે છોડી દીધેલ છે. પૂજ્ય ભાવવિજયજીની ટીકામાં તો તેને ઉલ્લેખ પણ નથી.) . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy