SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ બાંધીને મારી પાસે લાવો. તેઓ શીયાળને બાંધીને લાવ્યા. તેણે તે શીયાળને માર્યું. તે હણાતું એવું ખે-Mિ’ કરે છે. તેનાથી તેને રતિ પ્રાપ્ત થઈ. તે શિયાળ હણાતા મૃત્યુ પામ્યો. અકામનિર્જરાથી વ્યંતર થયો. તે વ્યંતરે અવધિજ્ઞાન વડે જોયું. આજ તે સાધુ છે. તેથી ત્યાં આવીને તે વ્યંતર બચ્ચા સહિત શિયાલાણીને વિકૃવ. તે “ખિ-ખિ” કરતા સાધુને ખાવા લાગી. સજા તે સાધુને ભકતપ્રત્યાખ્યાન કરેલ જાણીને પુરુષો વડે તેમનું ક્ષણ કરે છે, જેથી તેમને કોઈ ઉપસર્ગ કરે નહીં. એટલામાં તે પુરષો તે સ્થાને આવ્યા. તેટલામાં તે શિયાલણી વડે ખવાઈ ગયા, પણ શિયાલણી ન દેખાઈ. તે સાધુએ પણ ઉપસર્ગને સમ્યફ રીતે, ખખ્યો, અધ્યાસિત કર્યો. એ પ્રમાણે બધાએ તે ઉપસર્ગને સહેવો. રોગપીડિતને શયનાદિમાં તૃણસ્પર્શ દુસહતર છે, તેથી તે કહે છે - • સુત્ર - ૩, ૮૪ અલક માને આ શારીરી સંયત તારની સાધને વૃક્ષ ઉપર સવારી શરીરને કષ્ટ થાય છે.... તપના નિપાતથી તેને ઘી જ વેદના થાય છે. એમ જાણીને વરસ્યાથી પીડિત મુનિ વજન ધારણ ન કરે. • વિવેચન - ૯૩, ૮૪ અલક, રૂક્ષ, સંયત, તપસ્વીને; તરે છે તે તૃણ - દર્ભ આદિ, તેમાં સુવુ, આમાં ઉપલક્ષણથી બેસવું પણ થાય. તેનાથી શરીરની વિદારણા થાય. અયેલકત્વ આદિ તપસ્વીના વિશેષણ છે, સચેલકને તૃણ સ્પર્શ ન સંભવે, પણ અરૂક્ષને તેમ સંભવે, પણ નિગ્ધત્વથી અસંગતને પોલા લીલા વણના ઉપાદાનથી તથાવિધ શરીર વિદારણાનો અસંભવ છે. તેથી શું? તે કહે છે - આu - ધર્મનો નિતરાં પાત તે નિપાત, તેથી રિnઉલ - તૌદિકા અથવા મન, વચન, કાયારૂપ બણ પ્રસ્તાવથી સ્વરૂપ ચલન વડે બિદુલ અથવા અતુલ કે વિપુલ વેદના થાય છે. એવું જાણીને આસ્તરણ - વસ્ત્રાદિને ન સેવે. કેવા? તંતુ વડે થયેલ તે તંતુજા, અથવા તંત્રજા. બંનેમાં વસ્ત્ર કે ક્બલ જાણવા. તૃણ વડે તર્જિત અર્થાત વાણો વડે અત્યંત વિલિખિત શરીરને સૂર્યના કિરણના સંપર્કથી ઉત્પન્ન પરસેવાથી ક્ષત-ક્ષાર નિક્ષેપરૂપ પીડા થાય છે. તે પણ તે આ પ્રમાણે વિચારે કે - નરકાગ્નિ વડે બળાતા ત્યાં કરુણ વિલાપો કરે છે, અનિથી કરીને દોડતાં વૈતરણી નદીમાં જાય છે, તેને શીતળ પાણી સમજીને ક્ષારયુક્ત પાણીમાં તે પડે છે. ક્ષારથી બળતા શરીરને તે મૃગની જેમ ઉભા થઈને અસિપત્રવનમાં છાયાને માટે જાય છે. ત્યાં પણ બિચારા શક્તિ, યષ્ટિ, પ્રાસ, કુંત આદિ વડે છેદાય છે. - x- ઇત્યાદિ રૌદતર નરકોમાં પરવશતાથી મેં અનુભવેલ વેદનાની અપેક્ષા આ વેદના કેટલી ? વવશ થઈ સગપણે સહેતા ઘણો જ લાભ છે. એમ ભાવના ભાવતો. તેનાથી હારી જઈને કદી વસ્ત્ર, કંબલને ધારણ ન કરે. આ કથન જિનકલ્પિકની અપેક્ષાથી છે, વિકલ્પી સાપેક્ષ સંયમત્વથી સેવે પણ છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy