SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ઉત્તરાધ્યયન મલાસબ-સટીક અનુવાદ/૧ કરે છે. આપ મારે ઘેર પગલાં કરવા પધારો. એ પ્રમાણે તિષ્યગુપ્ત આદિ આવ્યા. ત્યારે તેમના દ્વારા બનાવાયેલ ને વિપુલ ખાધને લાવ્યા. ત્યારે તે એક-એક ટુકડો ટુકડો બધી વસ્તુનો વહોરાવે છે. જરા ભાત, થોડી દાળ, વસ્ત્રનો ખંડ ઇત્યાદિ. તિષ્યગુમાદિએ વિચાર્યું કે આ પછીથી બધું આપશે. ત્યાર પછી મિશ્રી પગે પકડ્યો અને સ્વજનોને કહ્યું કે • વંદન કરો, સાધુઓને પ્રતિલાભિત કર્યા. અહો ! હું ધન્ય છું કે આપ મારે ઘેર પધાર્યા. ત્યારે તિષ્યગુમે કહ્યું કે કેમ અમારું અપમાન કરો છો ? મિત્રશ્રી બોલ્યો કે - કેમ આપનો જ સિદ્ધાંત છે કે પર્યન્ત અવયવ માબ જ અવયવી છે. જે તે વાત સત્ય હોય તો પછી અપમાન કઈ રીતે થયું? અથવા “ મિચ્છામિ દુક્કડી આપે મને આપને સિદ્ધાંતથી લાભ આપ્યો. હવે આપને ભગવંત મહાવીરના સિદ્ધાંત પ્રમાણે પ્રતિલાલીશ. એ પ્રમાણે કહેતા સાધુ બોધપામ્યા. હે આયાઆપે મને સમ્યફ રીતે પ્રેરણા કરી. ત્યાર પછી શ્રાવકે પ્રતિલાભિત કરી, મિચ્છામિ દુક્કડં આપ્યું. એ પ્રમાણે તિષ્યગુપ્તાદિ બધાં બોધ પામીને આલોચના અને પ્રતિક્રમણ કરીને વિચરે છે. હવે આખાટાચાર્ય નિમિત્તે ઉત્પન્ન “અવ્યક્તો” ને કહે છે - • નિક્તિ - ૧૬૯ + વિવેચન - આ નિર્યુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી આ પ્રમાણે જણાવે છે - તે કાળે તે સમયે શ્રમણ ભગવંતને ૧૪ વર્ષ સિદ્ધિ ગયાને થયા. ત્યારે ત્રીજે નિલન ઉત્પન્ન થયો. શ્વેતાંબી નગરીમાં પોલાસ નામ ઉધાન હતું. ત્યાં આર્ય અષાઢ નામે આચાર્ય અને વાયનાચાર્ય હતા તે પધાર્યા. તેમને ઘણાં શિષ્યો આગાઢ યોગ સ્વીકારીને ભણતાં હતાં. આષાઢાચાર્યને સત્રિમાં વિસૂચિકા થઈ. તેણે વાયુ વડે નિરોધ કર્યો. કોઈને ઉઠાડ્યા નહીં. ચાવતુ તે કાલધર્મ પામ્યા. સૌધર્મકલ્પમાં નલિનીગુભ વિમાનમાં ઉત્પન્ન થયા. અવધિજ્ઞાન પ્રયોજ્યુ. પોતાનું શરીર જોયું, તે સાધુઓને આગાઢ ચોગમાં રહેલા જોયા. સાધુઓ પણ જાણતા નહતા ત્યારે તેજ શરીરમાં તે દેવે પ્રવેશ કર્યો. પછી બધાંને ઉઠાડ્યા, વૈરત્રિક કરાવ્યું. એ પ્રમાણે તેમના દિવ્ય પ્રભાવથી બધાંને અધ્યયન પ્રાપ્ત થતાં યોગ પૂરા કર્યા. યોગ નિષ્પન્ન થયા પછી તેઓને કહ્યું - હે ભગવંતો ! આપ મને ક્ષમા કરજે. કેમકે મેંઅસંમતે વંદન કરાવ્યા. હું અમુક દિવસે કાળધર્મ પામેલો. એ પ્રમાણે તેખમાવીને ગયા. સાધુઓએ પણ ગુરના તે શરીરનો ત્યાગ કરીને આવો અભ્યથિત સંકલ્પબધાંએ સ્વીકાર્યો કે આટલો કાળ આપણે અસંયતને વંદન કર્યું તેથી અવ્યક્ત ભાવ ભાવે છે. અથવુ બધું જ અવ્યક્ત છે. કોણ સંમત છે? અને કોણ દેવ છે? એ કોણ જાણે છે. તેરી મૃષાવાદ ન થાય અને અસંયતોને વંદન પણ ન થાય, જ્યાં સુધી આપણે પરસ્પર વિશ્વાસ ન બેસે કે- આમાં કોઈ સંયત છે કે નહીં ત્યાં સુધી વંદનાદિ ન કરવા. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy