________________
૧/- ૧
• નિયુક્તિ - ૫૯ - વિવેચન.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વડે નારકત્વથી વિશિષ્ટ ક્ષેત્ર અને વય, અવસ્થિત, અપ્રસન્નત્વાદિથી સ્વભાવ એકાંત વડે જ સર્વથા જે વાદીઓ આત્માને અથવા અન્ય વસ્તુને માને છે, તેમનામાં આ ઉપરોક્ત અપાયોનો અભાવ છે. કેવા વાદીને અભાવ છે? સુખ, દુઃખ, સંસાર; મોક્ષના વાંયુને. સુખ - અલ્લાદ અનુભવરૂપ ક્ષણ. દુઃખ - તપ અનુભવરૂપ. સંસાર - તિર્યંચ, નારક, દેવ, મનુષ્ય ભવમાં સંસરવા રૂપ. મોક્ષ - આઠ પ્રકારના કર્મબંધનો વિયોગ. તે વાદીને સુખાદિનો અભાવ કેવી રીતે? - Xનિત્યતાથી - પ્રસન્નત્વના ત્યાગ વિના પ્રસન્નત્વનો અભાવ થાય છે.
• નિયુક્તિ - ૬૦ - વિવેચન
સુખ દુઃખનો સંપયોગ, સમ્યક કે સંગત પ્રયોગ તે સંપયોગ એટલે અકલ્પિત. ઘટતો નથી. ક્યાં? નિત્યવાદના સ્વીકારમાં સંપ્રયોગ રહેતો નથી. કલ્પિત હોય તો થાય જ. (અહીં નિત્યવાદ અને અનિત્યવાદનો પક્ષ બતાવીને વૃત્તિકારશ્રીએ તેનું ખંડન કરેલ છે. જે અમારું કાર્યક્ષેત્ર ન હોવાથી છોડી દીધેલ છે. આ રીતે અપાય બતાવેલ છે.
હવે ઉપાય કહે છે. તેમાં ઉપ - સામીપ્યથી, આય - લાભ. વિવક્ષિત વસ્તુના સંપૂર્ણ લાભનું હેતુ પણું હોવાથી તે વસ્તુનો લાભ તે જ ઉપાય. અર્થાત ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિનો વ્યાપાર, તે ચાર પ્રકારે છે -
• નિર્યુક્તિ - ૬૧ - વિવેચન -
અપાયની જેમ ઉપાય પણ ચાર ભેદે છે - દ્રવ્યોપાય, ક્ષેત્રોપાય, કાલોપાય અને ભાવોપાય. દ્રવ્ય ઉપાયના વિચારમાં સોનું બનાવવાનો ઉપાય તે પહેલો અને લૌકિક છે. લોકારમાં રસ્તામાં ચાલતાં આદિ કારણથી પડીગયેલ પલ્લાં અને પ્રાસુક પાણીથી ધોવા આદિ. હળ આદિથી ખેતર ખેડવા તે ક્ષેત્ર ઉપાય છે, તે લૌકિક છે. લોકોત્તરમાં પણ વિધિપૂર્વક પ્રાતઃ અશન આદિ અર્થે ફરવું તે ક્ષેત્ર ઉપાય છે. બીજા કહે છે - યોનિપ્રાભૂત પ્રયોગથી સુવર્ણ બનાવવાના સંઘાત પ્રયોજનાદિમાં દ્રવ્ય ઉપાય બતાવે છે. વિધાદિથી કુમાર્ગથી છુટકારો આદિ ક્ષેત્ર ઉપાય છે - *-૪-.
• નિયંક્તિ - ૨ - વિવેચન
કાલ, નાલિકાદિથી જણાય છે. નાલિકા એટલે ઘડી, શંકુ વગેરે. આ નાલિકાદિનો ઉપયોગ લૌકિક કાલોપાય છે. લોકોત્તર તે સૂત્ર પરાવર્તના આદિથી થાય છે. ભાવહારમાં વિચારતાં દષ્ટાંત બતાવે છે, કોણે? તે કહે છે. પંડિત, અભયકુમાર, તેથી કહે છે - ચોર નિમિત્તે નાટકમાં વૃદ્ધકુમારી. ત્રણ કાળ ગોચર સૂત્ર પ્રદર્શનાર્થે કહે છે - તેણે ઉપાયથી ચોરનો ભાવ જાણ્યો, એ પ્રમાણે શૈક્ષ આદિનો ભાવ ગુરૂએ વિધિ ઉપાયથી જાણી લેવો.
ભાવોપાયનું ઉદાહરણ - રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા હતો. તેણે સણીએ એક સ્તંભ વાળો પ્રાસાદ બનાવવા કહ્યું. તેણે સુતારોને આજ્ઞા કરી, તેઓ લાકડા
36 Anternational
Jain
duranternational
For Private & Personal Use Only
www.jainelibrary.org