SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ શિવભૂતિથી બોટિક લિંગની ઉત્પત્તિ થઈ છે. તેમાં કૌડિન્ય અને કોટ્ટવીર એ બંને પરંપરા - અવ્યવચ્છિન્ન શિષ્ય - પ્રશિષ્ય સંતાનરૂપ. તેનો સ્પર્શ જેમાં છે, તે પરંપરા સ્પર્શ જે રીતે થાય તે ઉત્પન્ન થયા. આના વડે કૌડિન્ય અને કોટ્ટવીસ્થી બોટિક સંતાનની ઉત્પત્તિ કહી. ૧૫૦ આટલા ગ્રંથ વડે શ્રદ્ધાલુ દુર્લભત્વ કહ્યું. આના સામ્યક્ત્વરૂપત્ત અને સમ્યકત્વપૂર્વકત્વથી સંયમનું આના વડે દુર્લભત્વ કહેવાયું છે તેમ જાણવું. તથા ચાર અંગો આ વ્યાખ્યાનમાં ચાર અંગો વડે હિત, તેના સ્વરૂપ વર્ણન વડે ‘ચતુરંગીય’ એ પ્રમાણે વ્યુત્પત્તિ સુજ્ઞાના હોવાથી નિયુક્તિકારે દેખાડેલ નથી. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહેવું જોઈએ - •સૂત્ર Εξ જીવોને ચાર પરમ અંગો દુર્લભ છે - મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ. • વિવેચન - ૯૬ : ચાર સંખ્યામાં, પરમ એવા તે પ્રત્યાસન્ન ઉપકારીપણાથી અંગો મુક્તિના કારણત્વથી પરમાંગ, દુઃખથી પ્રાપ્ત થાય છે તે દુર્લભ, આ સંસારમાં છે, કોને ? જન્મે તે જંતુ - દેહી, શરીરવાળાને તે કોણ છે ? મનમાં રહે તે મનુષ્ય અથવા મનુના અપત્ય તે માનુષુ તેનો ભાવ તે માનુષત્વ - મનુજ ભાવ. શ્રવણ તે શ્રુતિ, તે પણ ધર્મ વિષયક, શ્રદ્ધા પણ તે ધર્મ વિષયક, સંયમ આશ્રવ વિરમણાદિ. તેથી વિશેષથી પ્રવર્તે છે આત્મા, તે તે ક્રિયામાં તે વીર્ય અર્થાત્ સામર્થ્ય વિશેષ, તેમાં માનુષત્વ જે રીતે દુર્લભ છે, તે કહે છે. - - • સૂત્ર - ૭ વિવિધ પ્રકારના કર્મોને કરીને, વિવિધ જાતિઓમાં ઉત્પન્ન થઈને પૃથક્ રૂપે પ્રત્યેક સંસારી જીવ સમસ્ત વિશ્વને સ્પર્શ કરી લે છે. • વિવેચન ea ચારે તરફથી પ્રાપ્ત તે સમાપન્ન, ક્યાં ? સંસારમાં, તેમાં પણ વિવિધ ગોત્રમાં અર્થાત્ અનેક નામોથી જન્મે છે પ્રાણીઓ જેમાં તે જાતિઓ - ક્ષત્રિયાદિ, તેમાં અથવા જનન તે જાતિઓ, તે ક્ષત્રિયાદિ જન્મોમાં વિવિધ - હીન, મધ્યમ, ઉત્તમ ભેદથી અનેક ગોત્રોમાં. અહીં હેતુ કહે છે - કરાય તે કર્મ - જ્ઞાનાવરણીયાદિ, અનેક પ્રકારે નિર્વર્ત્ય, પૃથક્ ભેદથી. શું કહેવા માંગે છે ? એક એકથી - વિશ્વ એટલે જગત્ત્ને પૂરે છે ક્વચિત્ કદાયિત્ ઉત્પત્તિથી સર્વ જગવ્યાનથી વિશ્વભૂત. કહ્યું છે કે - એવો કોઈ વાલાગ્ર કોટિમાત્ર પ્રદેશ લોકમાં નથી કે જેનો જન્મમરણ અબધાથી જીવે સ્પર્શ ન કર્યો હોય - પ્રાપ્ત ન કર્યો હોય. એટલે કે માનુષ્યત્વ પામીને પણ સ્વકૃત વિચિત્ર કર્માનુભાવથી પૃથક્ જાતિનું ભાગિન્ય જ થાય છે, કોણ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org R
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy