SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૮૩, ૮૪ 103 અહીં સંસ્તારદ્વારને અનુસરતા “તિઉલા હવઈ વેચઙા' એ સૂત્ર સૂચિત ઉદાહરણને કહે છે - ♦ નિયુક્તિ - ૧૧૬ + વિવેચન - આ નિયુક્તિનો ભાવાર્થ વૃત્તિકારશ્રી સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે - શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા હતો. તેને ભદ્ર નામે પુત્ર હતો. તે કામભોગી ખેદ પામીને તથારૂપ સ્થવિરોની પાસે પ્રવ્રુજિત થયો. કેટલેક કાળે એકાકી વિહાર પ્રતિમાને સ્વીકારીને રહ્યો. તે વિચરણ કરતા હતા ત્યારે વિરુદ્ધ રાજ્યમાં જાસુસ સમજીને તેમને પકડી લીધા. તેમને મારીને ક્ષાર વડે સિંચિત કર્યા. દર્ભ વડે વીંટીને મુક્ત કરાયા. તે દર્ભ વડે લોહી વડે સંમિલિત થઈને થતાં દુઃખને સમ્યક્ સહન કરે છે. એ પ્રમાણે બાકીના સાધુએ તૃણ પરીષહને સહન કરવો જોઈએ. તૃણ ક્યારેક મલિન પણ હોય છે. તેના સંપર્કથી પરસેવાથી વિશેષ જલ્લ સંભવે છે, તેથી અનંતર જલ્લ પરીષહ કહે છે w - સૂત્ર - ૮૫, ૮૬ ગ્રીષ્મમાં મેલી, રજથી અથવા પરિતાપથી શરીરના લિપ્ત થઈ જેવાથી મેધાવી મુનિ સાતાને માટે વિલાપ ન કરે. નિર્જરાપેલી યુનિ અનુત્તર આર્યધર્મને પામીને શરીર વિનાશની અંતિમ ક્ષણો સુધી શરીર ઉપર જાલ્લ - પરસેવા જ મેલને રહેવા દે. (તેને સમભાવે સર્ક) ૭ વિવેચન - ૮૫, ૮૬ ક્લિન્ન અથવા કલિષ્ટ બાધિત શરીર જેનું છે તેવો તે મેધાવી - વ્યાધિવાળો હોય કે અરોગી હોય, જો સ્નાનની પ્રાર્થના કરે, તો તે આચારને ઉલ્લંઘેલ અને સંયમને ત્યજેલો થાય છે. એ ઉક્તિને અનુસરીને અનાનરૂપ મર્યાદાને ઉલ્લંઘે નહીં. કોના વડે ક્લિન્નગાત્ર કે ક્લિષ્ટગાત્ર થાય ? તે કહે છે - પરસેવાથી ભીના મલરૂપથી, તેનાથી જ કઠિનતા પામેલ કે ધૂળ વડે, ગ્રીષ્મ કે શરદમાં પણ, તેનાથી પરિતાપ પામીને, અર્થાત્ પતિાપથી પરસેવો, પરસેવાથી મલજલ્લવાળો થાય. તેથી ક્લિન્નગાત્રતા થાય. તેના કારણે સુખનો આશ્રય કરવા એમ ન કહે કે - મને ક્યારે કે કઈ રીતે આ મલવાળા શરીરને સુખાનુભવ થાય ? તો તે શું કરે ? જલ્લ જનિત દુઃખન સહન કરે. કેવો થઈને ? કર્મોના આત્યંતિક ક્ષયરૂપ નિર્જરાને વિચારતો. એ પ્રમાણે તે શું કરે ? હેચ ધર્મો વડે દૂર રહે તે આર્ય. શ્રુત અને ચારિત્ર રૂપ ધર્મ કે જે બીજા કરતાં પ્રધાન હોવાથી અનુત્તર છે, તેને આયરે - એવો પ્રસન્ન - ભાવભિક્ષુ થાય. હવે સામર્થ્ય કહેવા છતાં અર્થઆદરને જણાવવા નિગમના વ્યાજથી ફરી કહે છે - શરીરના વિનાશની મર્યાદા કરીને, કઠીનતાને પામેલ મલ અને ઉપલક્ષણથી પંક અને ધૂળવાળી કાયાને ધારણ કરે. કોઈના અગ્નિથી પરિશોષિત પરિદગ્ધ થઈ ઉપહત શરીરને અથવા જ વડે અવનુંડિત મલ યુક્ત શરીરને વિચારે, અકામ-નિર્જરાથી તેમાં કોઈ ગુણ નથી. મને સમ્યક્ સહન કરતા મહાન For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy