________________
૧૬૦
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ વાત કરવા બેઠા ત્યારે અટ્ટને તે ખેડૂતને પૂછ્યું- તારી જીવિકા શું છે? ઇત્યાદિ પછી અને તેને સુખી કરવાનું કહ્યું, કર્યાસ મૂલ્ય આપ્યું તેણી સંતુષ્ટ થઈ, ઉજ્જૈનીમાં ગયા. તેને પોષીને યુદ્ધાદિ શીખવાડ્રયા. ફરી માસ્ટિક મલ્લનું યુદ્ધ થયું. પહેલાં જીત્યો, બીજે હાર્યો. રાજાએ બીજા દિવસે ફરી યુદ્ધ જાહેર કર્યું. બંને પણ પોત-પોતાના આલયે ગયા.
- બંને મલ્લોને પોત-પોતાના સ્વામીઓએ પ્રોત્સાહિત કર્યા. બીજે દિવસે સમયુદ્ધ થયું. બીજે દિવસે ફરી યુદ્ધ થતાં અટ્ટનની સલાહ મુજબ ફલહિમલ્લ જીતી ગયો. સત્કાર પુરસ્કાર પામીને ઉની ગયો.
ત્યાં યુદ્ધનો વ્યાપાર છોડીને રહે છે. તે વૃદ્ધ થયો છે એમ જાણીને સ્વજન વર્ગ વડે પણ પરાભવ પામ્યો, હવે આ કોઈ કાર્યને માટે ક્યાંય કોઈને ઉપયોગી નથી. પછી તે માનથી તેમને પૂછયા વિના કૌશાંબી નગરી ગયો. ત્યાં એક વર્ષ નિવ્યપારતાથી રહીને નીકળી ગયો. પણ રસાયણ ઉપર જીવતા બલિષ્ઠ થયો. યુદ્ધમાં પ્રવર્યો. નિરંજન નામના રાજમલ્લને હણ્યો. - રાજાએ આ અટ્ટન છે તેમ જાણીને સંતુષ્ટ થઈને તેનો પૂજા સત્કાર કર્યો. આમરણ પર્યન્તનું ધન પણ આપ્યું. તેનો સ્વજનવર્ગ પણ તે સાંભળીને તેની પાસે આવી ગયો. પગે પડીને પ્રીતિપૂર્વક દ્રવ્યના લોભથી આશ્રિત થઈને રહ્યા.
ત્યાર પછી અને વિચાર્યું કે- આ બધાં મને દ્રવ્યના લોભથી આશ્રય કરે છે. હવે ફરી મારો પરાભવ ન થાઓ. હું વૃદ્ધત્વથી ગ્રસ્ત થયો છું. હવે ગમે તેટલાં પ્રયત્નો છતાં હું ચૌવન કરવાને સમર્થ નથી. તેથી હજી જ્યાં સુધી ચેષ્ટાવાળો છું, ત્યાં જ દીક્ષા લઈ લઉં, એમ વિચારીને દીક્ષા લીધી.
એ પ્રમાણે વૃદ્ધત્વ યુક્ત અટનની જેમ બીજાને પણ ભાઈ આદિ વડે કોઈ શરણ નથી કે વૃદ્ધત્વથી રક્ષણ નથી. આ અર્થને વિશેષથી કે વિવિધપણે જાણીને તથા આ કહેવાનારને જાણ. જેમ લોકો પ્રમાદવાળા છે, તે ત્રાણ રૂપ ન થાય. - xઅનેક પ્રકારે હિંસનશીલ, પોત પોતાના ઉત્પત્તિ સ્થાનોમાં અનાકુળ રહેલાં પ્રાણીઓની હિંસા કરે છે, તે વિહિંસા. તે પાપસ્થાનોથી અનુપરત. - x- એ પ્રમાણે આ પ્રમાદાદિ વિશોષણ યુક્ત લોકો સ્વકૃત આવા પ્રકારના કર્મો વડે નસ્કાદિ યાતના સ્થાનોમાં જશે કે ગ્રહણ કરાશે.
અથવા એ પ્રમાણે અસંસ્કૃત જીવિત છોડ, પ્રમાદી ન થા તેમ ગુરુ વડે કહેવાતા છતાં કદાચિત શિષ્ય એમ કહે કે- બહુરત જન પ્રમત્ત છે, તેની જેમ હું પણ થઈશ, એ આશંકાથી ગુરુ કહે છે - હે ભદ્રા એ પ્રમાણે તું નરકાદિ ગતિમાં જઈશ. તારા જેવા વિવેકીને આવા જન વ્યવહાર આશ્રય વર્ડ શું પ્રયોજન ? હસ્તે અસંસ્કૃત જીવિતની વ્યાખ્યા નિયુક્તિથી -
• લિક્તિ - ૧૨ - વિવેચન - મૂળથી સ્વ હેતુથી ઉત્પન્નના વિરોષ આધાના રૂપ કરણ તે ઉતકરણ, તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org