SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨: નિયુક્તિ (૧) ‘બહુરત' મત માલિથી નીકળ્યો. આ તીર્થની અપેક્ષાએ તેને પ્રથમ બતાવ્યો છે, સર્વથા પહેલો ઉત્પન્ન થયેલ નથી. કેમકે પૂર્વે પણ આવા પ્રકારે થયેલ સંભવે છે. તે આ જાલિપ્રભવા. (૨) તીષ્મગુપ્તથી ‘જીવ પ્રદેશ’ મત નીકળ્યો, અંત્યપ્રદેશે જીવ જેમાં છે તે પ્રદેશજીવ. (૩) અષાઢાચાર્યથી ‘અવ્યક્તવાદી' મત નીકળ્યો, (૪) અશ્વમિત્રથી ‘સામુચ્છેદ' મત નીકળ્યો. (૫) ગંગાચાર્યેથી ‘àક્રિયા' મત નીકળ્યો. (૬) ડ્યુક - છ પદાર્થના પ્રણયનથી અને ઉલૂક ગોત્રત્વથી . પલુક, તેનાથી ઐરાશિક મતની ઉત્પત્તિ (૭) સ્થિરીકરણકારી તે ગોષ્ઠામાહિલો, કંચુકવત્ સૃષ્ટ. અધ્વન્દ્વ - ક્ષીરનીરવત્ અન્યોન્ય અનુગત કર્મ, તેની પ્રરૂપણા કરે છે. અને તે સ્થવિરત્ન પૂર્વ પર્યાય અપેક્ષાથી છે, આના વડે ગોષ્ઠામાહિલથી અબદ્ધિકોની ઉત્પતિ કહી છે. જે રીતે બહુરતા જમાલિપ્રભવા છે, તે રીતે કહે છે - ૧૬૭ + વિવેચન - • નિયુક્તિ વૃત્તિકારશ્રી કહે છે કે આ નિયુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી આ છે - ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ - ૧૬૫, ૧૬૬ + વિવેચન - તે કાળે તે સમયે કુંડપુર નગર હતું. ત્યાં ભગવંત મહાવીરની મોટી બહેન સુદર્શના નામે હતી. તેણીનો પુત્ર જમાલી હતો. તેણે ભગવંતની પાસે ૫૦૦ની સાથે દીક્ષા લીધી. તેની પત્ની. જે ભગવંતની પુત્રી હતી. તેણીનું નામ અનવધાંગી અને બીજું નામ પ્રિયદર્શના હતું. તેણી પણ ૧૦૦૦ સ્ત્રી સાથે તેની પાછળ પ્રવ્રુજિત થઈ. તે . બધું વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અનુસાર કહેવું. જમાલિ અણગાર અગિયાર અંગ ભણ્યા. સ્વામીની અનુજ્ઞાથી તે ૫૦૦ના પરિવાર સાથે શ્રાવસ્તી ગયા. ત્યાં હિંદુક ઉધાનમાં શ્રેષ્ઠક ચૈત્યમાં તેઓ પધાર્યા. ત્યાં તેને અંતપ્રાંત આહારથી રોગ ઉત્પન્ન થયો. બેસી રહેવા પણ સમર્થ ન રહ્યા, ત્યારે તે શ્રમણોને કહે છે - મારા માટે શય્યા સંથારો કરો, તેઓ સંથારો કરવા લાગ્યા. ફ્રી અધીર થઈને તે પૂછે છે - સંથારો કર્યો ? કરાય છે ? તે શિષ્યો બોલ્યા - કર્યો નથી, હજી પણ કરાય છે. Jain Education International ત્યારે જમાલિને વિચાર આવ્યો કે - જે શ્રમણ ભગવન્ કહે છે કે - ચાલતું ચાલ્યું. ઉદીરાતુ ઉદીરાયુ. ચાવત્ નિર્જરાતું નિર્જવું તે મિથ્યા છે. આ પ્રત્યક્ષ જ દેખાય છે - શય્યા સંથારો કરાતો અમૃત છે, સંસ્તીર્ય કરાતો અસંસ્તીર્ણ છે. જો આમ છે, તો ચાલવા છતાં અચલિત, ઉદીરાતુ છતું અનુદીણ યાવત્ નિર્જરાતુ છતાં અનિર્જીર્ણ છે. એ પ્રમાણે વિચારે છે, એ પ્રમાણે વિચારીને સાધુઓને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે - જે શ્રમણ ભગવન્ મહાવીર એ પ્રમાણે કહે છે કે - ચાલતું ચાલ્યું, ઉદીરાતું ઉદીરાયું યાવત્ નિર્જરાતુ નિર્જરાયુ કહે છે, તે મિથ્યા છે. આ પ્રત્યક્ષ જ દેખાય છે કે . શય્યા સંથારો કરાતો અમૃત છે, યાવત્ તેથી નિર્જરાયું તે પણ અનિર્ણ જ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy