________________
૧૦૪
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ છે- જીવાદિ રૂપ અને લક્ષણ દાનાદિ છે. (૩) અસ્તિત્વને સત્વ શુદ્ધ પદવાણ્યત્વાદિ છે. (૪) દેહથી અન્યત્વ છે. (૫) સ્વતઃ અન્યત્વ, (૬) વિકાર ન હોવાથી નિત્યસ્વ. (૩) સ્વકર્મનાં ફળ ભોગથી કઈવ, (૮) ત્યાં તેના ચિહની ઉપલબ્ધિથી દેહવ્યાધિત્વ, (૯)ચોગાદિથી ગુણિત્વ, (૧૦) અગુરુ લઘુભાવી ઉર્ધ્વગતિવ, (૧૧) વિકાર સહિતત્વથી નિમયતા, (૧૨) કર્મનું ફળ તે સફળતા, (૧૩) પરિમાણ • લોકાકાશ માત્ર ઇત્યાદિ. એરીતે જીવની ત્રિકાળ વિષયક પરીક્ષા થાય છે, તે કરવી. સંક્ષેપાર્થ કહ્યો.
હવે વિસ્તાર ભાષ્યર્થ જાણવો. • નિયુક્તિ - ૨૨૩ - વિવેચન
નામજીવ, સ્થાપનાજીવ, દ્રવ્યજીવ, ભાવજીવ - તે વચમાણ લક્ષણ છે. તેમાં ઓઘજીવ અને ભવાજીવ તથા તદ્ભવાજીવ “ તે ભવમાં જ ઉત્પન્ન. ભાવ નિક્ષેપમાં ભાવજીવ છે. આ સંક્ષેપાર્થ કહ્યો. હવે વિશેષાર્થ -
• ભાષ્ય - ૬ : વિવેચન
નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્ય જીવ- ચૈતન્ય મનુષ્યત્વાદિ લક્ષણોથી રહિત, આ બુદ્ધિ કલ્પિત માત્ર છે. પણ જીવ એવો સંભવતો નથી. માવજીવ ત્રણ પ્રકારે છેઓધાજીવ, ભવજીવ, તદ્ભવજીવ. અહીં ફરી ભાષ્યકારે ત્રણ ભેદ કહ્યા, તેથી પુનરુક્તિ નથી. - *- ઓઘ જીવ કહે છે -
• ભાષ્ય - ૭ - વિવેચન
વિધમાન આયુકર્મમાં સામાન્ય રૂપમાં સામાન્યપણે ઘરે એટલે ભવ ઉદધિમાં રહે, આ અવસ્થાન માત્રથી તેનું જીવત્યકેવી રીતે ગણાય, તેટલા માટે અન્વયોજનાને કહે છે. તે ઓઘથી આયુ કર્ય ઉદય આવતા જીવે છે. અર્થાત સંસારમાં પ્રાણોને ધારણ કરે છે. તેથી જીવવાથી જીવ છે. તે ઓધ આયુકર્મના ક્ષયથી તે મર્યો. પછી શરીરમાં જીવનો અભાવ થયો. આ સિદ્ધનો જીવ જ ગણાય. વિગ્રહગતિમાં જતાં પણ સૂક્ષ્મ શરીરમાં જીવ હોય છે. આ બધાં નયોથી મર્યો જ ગણાય.
હવે ભવજીવ અને તદ્દભવજીવનું સ્વરૂપ કહે છે - • ભાષ્ય - ૮- વિવેચન
જેના વડે નારકાદિ આયુ વડે રહે છે તે નારકાદિ ભવસ્થિત જીવ તથા મનુષ્યાદિ આયુ વડે નારકાદિ ભવથી સંક્રમણ કરે છે. અર્થાત મનુષ્યાદિ બીજા ભવમાં જાય છે. તે ચાર પ્રકારના નારક, તિર્યંચ, દેવ, મનુષ્ય ભેદ વડે ભવ આયુ જાણો.
તભવ આયુ બે ભેદે છે. તિર્યંચ તદુભવ, મનુષ્ય તદુભવ. એટલે તે ભવમાં મરીને ફરી તે જ ભવમાં ઉત્પન્ન થાય છે પણ બીજા ભવમાં ન જાય. તદ્ભવ જીવિત એટલે ત્યાંથી મરીને પાછો ત્યાં જ ઉત્પન્ન થાય છે. અહીં ભાવજીવના અધિકારી તભવ જીવિત વિશિષ્ટ જીવ જ લેવો. હવે પ્રરૂપણા કહે છે -
• ભાષ્ય - ૬, ૧૦ - વિવેચન બે પ્રકારના જીવો છે. “ચ' શબ્દથી નવ ભેદે જીવો છે - પૃથ્વી આદિ પાંચ, બે For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International