________________
૩૧
અધ્યયન - ૧ ભૂમિકા
2 અધ્યયન - ૧ “મપત્રિકા
૦ હવે દશવૈકાલિકના અધ્યયન - ૧ નો આરંભ કરે છે - • નિક્તિ - ૨૬ + વિવેચન -
પહેલું અધ્યયન “મપુપિકા” તેના નામનિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે, તના શબ્દાર્થને કહીએ છીએ. તેના ચાર અનુયોગ દ્વાર છે. ઉપક્રમ આદિ મનન કરીને ધર્મ પ્રશંસા વડે અધિકાર કહેવો. આ ગાથાર્થ છે.
નિક્ષેપ ત્રણ પ્રકારે છે- ઓઘનિષ્પન્ન, નામનિષ્પન્ન, સૂબાલાપક નિષ્પન્ન. તેમાં ઓધ એટલે સામાન્ય સૂત્રનું નામ. નિયુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૨૭ + વિવેચના -
ઓધ એટલે સૂત્રનું સામાન્ય નામ - શ્રુતનામ, તે ચાર ભેદે છે. કઈ રીતે? અધ્યયન, અફીણ, આય અને ક્ષપણા તે સમાનાથી છે. આ પ્રત્યેકને જૂદા જૂદા કહે છે. શું?
• નિર્યુક્તિ - ૨૮ : વિવેચન -
નામાદિ ચાર નિક્ષેપા વર્ણવીને, તે આ પ્રમાણે - નામ અધ્યયન, સ્થાપના અધ્યયન, દ્રવ્ય અધ્યયન, ભાવ અધ્યયન. એ પ્રમાણે આક્ષીણાદિનો પણ ખ્યાલ કરસ્વો. શ્રુતાનુસાર - અનુયોગદ્વાર નામે સૂત્રાનુસારથી, શું? ધ્રુમપુષ્પિકા અધ્યયનમાં પ્રકૃત અધ્યયન છે. ચારેમાં પણ અધ્યયનાદિમાં ક્રમથી ભાવવા.
હવે ભાવ અધ્યયનાદિ શદાર્થને કહે છે - • નિરુક્તિ - ૨૯ થી ૩૩ - વિવેચન
અ ખાણાયણ નો અર્થ અધ્યયન છે. ભાવાર્થ આ પ્રમાણે છે- આત્મામાં વર્તે છે, તે નિરુક્ત વડે અધ્યાત્મ. તે ચિત્ત તેમાં લાવવું જેના વડે તે અધ્યયન. અહીં કર્મ બળથી રહિત આત્મા જ ચિત્ત શબ્દથી લેવો. જેમ અવસ્થિત શુદ્ધ ચિત્તને લાવવો તે તે અભ્યાસથી જ થાય છે. જ્ઞાનાવરણાયાદિ આઠ કર્મનો અપચય એટલે ઘટાડો કરવો, તે કર્મ મિથ્યાત્વાદિ કર્મ બંધનના કારણથી બંધાય છે, એવો ભાવ છે. એ પ્રમાણે નવાં આવતાં કમનો અપચય એટલે ઘટાડો કરવો. એ પ્રમાણે અધ્યાત્મ આનયન જ અધ્યયન શબ્દનો અર્થ છે.
જેના વડે વિષયો સમજાય તે અધિગમન. તે ઉપરોક્ત અર્થનું દર્શક હોવાથી એવા વચનને અધ્યયન કહે છે. અથવા અધિક નયન કહેવાય એમ આચાર્યો છે, તેનો પણ ઉપરોક્ત અર્થ જ છે. તે જ વચનનો આ અર્થ છે. અયન નો અર્થ પરિચ્છેદ છે. અધિક જ્ઞાનમાં ઉતારે તે અર્થશી અધ્યયનને ઇચ્છે છે. ચ શબ્દને ગૂઢાર્થી છે. અધિક તે સાધુને પામે છે. તે વડે એમ સમજવું કે ” આ કરણભૂત અધ્યયન વડે સાધુ બોધ - સંયમ - મોક્ષ પ્રતિ અધિક અધિક જાય છે. એમ હોવાથી અધ્યયન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org