________________
૫ ૨
દશવૈકાલિકમૂલસૂબસટીક અનુવાદ એક નગરમાં એક માળી રોગી હતો. તે કરંડીચામાં ફૂલો લઈને જતો હતો. તેને ઘણી પીડા થતાં માર્ગમાં જ જલ્દી ઝાળો કરી તેની ઉપર તે પુષ્પનો ઢગલો કરી દીધો. લોકોએ પૂછયું કે કેમ અહીં ફૂલો નાંખે છે. માળી બોલ્યો - હું અલોપિક છું. અહીં હિંગુ શિવ પ્રગટ થયા છે. ત્યાં હિંગુ શિવ નામે વ્યંતર પ્રસિદ્ધ થયા. તેની લોકો પૂજા કરવા લાગ્યા. હાલ પણ પાટલિપુત્રમાં હિંગુ શિવ નામે વ્યંતરિક છે. એમ જે કોઈ અપભ્રાજના કાર્ય પાવચનિકે કોઈ પ્રમાદથી કરેલ હોય ત્યારે તેને ઢાંકી દેવું જેથી પ્રવચનની લઘુતા ન થાય. અને લોકની ધર્મશ્રદ્ધા સારી રીતે વધે. • • • x• એ પ્રમાણે ચરણકરણાનુયોગને લોકને આશ્રીને સ્થાપના કર્મ કર્યું.
હવે દ્રવ્યાનુયોગને આશ્રીને બતાવે છે. • નિર્યુક્તિ - ૬૮ - વિવેચન
વ્યભિચાર સહિત વર્તે છે. તે સવ્યભિચાર જે હેતુ - સાધ્યધર્મ અન્વય આદિ લક્ષણ યુકત તે તુરંત જ કહીને તે હેતુને બીજા હેતુ વડે સમર્થન કરે - અનેક પ્રકારે વિસ્તારી પ્રજ્ઞાબલને બતાવવું. ચ શબ્દસ્થ આત્માને જાણીને પરને પણ જાણવું. ઇત્યાદિ - x xx સ્થાપના કર્મ બતાવ્યું. હવે પ્રત્યુત્પન્ન વિનાશ દ્વાર કહેવાને ઇચ્છે છે -
• નિયુક્તિ - ૬૬ વિવેચન -
પ્રત્યુત્પન્નના વિનાશના વિચારમાં ગાંધર્વિકાનું ઉદાહરણ લૌકિક છે. તેમાં પ્રત્યુત્પન્નમાં - એક નગરમાં એક વણિફ હતો. તેને ઘણાં ભાણેજ, ભાણેજી આદિ હતા. તેના ઘર નજીક રાજકુલીય ગાનારાઓ દિવસના ત્રણ વાર સંગીત કરતા હતા. તે વરિફ મહિલા સંગીત શબ્દો વડે તે ગાંધવિકોમાં આસક્ત થઈ કંઈપણ કામ કરતી ન હતી. પછી તે વણિકે વિચાર્યું કે આ વિનષ્ટ થઈ છે. શો ઉપાય કરવો? જેથી સ્ત્રીઓ ન બગાડે તેથી મિત્રને કહ્યું. તેણે શીખવ્યું કે - તારા ઘરની બાજુમાં વ્યંતરનું દેવળ કરાવ. તેણે તેમ કરાવ્યું. ઢોલી આદિ વાધ વગાડનારાઓને રૂપિયા આપી ઢોલ વગેરે વગડાવવાનું શરૂ કર્યું. ત્યારે તે ગાંધર્વિકોને વિન્ન થવા લાગ્યું. ગીતના શૉ સંભળાતા ન હતા. રાજકુળમાં ઝઘડો ગયો. વણિને વિM કસ્વાનું કારણ પૂછ્યું. તેણે કહ્યું - મારે ઘેર દેવ છે, હું તેને ત્રણે કાળ ઢોલથી ભજુ છું. રાજકુલે ગાંધર્વિકોને કહી દીધું કે બીજે સ્થાને ગાઓ, રોજેરોજ દેવને અંતરાય ન કરાય.
એ પ્રમાણે આચાર્ય પણ, જે શિષ્યો ગૃહસ્થ સ્ત્રીમાં રાગી બની જાય તો એવો ઉપાય કરવો કે જેથી તે દોષનું નિવારણ થાય. કેમકે તેવી ચિંતાદિથી શિષ્યોને નરકાદિમાં પડવાનું થાય. કહ્યું છે કે - ચિંતા, જોવાની ઇચ્છા, દીર્ઘ નિઃશ્વાસ વર-દાહ, અજીર્ણ, મૂછ, ઉન્મત્ત, ભાન વિનાનો અને મૃત્યુ આવા અપાયોથી શિષ્યને આચાર્ય બચાવે. આ લોકનો અપાય કહી, હવે પરલોકનો અપાય કહે છે • પ્રતિજ્ઞાભંગથી નરકમાં પડે, ફરી બોધિ પ્રાપ્તિ ન થાય, ભવસમુદ્રમાં ભટકે.
આવો અર્થ ધ્યાનમાં લઈને શિષ્ય કોઈપણ વખત દુરાચાર કરે તો આચાર્ય એ શું કરવું? તે કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org