________________
*
દશવૈકાલિક્રમૂલસૂત્ર-સટીક અનુવાદ
કરીશ, બીજા દિવસે ક્ષુલ્લક પષિત - ઠંડો આહાર લેવાને નીકળ્યો. પાછો આવીને ગૌચરી આલોચીને ચોમાસી ક્ષપકને વિનંતી કરી. તે તપસ્વીએ રોષથી પાત્રમાં બળકો ફેંક્યો. ક્ષુલ્લકે તેને કહ્યું - ‘મિચ્છા મિ દુક્કડં - મેં તમને શ્લેષ્મ પાત્ર ન આપ્યું. તેથી તપસીએ રીસાઈને તેના માથા ઉપર જ રાખ અને બળકો નાંખ્યો. એ પ્રમાણે બીજા ત્રણે એ પણ તેમ જ કર્યું. છતાં તે ક્ષુલ્લક સાધુ શાંત રહ્યા. પછી એક તપસ્વીએ તેનો હાથ પકડી લીધો. ત્યારે પણ તે ક્ષુલ્લકે મનમાં દીનતા લાવ્યા વિના અને વિશુદ્ધમાન પરિણામથી, વિશુદ્ધમાન થતી લેશ્યાથી તદ્ આવસ્ક કર્મનો ક્ષય થતાં તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
·
ત્યારે દેવીએ ચારે ક્ષપકોને કહ્યું - તમને કેવી રીતે વાંદવા? તમે ક્રોધથી હારેલા છો? ત્યારે તે ક્ષપકો સંવેગ પામ્યા. “મિચ્છા મિ દુક્કડ' આપ્યું. અહો આ સાધુ બાલ છે છતાં કેવો ઉપશાંત ચિત્ત છે, અમારા દ્વારા પાપકર્મ વડે તેની આશતના કરી. એ પ્રમાણે તેમને પણ કેવળજ્ઞાન થયું.
એ પ્રમાણે પ્રસંગથી થાનક કહ્યું, ઉપનય એ કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવથી દુર્ગતિ રૂપ અપાય થાય. પરલોક ચિંતા માટે ચાલુ વાતમાં કહે છે -
• નિયુક્તિ - ૫૭ - વિવેચન .
-
શિક્ષક અને અશિક્ષક અર્થાત્ નવદીક્ષિત અને દીર્ઘદીક્ષિત અથવા નવદીક્ષિત અને ગૃહસ્થીના સંવેગ સ્વૈર્ય માટે બંનેને આશ્રીને દ્રવ્યાદિ ઉક્ત પ્રકારથી ચારે અપાયો દેખાડે છે. તેમાં સંવેગ - મોક્ષ સુખનો અલિાષ છે, સ્વૈર્ય - લીધેલાં વ્રત પૂરાં પાળવા તે. તેથી કેવી રીતે દુઃખનું નિબંધન છે તે દ્રવ્યાદિના બોધથી સંવેગ અને સ્થિરતા પ્રાપ્ત થાય? દ્રવ્યાદિમાં રાગ ન કરવાથી સંવેગ થાય. તેથી કહે છે -
♦ નિયુક્તિ - ૫૮ વિવેસન -
અહીં ઉત્સર્ગથી મુમુક્ષુ વડે દ્રવ્ય જ અથવા અધિક વસ્ત્ર, પાત્ર આદિ અથવા સોનું આદિ ગ્રહણ ન કરવા. નવા શિષ્યને આશ્રીને કારણે ગ્રહણ કરેલ દ્રવ્ય તે પણ દીક્ષાદિ કારણ પૂર્ણ થતા છોડી દેવું જોઈએ. આલોક અને પરલોકના અનેક ભયના હેતુરૂપ અને દુ:ખે કરીને જેનો અંત આવે એવા આગ્રહ આદિ અપાયોનું હેતું પણું મધ્યસ્થ પુરુષોએ સ્વબુદ્ધિથી વિચારવું.
એ પ્રમાણે અશિવાદિ ક્ષેત્રનો ત્યાગ કરવો. અશિવ પ્રધાન, ઉનોદરતા, રાજદ્વિષ્ટાદિનો ત્યાગ કરવો કેમ કે તેમાં અનેક આલોક - પરલોક સંબંધી અપાયો સંભવે છે. તે પ્રમાણે બાર વર્ષીય ભાવિ કાળે અશીવાદિનો સંભવ હોય તો ક્ષેત્ર છોડી
L
દેવું. કેમકે ત્યાં અપાયનો સંભવ છે . - × - × - તથા ક્રોધાદિ અપ્રશસ્ત ભાવોનો વિવેક, • કેમ કે નરક પાતનાદિ અપાય હેતુત્વથી પરિત્યાગ કરવો. આ ભાવ અપાય બતાવ્યો. આ પ્રમાણે વસ્તુતઃ ચરણકરણાનુયોગને આશ્રીને અપાય બતાવ્યો. હવે દ્રવ્યાનુયોગને આશ્રીને બતાવે છે -
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org