________________
અધ્ય૦ ૯ ભૂમિકા
૧૬૯
(૩) ચારિત્ર વિનય - પૂર્વે બાંધેલા આઠ પ્રકારના કર્મોના સંધાતને ખાલી કરે છે, સાધુ ક્રિયામાં યત્નવાળો હોવાથી નવા કર્મો બાંધે નહીં. એ રીતે ચારિત્રથી વિનય, ચારિત્ર વડે વિનીતાં થવાથી ચારિત્ર વિનય છે,
(૪) તપો વિનય - તપ વડે અજ્ઞાનને દૂર કરે છે, આત્માને સ્વર્ગ કે મોક્ષ તરફ લઈ જાય છે, તેનાથી તપો વિનીત થાય તે તપો વિનય છે.
(૫) ઉપચાર વિનય - તે સંક્ષેપથી બે ભેદે છે - પ્રતિરૂપ યોગ - યોજન વિનય અને અનાશાતના વિનય. વિસ્તારથી કહે છેઃ- ‘પ્રતિરૂપ' એટલે ઉચિત વિનય ત્રણ ભેદે છે - કાયાથી, વચનથી, મનથી. અનુક્રમે તે આઠ, ચાર ભેદે છે. કાયાકાદિ અષ્ટવિધની પ્રરૂપણા હવે કરે છે.
કાચિક - ઉભા થવું, પ્રશ્નાદિમાં અંજલિ જોડવી, આસન આપવું, પીઠકાદિ લાવવા, અભિયોગ - ગુરુની આજ્ઞાનું પાલન કરવું, કૃતિકર્મ - વંદન, શુશ્રુષા - વિધિવત્ સ્થાને રહીને સેવવા તે, આવતાની સામે જવું. જતા હોય ત્યારે પાછળ જવું, એ આઠ ભેદે કાય વિનય છે. વાચિક - હિતકારી બોલવું, જે પરિણામે સુંદર હોય. મિત - થોડા અક્ષરથી બોલવું, અનિષ્ઠુર - કઠોર નહીં તેવી વાણી બોલવી. વિચારીને બોલવું તે વાચિક વિનય છે. માનશિક - અકુશળ મનનો નિરોધ, આર્ત્ત ધ્યાનનો પ્રતિષેધ. ધર્મધ્યાનાદિ પ્રવૃત્તિથી કુશળ મનની ઉદીરણા કરવી.
-
પ્રતિપત્તિ રૂપ વિનય શા માટે ? કોનો ?
• નિર્યુક્તિ - ૩૨૪ થી ૩૨૭ વિવેચન
અને
પ્રતિરૂપ એટલે ઉચિત વિનય. તે - તે વસ્તુની અપેક્ષાથી પ્રાયઃ આત્માથી જૂદો મુખ્ય અનુવૃત્તિ રૂપે જાણવો. આ બાહુલ્યથી છદ્મસ્થાનો જાણવો. અપ્રતિરૂપ વિનય - અપર અનુવૃત્તિરૂપ છે, તે કેવીને જ હોય. કેમકે તેઓને તે જ પ્રકારે કર્મો દૂર થાય છે. ઇત્યાદિ - - * - ઉપસંહાર કહ્યો. તેના પ્રભેદ બાવન છે, એવું તીર્થંકરો કહે છે, હવે અનાશાતના વિનય કહે છે -
B
તીર્થંકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર અને ગણિ સંબંધી તેર પદો છે. તેમાં વિશેષ આ પ્રમાણેઃ- કુલ - નાગેન્દ્ર આદિ, ગણ – કોટિક આદિ, ક્રિયા - અસ્તિવાદ રૂપ, ઘર્મ - શ્રુતધર્માદિ, જ્ઞાન - મતિ આદિ, જ્ઞાનિ - જ્ઞાનવાળા, સ્થવિર - સૌદાતા હોય તેને સ્થિર કરવા, ગણ - ગણ ના અધિપતિ. આ તેર પદોની અનાશાતના આદિથી ચાર વડે ગુણતાં બાવન થાય છે. (૧) તીર્થંકર આદિની અનાશાતના એટલે સર્વથા હીલણા ન કરવી, (૨) તેમના ઉચિત ઉપચાર રૂપ તે ભક્તિ. (3) તેમના જ અંતરભાવના પ્રતિબંધ રૂપ છે. (૪) વર્ણ સંજ્વલના - તીર્થંકર આદિના જ સદ્ભૂત ગુણોનું કીર્તન. આ પ્રકારે તીર્થંકરાદિ તેર ને ચાર વડે ગુણતા અનાશાતનાદિ ભેદે બાવન ભેદ થાય,
હવે સમાધિ કહે છે. નામ, સ્થાપનાને છોડીને દ્રવ્યાદિ સમાધિ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org