SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ 2/CE, EO આ પ્રમાણે કર્મોના વિપાકની આલોચના કરતાં આત્માને આસિત કરે. અહીં “સૂરસ્કાર” છે. સૂત્ર આગમ. આમાં પ્રસ્તુત સૂત્ર વડે સૂચિત ઉદાહરણને કહે છે - • નિયુક્તિ - ૧ર૦ + વિવેચન - આ નિયુક્તિનો ભાવાર્થ વૃત્તિકાર સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે - ઉનીમાં બહુશ્રુત એવા કાલક નામે આચાર્ય હતા. તેમનાં કોઈપણ શિષ્ય ભણવા ઇચ્છતા ન હતા. તેના શિષ્યનો શિષ્ય બહુશ્રુત હતો, તેનું સાગરક્ષપણ નામ હતું. તે સુવર્ણભૂમિમાં જઈને વિચારતા હતા. પછી કાલક આચાર્ય પલાયન થઈને તે સુવર્ણભૂમિમાં ગયા. તેણે સાગરક્ષપણને અનુયોગ કહ્યો. પ્રજ્ઞા પરીષહથી તેણે સહન ન કર્યું. તે બોલ્યા કે હે વૃદ્ધ ! આ તમારા શ્રુતસ્કંધ ગયેલ છે? તેણે કહ્યું- ગયેલ છે તો સાંભળો, તે સાંભળવામાં પ્રવૃત્ત થયા.-x તેના શિષ્યો સુવર્ણભૂમિથી પછી નીકળ્યા. જતાં એવા વંદને લોકો પૂછે છે કેઆના આચાર્ય કોણ છે ? તેમણે કહ્યું- કાલકાચાર્ય, લોક પરંપરાથી તે વૃત્તાંત આગળ વધતાં સાગર શ્રમણને પણ સંપ્રાપ્ત થયો કે કાલકાચાર્ય આવી રહ્યા છે. સાગર શ્રમ કહ્યું - હે વૃદ્ધ ! સાંભળ્યું ? મારા દાદા ગુરુ પધારે છે ? કાલરાચાર્યએ કહ્યું - ખબર નહીં, મેં પણ સાંભળેલ છે. - સાધુઓ પધાર્યા, સાગરભ્રમણ ઉભો થયો. તે સાધુઓએ તેને પૂછ્યું - કોઈ ક્ષમાશ્રમણ અહીં આવેલ છે ? પછી સાગરભ્રમણ શકિત થઈને બોલ્યો - કોઈ એક પરમવૃદ્ધ આવેલ છે. પણ બીજા કોઈ ક્ષમાશ્રમણને જાણતો નથી. પછી તે કાલકાચાર્યને ખમાવે છે, “મિચ્છામિ દુક્કડ" આપીને કહે છે - મેં આપની આશાતના કરી. પછી તેણે પૂછ્યું - હું કેવું વ્યાખ્યાન કરું છું. કાલકાચાર્યએ કહ્યું - સુંદર, પરંતુ ગર્વ ન કર. કોણ જાણે છે, કોને કયું આગમ છે? પછી ધૂલિ જ્ઞાતથી કર્દમ પિંડ વડે દષ્ટાંત આપે છે. જેમ સાગરભ્રમણ કર્યું, તેમ (પ્રજ્ઞા ઉત્કર્ષ કરવો ન જોઈએ. તે આર્ય કાલકપાસે શકએ આવીને નિગોદ જીવનું સ્વરૂપ પૂછેલ, આર્યરક્ષિતની માફક જ બધું કહેવું આ પ્રજ્ઞાાના સદભાવને આશ્રીને ઉદાહરણ કહ્યું. તેના અભાવે સ્વયં સમજી લેવું. હવે પ્રજ્ઞાાના જ્ઞાન વિશેષ રૂપવંશી તેના વિપક્ષરૂપ અજ્ઞાનનો પરીષહ કહે છે. તે પણ અજ્ઞાનાભાવ અને અભાવ વડે બે ભેદે છે, તેમાં ભાવ પક્ષને આશ્રીને આ કહે છે • સૂત્ર - ૧, ૨ હું વ્યર્થ જમનાદિ સરસ્વસ્કિ સુખોથી વિરક્ત થયો, અને સુસંવરણ કર્યું. કેમકે ધર્મ કલ્યાણકારી છે કે પાપક છે, તે હું જાણતો નથી... તપ અને ઉપધાનનો સ્વીકાર કરું છું, પ્રતિજ્ઞા પણ પાણું છું. એ પ્રમાણે વિચરવા છતાં મારું હાસ્યત્વ તો દૂર થતું નથી. - આ પ્રમાણે મુનિ ચિંતન ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy