SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય. ૩ ભૂમિકા ૧૩૫ (સાધ્વીઓને કહ્યું કે તમારે પણ એ પ્રમાણે જ કહેવું કે- એ પ્રમાણે સંયતી છે કે દેવી છે, અમે જાણતા નથી. આ પ્રમાણેના અસતભાવથી તેઓ પોતાને, બીજાને અને ઉભયને ગ્રાહિત કરતાં વિયસ્વા લાગ્યા. સ્થવિરોએ તેમને અનુશાસિત કરવાનો આરંભ કર્યો કે - હે દેવાનુપિયો ! તમે જે આવું કહો છે કે જ્યાં સુધી કોઈ જ્ઞાન વડે નિશ્ચય ન થાય ત્યાં સુધી વસ્તુ તત્ત્વના નિશ્ચયના અભાવે બધું અવ્યક્ત જ છે. અહીં તેઓ એવું કહે છે કે, જે જ્ઞાન છે. તે નિશ્ચયકારી નથી. જેમકે આ આચાર્યગોચર જ્ઞાન છે, આ જ્ઞાન યતિ આદિ વિષય વેદન છે. અનિશ્ચયાત્વિમાં જ્ઞાનના નિશ્ચયના અધીનત્વથી વસ્તુ વ્યક્તિમાં અવ્યક્તત્વની સિદ્ધિ છે. આ અનુમાન જ્ઞાન જ છે, તો તે પણ નિશ્ચયકારી છે કે નહીં ? જો નિશ્વયકારી છે, તો જેમ આના જ્ઞાનિત્વ છતાં પણ નિશ્વયકારિતા છે. તે પ્રમાણે જ્ઞાનાંતરમાં પણ વિપર્યય સાધનથી વિરુદ્ધ હેતુ થાય. જો નિશ્ચયકારી ન હોય તો આ પ્રયોગ જ ફોગટ છે. કેમકે સ્વ સાધનનો નિશ્ચય કરતો નથી. બાકીના જ્ઞાનોનો નિષેધ કર્યો નથી, તે જ નિશ્વયકારિતા છે. અથવા જો જે જ્ઞાન છે, તે નિશ્ચયકારી નથી” આ પ્રતિજ્ઞામાં સર્વથા નિશ્ચયકારિત્વનો અભાવ કોઈક સાધે તો ? જે સર્વથા કહો, તો કૃતજ્ઞાનનો પણ જ્ઞાનપણાથી અનિશ્વયકારિત્વમાં સ્વર્ગ - અપવી સાધકત્વથી તેમાં ઉપદર્શિત તપ વગેરેમાં પણ નિશ્ચયથી તો શિરકુંચન આદિ પણ કેમ અનાર્થક નહીં થાય ? હવે તેના સ્વયં અનિશ્વયકારિત્વમાં પણ તેને કહેનાર તીર્થકરમાં વિશ્વાસથી તેનું પણ નિશ્ચતકારિતા છે તેમાં દોષ નથી. તો પછી તેના આલય વિહારાદિ દર્શનથી યતિ આદિમાં પણ તેના ભાવ નિશ્ચયથી વંદના વિધિ કેમ નહીં ? - x x- સર્વથા નિશ્ચયકારિત્વના અભાવમાં જ્ઞાનના પ્રતિદિન ઉપયોગી ભોજન-પાનાદિ ભક્ષ્યાદિ વિભાગનો અભાવ જ પ્રાપ્ત થાય. - x x- કોણ જાણે છે કે શું શુદ્ધ છે એ શું અશુદ્ધ છે? શું સજીવ છે અને શું અજીવ છે? શું ભક્ષ્ય છે અને શું અભય છે ? તે બધું પ્રાપ્ત અભક્ષ્ય જ છે. હવે કથંચિત જ નિશ્ચયકારિત્વનો અભાવ સાધે છે, જેથી પ્રતિ સમય અન્યા સૂક્ષ્મ પરિણામ રૂપથી ભોજનાદિનો નિશ્ચય કરવાનું શક્ય નથી. સ્થિર સ્કૂલરૂપતાથી ભોજનાદિનો નિશ્ચય કરવાનું શક્ય નથી. સ્થિર સ્કૂલરૂપતાથી જ નિશ્ચય કરાય છે, તેમાં ઉક્ત દોષ નથી એમ હોવાથી ચતિ આદિમાં પણ અંતર પરિણામ રૂપથી અનિશ્ચય તે બાહ્ય વેશાદિ રૂપથી નિશ્ચય જ છે. હવે યતિ આદિમાં પ્રવૃત આચાર્યવતુ અન્યથાત્વ પણ સંભવે છે. આ અરિષ્ટ આદિના વશથી ભોજનાદિમાં પણ સમાન છે. જો નિશ્ચય નયથી નિશ્વયને કરવો અશક્ય હોવાથી ઘણો દષ્ટિ સંવાદ ભોજનાદિ જ્ઞાન વ્યવહારથી નિશ્વયકારી છે, ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy