SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬, ૮૦ અલાભથી અંતwાંત આહાર વડે કાચિત રોગ ઉત્પન્ન થઈ શકે. તેથી રોગ પરીષહને અહીં કહે છે - • સૂત્ર • ૮૧, ૨ રોગ ઉત્પન્ન થયો જાણીને વેદનાથી પીડિત થઈને દીન ન બને. વ્યાધિથી વિચલિત પ્રશાને સ્થિર કરે અને પ્રામ પીડાને સમભાવે સહે..... સહભગવેષક મુનિ સિકિસ્તાને અભિનંદે નહીં, આ જ તેનું સામરણ છે કે તે સગ ઉત્પલ થતાં તેની ચિકિત્સા ન કરે, ન કરાવે. • વિવેચન - ૯૧, ૮૨ દુઃખે છે કે દુઃખ અર્થાત વરાદિ રોગ, ઉત્પન્ન થયો જાણીને, તેના અનુભવરૂપ વેદનાથી પીડિત કરાય તે દુખાર્તિત, તેવો થાય તો પણ અદીન મનથી, “સ્વકર્મનું જ આ ફળ છે” એ પ્રમાણે તત્ત્વબુદ્ધિથી પોતાની પ્રજ્ઞાને સ્થિર કરે. અથવા પુષ્ટ વ્યાધિ વડે દીનતા લાવ્યા વિના તે રોગોના ઉત્પાતને, રોગ જનિત દુઃખને સહન કરે. તો શું ચિકિત્સા વડે રોગને ન નિવારે ? રોગ પ્રતિકારરૂપ ચિકિત્સાને અનુમતિ ન આપે. અનુમતિના નિષેધથી કરણ અને કરાવણનો તો પ્રશ્ન જ નથી. સ્વકર્મ ફળ આ ભોગવાય છે, એમ વિચારીને સમાધિથી રહે, પણ કૂજન કે ક્યકરો આદિ ન કરે. ચા»િઆત્માની માગણા કરે, આ મારું કઈ રીતે થાય? એ પ્રમાણે આભ ગવેષણ કરે. તેથી જે કારણે આ શ્રમણનો શ્રમણભાવ છે, તેથી તે ચિકિત્સા ન કરે, ન કરાવે, ઉપલક્ષણવથી ન અનુમોદે. આ કથન જિનકલ્પિકાદિની અપેક્ષા છે. સ્થવિષ્ઠા અપેક્ષાથી “જંનકુજા” ઇત્યાદિ સાવધ જાણવું. અહીં આ ભાવ છે - જે કારણથી કરણ આદિ વડે સાવધ પરિહાર જે શ્રામસ્યા છે. પ્રાયઃ ચિકિત્સા સાવધ છે, તેથી તેની અનુમોદના ન કરવી. આ પણ ઉત્સર્ગ માર્ગે કહ્યું. અપવાદથી સાવધ છતાં પણ આની અનુમતિ છે જ. આ ભિક્ષા દ્વાર છે, તેમાં “ચિકિત્સાને અનુમોદવી નહીં આ સૂત્ર અવયવને અર્થશી સ્પર્શતા ઉદાહરણને કહે છે - • નિર્યુક્તિ - ૧૧૫ + વિવેચન • આ નિર્યુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી જાણવો, એમ કહી વૃત્તિકાર કહે છે - મથુરામાં જિતશત્રુ સજા વડે કાલા નામની વેશ્યાને અપ્રતિરૂપા છે તેમ વિચારી વરોધીને(આંતપુરમાં) નાંખી તેણીનો પુત્ર કાલવેશિક કુમાર થયો. તેણે તેવા પ્રકારના વિરોની પાસે દીક્ષા લીધે. એકાકી વિહાર પ્રતિમાને સ્વીકારીને મુગલપુર ગયા. ત્યાં તેની બહેન હતશત્રુ સજાની સ્ત્રી (રાણી) હતી, તે સાધુને અર્શ થયેલ હતા. તેથી તેણીએ ભિક્ષાની સાથે ઔષધ આપ્યું. તેને અધિકરણ જાણી ભોજનનું પ્રત્યાખ્યાન કર્યું. તેને કુમારપણામાં શીયાળના શબ્દને સાંભળીને પાછળ લાગેલા. આ શબ્દ કોનો સંભળાય છે ? તેઓ બોલ્યા - આ શીયાળો અટવીવાસી છે. તેણે કહ્યું - આને For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy