SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ઉત્તરાધ્યયન મૂલસણ-સટીક સાનુવાદ • વિવેચન - ૯૧, ૯૨ પ્રયોજનનો અભાવ તે નિરર્થક, તેમાંથી નિવૃત્ત થયો, શેમાંથી મિથુનનો ભાવ કે કર્મ, તે મૈથુન - અબ્રહ્માથી, બીજા આશ્રવોથી વિરત હોવા છતાં જે મૈથુનનું ઉત્પાદન અહીં કર્યું, તે તેના અતિ ગૃદ્ધિ હેતુતાથી દુરસ્યાજ્ય છે. કેમકે કામ ભોગોને દુરસ્યાજ્ય કહેલાં છે. ઇંદ્રિય અને નોધંદ્રિયના સંવરણથી સુસંવૃત્ત થયો છે. પણ હું સાક્ષાત જાણતો છું નહીં કે આ વસ્તુ સ્વભાવ ધર્મ લ્યાણ - શુભ છે કે પાપક - તેથી વિપરીત છે. અથવા ધર્મ એટલે આચાર, ડ્ય – અત્યંતનાતાથી મોક્ષ તેને આપણે છે અર્થાત્ પ્રાપે છે. કલ્યાણ - મુક્તિ હેતુને અથવા પાક - નરકાદિ હેતુને. અહીં આશય એવો છે કે જે વિરતિનો કંઈપણ અર્થ સિદ્ધ થતો હોય તો મને આ અજ્ઞાન હોત જ નહીં. કદાચિત સામાન્ય ચર્ચાથી ફળની પ્રાપ્તિ ન થાય, તેથી કહે છે - ભદ્ર કે મહાભઢ આદિ તપ અને આગમ ઉપચાર રૂપ આયંબિલ આદિ રૂપ ઉપધાન સ્વીકારીને વિચો. માસિકી આદિ ભિક્ષ પ્રતિમાને સ્વીકારીને રહ્યો. આ પ્રમાણે વિશેષ ચર્ચા વડે પણ રહ્યો, સામાન્ય ચયની તો વાત જ શું કરવી? એ પ્રમાણે પ્રતિબંધપણાથી અનિયત વિહાર કરવા છતાં, છાદન કરે તે છક્ષ એવા જ્ઞાનાવરણાદિ કર્મો દૂર ન થયા. એ પ્રમાણે ભિક્ષુ ન ચિંતવે. અજ્ઞાનના અભાવના પથમાં તો સમસ્ત શાસ્ત્રાર્થને જાણ્યા પછી પણ અભિમાનથી ધમધમતા માનસવાળો ન થાય. પરંતુ “પૂર્વ પુરુષસિંહોના વિજ્ઞાન અતિશય સાગરને પાર પામેલાને સાંભળીને વર્તમાન પુરુષો કઈ રીતે પોતાના બુદ્ધિ વડે મદને પામે ?" એ પ્રમાણે ભાવના ભાવે..x. જે એકને જાણે છે, તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે, તે એકને જાણે છે એવા આગમ વચનથી છમસ્થ એવો હું એકપણ ધર્મવસ્તુ સ્વરૂપને તત્વથી જાણતો નથી. તેથી સાક્ષાત ભાવસ્વભાવને જણાવતું વિજ્ઞાન નથી. x-x- તથા ઉપધાનાદિ વડે પણ ઉપક્રમણ હેતુથ ઉપક્રમ કરવાને અશક્યમાં છદ્મ એવા દારુણ વૈરીમાં પ્રકૃષ્ટ તપે છે, તો મારે તો અહંકારનો અવસર જ ક્યાં છે ? હવે આવૃત્તિથી ફરી સૂત્રદ્વારને આશ્રીને પ્રકૃત સૂત્રોપક્ષિમ અજ્ઞાનના સદ્ભાવનું ઉદાહરણ કહે છે. • નિર્ભક્તિ - ૧ર૧ + વિવેચન - આ નિર્યુક્તિને ભાવાર્થ સંપ્રદાયથી જાણવો કહીને વૃત્તિકાર કહે છે - ગંગાકૂલે બે ભાઈઓ પ્રવજિત થઈ સાધુ થયા. તેમાં એક બહુશ્રુત હતો, એક અલ્પષ્ણુત હતો. તેમાં જે બહુશ્રુત હતો. તેને શિષ્યો વડે સૂત્રાર્થ નિમિત્તે સમય પસાર થતાં દિવસના એક ક્ષણ વિશ્રામ ન મળતો, રાત્રિના પણ પ્રતિષયના શિક્ષણ આદિથી ઉંઘવા મળતું ન હતું. જે અપશ્રુત હતો તે સાધુ આખી રાત્રિ સૂઈ રહેતો હતો. કોઈ દિવસે તે બહુશ્રુત આચાર્ય નિંદ્રાવડે ખેદિત થઈને વિચારે છે કે અહો! મારો ભાઈ પુન્યવાન છે, જે સુખેથી સુવે છે, મારા મંદપુન્ય છે કે મને ઉંઘવા મળતું For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy