________________
અધ્ય. ૪ ભૂમિકા ભેદે છે. ભાવના એકત્તમાં પણ પ્રતિષેધ્ય અપેક્ષાથી પંચવિધપણું કહ્યું.
હવે તેની યોજના કહે છે - • નિયુક્તિ : ૧૮૧ + વિવેચન -
પાંય ભેદે તથા તેના પ્રભેદ સૂચક પ્રમાદ છે. આ અધ્યયનમાં અપ્રમાદ પાંચ ભેદે વર્ણવે છે. અન્ય અધ્યયનમાં વિશેષથી બતાવે છે. તે હેતુથી તેને “પ્રમાદાપમાદ” એમ કહે છે. એ પ્રમાણે નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર આલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. તે માટે સૂત્ર કહે છે.
• સૂત્ર - ૧૧૬ -
તુટેલ જીવન સાંઘી શકાતું નથી. માટે પ્રમાદ ન કરી. વૃદ્ધાવસ્થામાં ફઈ શરણ નથી, એમ વિચાર કે પ્રમાદી, હિંસક અને અસંયમી મનુષ્ય તે સમર કોનું શરણ લેરો.
• વિવેચન - ૧૧૬ -
સંસ્કારાય તે સંસ્કૃત, સો શર્કો પણ વધારવાને અથવા કર્ણપાશવતુ તુટેલાને સાંધવાને સમર્થ નથી. તે શું જીવિત પ્રાણધારણ, તેથી પ્રમાદી ન થા. જો આ કંઈપણ સંસ્કારવું શક્ય હોત તો ચારે અંગ મળવા છતાં પ્રમાદ દોષને માટે ન થાત. જો આ અસંસ્કૃત છે, તો તેના પરિક્ષયમાં પ્રમાદીને તે અતિ દુર્લભ છે, તેથી પ્રમાદ ન કરે. તે અસંસ્કૃત કઈ રીતે છે? વયની હાનિ રૂપથી. ક્રમથી મૃત્યુની સમીપે લાવે છે. પ્રાયઃ વૃદ્ધત્વ પછી મરણ હોય છે. મૃત્યુથી રક્ષા કરનાર કોઈ શરમ નથી. - - - કદાચ કોઈ વિચારે કે વૃદ્ધત્વમાં ધર્મ કરીશ, તેથી કહે છે. સ્વકર્મ વડે વૃદ્ધત્વ પામેલને કોઈ શરણ નથી, પુત્રો પણ તેને પાળતા નથી, વળી ધર્મ પ્રતિ શક્તિ રહેતી નથી. જો કોઈ શરણ પુનઃ ચૌવનને લાવી આપે તો તેમ ન કરો, પણ જે ન લાવી આપે તો ધર્મમાં પ્રમાદ ન કરવો. વૃદ્ધત્વ પામેલાને કોઈ શરણ નથી. તેમાં અહીં અટ્ટનનું દષ્ટાંત છે.
ઉજૈની નગરીમાં જિતશત્રુ રાજા હતો. તેને અટ્ટના નામે મલ્લ હતો. તે બધાં રાજ્યોમાં અજેય હતો. આ તરફ સમુદ્ર તટમાં સોપારક નામે નગર હતું. ત્યાં સિંહગિરિ રાજા હતો. તે મલ્લ યુદ્ધમાં જિતનારને ઘણું દ્રવ્ય આપતો હતો. અટ્ટન ત્યાં જઈને પ્રતિવર્ષ પતાકાને જીતતો હતો. રાજાને થયું કે આ બીજા રાજયથી આવીને પતાકા હારી જાય છે, આ મારી અપભ્રાજના છે, તેથી તે પ્રતિમલને શોધે છે. તેણે એક માચિકને ચરબી પીતો જોયો. તેનું બળ પણ જાણ્યું. જાણીને તેનું પોષણ કર્યું. ફરી અટ્ટન આવ્યો. તે માસ્પિક મલ્લ વડે યુદ્ધમાં પરાજિત થયો. પાછા પોતાના આવાસ ઈને વિચારે છે. આને ચૌવનની વૃદ્ધિ છે, માટે હાનિ છે. તેથી અન્ય મલને શોધે છે.
તેણે સાંભળેલ કે સૌરાષ્ટ્રમાં મલ્લ મળશે. તેણે ભરૂચના ધરણગામમાં કૂપિકામાં એક ખેડૂતને જોયો તે એક જ હાથે હળનું વહન કરતો હતો. તેને જોઈને અટ્ટન ઉભો રહ્યો. તેનો આહાર જોયો. તેની પત્ની ભોજન લઈને આવી. સંપૂર્ણ ભરેલા ઘડા પ્રમાણ કૂર' ખાઈ ગયો. બધી રીતે પરીક્ષા કરી. વિકાલે તેના ઘરે જ વસતિમાંગી. તેણે આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org